Gondal: અલ્પેશ કથીરિયાનો એકબાજુ વિરોધ, બીજી બાજુ સમર્થન

  • Gujarat
  • April 27, 2025
  • 4 Comments

Gondal: ગણેશ જાડેજાના પડકાર બાદ અલ્પેશ કથીરિયા રાજકોટના ગોંડલમાં પહોંચ્યા છે.  જ્યા તેમના પર હુમલાનો પ્રયાસ કરાયો છે. ગાડીના કાચ તોડ્યા છે.  પોલીસની હજરીમાં કથીરિયાની કાર પર હુમલો થયો છે. જેથી ગોંડલમાં તણાવભરી સ્થિતિ છે. ગણેશ અને જયરાજસિંહના લગભગ બે હજાર સમર્થકો કથીરિયાનો વિરોધ કરી રહ્યા છે.

જિગીષા પટેલ અને અલ્પેશ કથીરિયાએ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કર્યા

જિગીષા પટેલ અને અલ્પેશ કથીરિયાએ કડિયા લાઈનમાં આંબેડકર ચોકમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને હાર પહેરાવ્યો છે. ઉલ્લેખનીય છે, કાર પર હુમલો થયા બાદ કથીરિયા અને જીગીષા પટેલની સુરક્ષામાં વધારો કરાયો છે. ઉલ્લેખનીય છે કે ગણેશ જાડેજાએ કથીરિયાને પડકાર ફેક્યો હતો કે માનું ધાવણ પીધુ હોય તો મેદાનમાં આવી જજો. જેનો પડકાર ઝીલી આજે અલ્પેશ કથીરિયા પોતાના સમર્થકો સાથે ગોંડલ પહોંચ્યા છે. જો કે અહીં ગણેશ જાડેજાના સમર્થકો વધુ છે. જેથી કથીરિયાની સુરક્ષામાં વધારો કર્યો છે. ગોંડલમાં હાલ તણાવભરી સ્થિતિ છે.

કથીરિયાની કાર પર હુમલો

અલ્પેશ કથીરિયા સૌપ્રથમ ગોંડલ ખાતે આવેલા આશાપુરા મંદિરે દર્શન કરવા ગયા હતા. ત્યાર બાદ મંદિરથી પાછા ફરતાં તેમની કાર પર હુમલો થયો છે. ગાડીના કાચ તોડી નાખવામાં આવ્યા છે. ‘જ્યાં સુધી અમે ગોંડલમાં રહેશું ત્યાં સુધી વિરોધ થશે. આ જ તો મિર્ઝાપુર છે. ગોંડલમાં કોઈ વ્યક્તિ આવવા ન જોઈએ. આવે તો હુમલા કરવાના. જ્યારે બીજી બાજુ જીગીષા પટેલ સામે પણ હાય હાયના નારા લાગી રહ્યા છે.

ગણેશ ગોંડલે કથીરિયાને શું ચેલેન્જ આપી હતી?

તાજેતરમાં સુરતમાં ગણેશ જાડેજા અને જયરાજસિંહ જાડેજા વિરૂધ્ધમાં એક સભા મળી હતી જેમાં મેહુલ બોઘરા, અલ્પેશ કથીરિયા અને જીગીશા પટેલે જયરાજસિંહ જાડેજા અને ગણેશ જાડેજા પર ગુંડાગીરીના આક્ષેપો કર્યા હતા.જે બાદ ગોંડલના સુલતાનપુર ગામે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને ગણેશ જાડેજાના સમર્થનમાં પાટીદાર સમાજ દ્વારા જનાક્રોશ સભાનું આયોજન કરાયું હતુ. આ સભામાં અલ્પેશ કથીરિયા, મેહુલ બોઘરા અને જિગીષા પટેલને આડે હાથ લીધા હતા અને તેમના પર આકરા પ્રહારો કરાયા હતા. આ સભામાં ગણેશ જાડેજાએ અલ્પેશ કથીરિયાને પડકાર ફેંકતા કહ્યુ હતુ કે, ‘તારા પર 14-14 પાટીદાર દીકરાના મૃત્યુનું પાપ છે, પહેલા એ ધોઈ લો પછી ગોંડલ આવજો’ મા નું ધાવણ પીધું હોય તો આવી જજો મેદાનમાં” ત્યારે હવે અલ્પેશ કથીરિયાએ ગણેશ ગોંડલનો આ પડકાર ઝીલી ગોંડલ પહોંચી રહ્યા છે.

આ પણ વાંચોઃ

Pakistan flood: ભારતે જેલમનું પાણી પાકિસ્તાનમાં છોડતાં પૂરની સ્થિતિ: દાવો

Khambhat: 7 વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારી હત્યા કરનાર શખ્સને ફાંસીની સજા, ગટરમાં ફેંકી હતી લાશ!

Treaty: આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સાથે સિંધુ જળ સંધિ સ્થગિત કરી તે શું છે?

 Seema Haider: ગેરકાયદેસર ઘૂસેલી સીમા હૈદર પાકિસ્તાન જશે? વાંચો

Gujarat માં ઠેર-ઠેર આતંકવાદનો વિરોધ, આતંકીઓના પૂતળા બાળી પ્રદર્શન

 

Related Posts

Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?
  • June 15, 2025

મહેશ ઓડ Ahmedabad plane crash: 12 જૂને અમદાવાદમાં થયેલી વિમાન ક્રેશની ઘટનામાં ‘ભગવત ગીતા’ પુસ્તક બચી ગયાના દાવા થઈ રહ્યા છે. આને લોકો ધર્મ, ભગવાન સાથે જોડીને કહે છે કે…

Continue reading
Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….
  • June 15, 2025

Ahmedabad Plane Crash: અમદાવાદમાં દુર્ગટનાગ્રસ્ત થયેલા એર ઇન્ડિયાના બોઇંગ 787-8 વિમાનના જાળવણીના દાવાને તુર્કીએ ફગાવી દીધો છે. તુર્કીએ કહ્યું કે તુર્કીએ ટેકનિક વિમાનના જાળવણીમાં સામેલ નથી. આ દરમિયાન અમેરિકાની NTSB…

Continue reading

You Missed

Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

  • June 15, 2025
  • 16 views
Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

  • June 15, 2025
  • 17 views
Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

  • June 15, 2025
  • 22 views
Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

Pratapgarh Couple Missing: હનીમૂન માટે સિક્કિમ ગયેલું કપલ 15 થી ગુમ, શોધવા ગયેલો પરિવાર નિરાશ

  • June 15, 2025
  • 12 views
Pratapgarh Couple Missing: હનીમૂન માટે સિક્કિમ ગયેલું કપલ 15 થી ગુમ, શોધવા ગયેલો પરિવાર નિરાશ

Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….

  • June 15, 2025
  • 31 views
Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….

Pune Bridge Collapsed: પુણેમાં નદી પરનો પુલ તૂટી પડ્યો, 10 થી 15 લોકો તણાયા, બચાવ કામગીરી ચાલુ

  • June 15, 2025
  • 18 views
Pune Bridge Collapsed: પુણેમાં નદી પરનો પુલ તૂટી પડ્યો, 10 થી 15 લોકો તણાયા, બચાવ કામગીરી ચાલુ