Language Controversy:  મુંબઈ કે દિલ્હીમાં ભોજપુરી જ બોલી છું, નિરહુઆએ ગીત ગાઈને ઠાકરે ભાઈને જવાબ આપ્યો!

  • India
  • July 9, 2025
  • 0 Comments

Language Controversy Maharashtra: મહારાષ્ટ્રમાં મરાઠી ન બોલવા પર  રાજ ઠાકરેના કાર્યકરોએ ગુજરાતીને માર માર્યા બાદ દેશભરમાં ભાષા પર વિવાદ ઉભો થયો છે. દિગ્ગજ નેતાઓ થઈ લઈ અભિનેતાઓ ભાષાને લઈ નિવદનો આપી રહ્યા છે. ત્યારે હવે દિગ્ગજ ભોજપુરી અભિનેતા અને પૂર્વ ભાજપ સાંસદ દિનેશલાલ યાદવ ઉર્ફે નિરહુઆએ ભાષા વિવાદને લઈ પોતાની પ્રતિક્રિયા આપી છે.

નિરહુઆએ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) અને શિવસેના (UBT) ના નેતાઓને સતત પડકાર ફેંકી રહ્યા છે કે જો કોઈમાં હિંમત હોય તો તેઓ તેમને મહારાષ્ટ્રમાંથી બહાર કાઢી બતાવે. ત્યારે હવે નિરહુઆનો બીજો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે કહેતા જોવા મળે છે કે, ‘ આપણા લોકો માટે સંપૂર્ણ તાકા સાથે ઉભો છું. આ સાથે, તે પોતાની ભોજપુરી ભાષાને પણ સમર્થન આપ્યુ.

નિરહુઆએ ગીત ગાઈ ભોજપુરીનું સમર્થન કર્યું

ભોજપુરી સ્ટાર નિરહુઆ આઝમગઢ પહોંચી ગયા છે. જ્યા તેમણે મીડિયા સાથે વાત કરી. આ દરમિયાન જ્યારે નિરહુઆને ભાષા વિવાદ પર ચાલી રહેલા રાજકારણ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું, ” આપણા લોકો માટે સંપૂર્ણ તાકાત સાથે ઉભો છું, આ યોગ્ય સમય છે.” જ્યારે પત્રકારોએ તેમને પોતાની શૈલીમાં ગાઈને કહેવાનું કહ્યું, ત્યારે તેમણે ગાયું અને કહ્યું, “હું ફક્ત એટલું જ કહું છું, ભલે હું મુંબઈ-દિલ્હીમાં રહું, કે મસૂરીમાં… અને કોઈપણ ભાષામાં લખું કે વાંચું, પણ હું ભોજપુરીમાં બોલું છું… જય ભારત જય ભોજપુરી.”

દેશને જોડવાની રાજનીતિ કરો, ભાગલા પાડવાની નહીં

તેમણે આગળ કહ્યું કે ‘હું કોઈ ગંદી રાજનીતિ કરતો નથી, કે કોઈ ગંદી રાજનીતિનું સમર્થન કરતો નથી… હું કહું છું કે દેશને જોડવાની રાજનીતિ કરો, ભાગલા પાડવાની નહીં. દેશમાં વિકાસની રાજનીતિ કરો, આજે આપણું ઉત્તર પ્રદેશ કેટલું ચમકી રહ્યું છે, તમે ઉત્તર પ્રદેશને આપણી સામે જુઓ છો. ક્યાંય ભાગલા પાડવાની રાજનીતિ ન હોવી જોઈએ.’

ગરીબોને નિશાન બનાવવાનું બંધ કરો

મીડિયા સાથે વાત કરતા વધુમાં નિરહુઆએ મહારાષ્ટ્રમાં હિન્દી-મરાઠી ભાષા વિવાદ પર પોતાની આકરી પ્રતિક્રિયા આપી. તેણે કહ્યું કે મહારાષ્ટ્રમાં રહેતો દરેક વ્યક્તિ મરાઠી બોલે તે જરૂરી નથી. નિરહુઆએ કહ્યું કે જે કોઈ પણ વ્યક્તિ મહારાષ્ટ્રના કોઈપણ શહેરમાં રોજીરોટી કમાવવા માટે પોતાનું રાજ્ય છોડીને ગયો છે તે ગરીબ અને લાચાર છે.

રાજ અને ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધતા નિરહુઆએ કહ્યું, ‘આ બંને ભાઈઓ ગરીબો અને પીડિતો પર પોતાની શક્તિ બતાવી રહ્યા છે. દરેક વ્યક્તિએ તેમના આ કૃત્યનો સખત વિરોધ કરવો જોઈએ.’ ઠાકરે ભાઈઓને ‘તારા-સીતારા’ ગણાવતા તેમણે તેમને પડકાર ફેંક્યો કે જો તેમને કોઈને નિશાન બનાવવા હોય, તો તેમણે ગરીબોને બદલે કોઈ મોટી વ્યક્તિત્વનો સામનો કરવો જોઈએ.

‘કોઈના કપાળ પર લખ્યું છે કે તે ગુજરાતી’

રાજ ઠાકરેએ પોતાના કાર્યકરોને સલાહ આપતા કહ્યું, મીરા રોડ પર એક શખ્સે ગુજરાતીને થપ્પડ મારી, પણ શું કોઈના કપાળ લખ્યું છે કે તે ગુજરાતી છે? હજુ તો અમે કશું કર્યું પણ નથી! કારણ વગર મારામારીની જરૂર નથી પણ કોઈ નાટક કરે તો નાક નીચે મારો.  હવે ધ્યાન રાખજો, આવું કશું કરો ને ત્યારે વીડિયો ન બનાવતા, સમજી ગયા ને? આ લોકો મુંબઈને મહારાષ્ટ્રથી અલગ કરવા માંગે છે.’

આ પણ વાંચોઃ

Language controversy: કોઈના કપાળ લખ્યું છે કે તે ગુજરાતી છે , નાટક કરે તો કાન નીચે મારો: રાજ ઠાકરે

Language controversy: શું જાવેદ અખ્તર, આમિર ખાન મરાઠી બોલે છે?, ગુજરાતીને મારવાનો વિવાદ વકર્યો

Language controversy: મહારાષ્ટ્રમાં ગુજરાતી દુકાનદાર મરાઠી ન બોલતાં માર મરાયો, માર મારના લોકો રાજ ઠાકરેની પાર્ટીના

UP: જનેતા 11 માસની પુત્રીને મૂકી ભાડૂઆત સાથે ભાગી, માસૂમનું તડપી તડપીને મોત, જાણો સમગ્ર કિસ્સો

Gujarat: માર્ગ અને પુલની વર્ષે 30 હજાર ફરિયાદો, પૂર્ણેશ મોદીએ પ્રજાની સેવા શરૂ કરીને પાટીલે હાંકી કાઢ્યા

Gambhira Bridge Collapsed: ગંભીરા પુલ સાથે ગુજરાતમાં 281 પુલ હજુ પણ જોખમી, ગમે ત્યારે તૂટી શકે

Vadodara Gambhira Bridge Collapsed: ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 8 ના મોત, 5 ને બચાવી લેવાયા

Nirav Soni Arrest: નડિયાદમાં 1 કરોડથી વધુનું ફૂલેકું ફેરવનાર નીરવ સોની પોલીસ સકંજામાં, બે દિવસના રિમાન્ડ પર, મહિલાને આ રીતે છેતરી!

Bhavnagar: 19 વર્ષિય કિન્નરનો આપઘાત, મંજૂરી વગર PM કરી નાખ્યું, પરિવારે કહ્યું અતુલ ચૌહાણ….

Rajkot: રાજકોટમાં કલેક્ટર કચેરીનો ઘેરાવ, રોડ નહીં તો ટોલ નહીં, નીતિન ગડકરી પર પ્રહાર

 

 

Related Posts

Asaduddin Owaisi Election Reaction: મમતા અને સ્ટાલિનની હાર પર ઓવૈસીના ગંભીર સવાલ, કહ્યું- “જે બેઠકોમાં SIR થયું ત્યાં મુખ્યમંત્રીઓ જ હારી ગયા”
  • May 5, 2026

Asaduddin Owaisi Election Reaction: પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ દેશનું રાજકારણ ગરમાયું છે. આ પરિણામોમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિન જેવા દિગ્ગજ…

Continue reading
Gaurav Gogoi Congress: અસમ ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ ગૌરવ ગોગોઈએ સ્વીકારી જવાબદારી, કહ્યું- “પરિણામોની નૈતિક જવાબદારી મારી”
  • May 5, 2026

Gaurav Gogoi Congress: અસમ વિધાનસભા ચૂંટણી 2026ના પરિણામો જાહેર થયા બાદ રાજ્યના રાજકારણમાં મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે. અસમ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ગૌરવ ગોગોઈએ ચૂંટણીમાં પાર્ટીની કારમી હારની સંપૂર્ણ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Porbandar Minor Boy Rape Case: પોરબંદરમાં 12 વર્ષના સગીર પર બાળકી સાથે દુષ્કર્મનો આરોપ, ઉદ્યોગનગર પોલીસે પોક્સો હેઠળ નોંધ્યો ગુનો

  • May 6, 2026
  • 3 views
Porbandar Minor Boy Rape Case: પોરબંદરમાં 12 વર્ષના સગીર પર બાળકી સાથે દુષ્કર્મનો આરોપ, ઉદ્યોગનગર પોલીસે પોક્સો હેઠળ નોંધ્યો ગુનો

Asaduddin Owaisi Election Reaction: મમતા અને સ્ટાલિનની હાર પર ઓવૈસીના ગંભીર સવાલ, કહ્યું- “જે બેઠકોમાં SIR થયું ત્યાં મુખ્યમંત્રીઓ જ હારી ગયા”

  • May 5, 2026
  • 5 views
Asaduddin Owaisi Election Reaction: મમતા અને સ્ટાલિનની હાર પર ઓવૈસીના ગંભીર સવાલ, કહ્યું- “જે બેઠકોમાં SIR થયું ત્યાં મુખ્યમંત્રીઓ જ હારી ગયા”

Gaurav Gogoi Congress: અસમ ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ ગૌરવ ગોગોઈએ સ્વીકારી જવાબદારી, કહ્યું- “પરિણામોની નૈતિક જવાબદારી મારી”

  • May 5, 2026
  • 7 views
Gaurav Gogoi Congress: અસમ ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ ગૌરવ ગોગોઈએ સ્વીકારી જવાબદારી, કહ્યું- “પરિણામોની નૈતિક જવાબદારી મારી”

Mamata Banerjee Press Conference: બંગાળ હાર બાદ મમતાનો મોટો હુમલો: “ચૂંટણી પંચ આ ચૂંટણીનો ખલનાયક”, ભાજપ પર ગુંડાગીરી અને દમનના આરોપ

  • May 5, 2026
  • 11 views
Mamata Banerjee Press Conference: બંગાળ હાર બાદ મમતાનો મોટો હુમલો: “ચૂંટણી પંચ આ ચૂંટણીનો ખલનાયક”, ભાજપ પર ગુંડાગીરી અને દમનના આરોપ

Rahul Gandhi on Bengal Election: પશ્ચિમ બંગાળ ચૂંટણી પરિણામો પર રાહુલ ગાંધીનો મોટો હુમલો, ‘જનાદેશની ચોરીથી લોકશાહી ખતરમાં’

  • May 5, 2026
  • 11 views
Rahul Gandhi on Bengal Election: પશ્ચિમ બંગાળ ચૂંટણી પરિણામો પર રાહુલ ગાંધીનો મોટો હુમલો, ‘જનાદેશની ચોરીથી લોકશાહી ખતરમાં’

PGVCL GM RTGS Fraud: PGVCLના GM સાથે ₹45 લાખની ડિજિટલ લૂંટ: “હું મીટિંગમાં છું” કહી સાયબર ઠગોએ ખેલ્યો મોટો ખેલ

  • May 5, 2026
  • 15 views
PGVCL GM RTGS Fraud: PGVCLના GM સાથે ₹45 લાખની ડિજિટલ લૂંટ: “હું મીટિંગમાં છું” કહી સાયબર ઠગોએ ખેલ્યો મોટો ખેલ