CM ભૂપેન્દ્ર પટેલે હરણી બોટકાંડ પીડિત મહિલાઓ સાથે ઉદ્ધતાઈ કરતાં વિરોધ!

CM Bhupendra Patel’s bad behavior with women: આપણા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સામે લોકોનો રોષ ફાટી નીકળ્યો છે.  તેમને જે રીતે મહિલાઓ સાથે વર્તન કર્યું તે ગુજરાતના લોકો હવે સાંખી લેવા તૈયાર નથી. એક સમયે શાંત દિમાગ અને દાદા તરીકે ઓળખ ધરાવતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની એકાએક છબી ખરડાઈ ગઈ છે. તેમના જ પક્ષ સહિત અન્ય પક્ષો અને લોકો વિરોધ કરી રહ્યા છે. ત્યારે ભૂપેન્દ્ર પટેલ આ સમયે બરોબર ઘેરાયા છે.

તાજેતરમાં વડોદરાના એક કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બે મહિલાઓને એજન્ડા સાથે આવી હોવાનું કહી પોતાની રજૂઆત કરતાં અટકાવી હતી. તેમની સાથે દુર્વ્યવ્હાર કર્યો હતો. તેમને કાર્યક્રમમાંથી બહાર કાઢી મૂકવામાં આવી હતી. સાથે સાથે તેમની અને તેમના પતિઓની ધરપકડ કરી ખરાબ વ્યવહાર કરવામાં આવ્યો હતો. આ બાદ મહિલાઓના સમર્થનમાં અનેક નેતાઓ અને પાર્ટીઓ આવી છે. આજે વડોદરામાં કોંગ્રેસે ‘મુખ્યમંત્રી હાય…હાય’ ના નારા લગાવી ધરણાં પર બેઠી હતી. કોંગ્રેસ કાર્યકરો વિરોધ કરી રહ્યા હતા તે દરમિયાન તેમને ટીંગાટોળી કરી લઈ ગઈ હતી.

કોંગ્રેસ  વિરોધ કરે તે પહેલા જ કાર્યકરોને પોલીસ ઉઠાવી ગઈ

વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા આજે ગાંધી નગરગૃહ ખાતે સત્યાગ્રહ ધરણાંનું આયોજન કર્યું હતું, પરંતુ આ કાર્યક્રમને પગલે કોંગ્રેસના કાર્યકરો ધરણાં સ્થળે પોહોંચી રહ્યા હતા, ત્યારે જ વડોદરા ક્રાઇમ બ્રાંચ, રાવપુરા પોલીસના જવાનો, 2 એસીપી, 2 પીઆઇ સહિતનો પોલીસ કાફલો ગાંધી નગરગૃહ ખાતે પહોંચી ગયો હતો. પોલીસે નેતાઓ અને કાર્યકરોને ભેગા થવા દીધા નહોતા અને વિરોધ કરવા આવેલા 20થી વધુ કાર્યકરોની ટીંગાટોળીને લઈ ગઈ હતી. જાણવા મળી રહ્યું છે કે પોલીસ સામાન્ય માણસોને પણ લઈ ગઈ હતી.

શું છે સમગ્ર ઘટના?

વડોદરાના એક કાર્યક્રમમાં 2 મેના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જબરજસ્ત ઘેરાયા હતા. હરણી બોટકાંડમાં બાળકો ગુમાવનાર બે માતાઓએ સવાલ કરતાં જ તેમને રોકવામાં આવ્યા હતા. મહિલાઓને એજન્ડા અને પ્રી પ્લાનિંગ સાથે આવી કહીં ભૂપેન્દ્ર પટેલે સવાલ કરવા દીધા ન હતા, અને પછી શાંતિ તમે મળો તેમ કહ્યું હતુ. બે મહિલાઓને મુખ્યમંત્રીની સામે કહ્યું હતું કે તમને કોઈ મળવા દેતું નથી. આટલું બોલતાં જ મુખ્યમંત્રીએ મહિલાને રોકીને કહે છે, કે એજન્ડાથી આવ્યા છો, CMએ લોકોને પણ કહ્યું હતુ કે મહિલા પર બહુ ધ્યાન ન આપો. ત્યારે લોકોએ પણ મહિલાની ઠેકડી ઉડાડી હોય તે રીતે ભારત માતા કી જયના નારા લગાવી મહિલાની વાતને ફગાવી દીધી હતી.

ભૂપેન્દ્ર પટેલની સામે પડનારા આ બે મહિલાઓના નામ સંધ્યા નિઝામા અને સરલા શિંદે છે. તેમને મુખ્યમંત્રીના કાર્યક્રમમાંથી બળજબરીથી પકડીને બહાર કાઢી મૂકવામાં આવ્યા હતા. સાથે સાથે મહિલાના બંને પતિની ધરપકડ કરવામાં આવી હતી. બંને મહિલાના પતિ પંકજ શિંદે અને કલ્પેશ નિઝામાને પોલીસે ડિટેઇન કર્યા હતા. ભારે વિરોધ બાદ તેમને પોલીસ દ્વારા છોડી મૂકવામાં આવ્યા હતા.

સંધ્યા નિઝામાના પતિએ શું કહ્યું?

આ બે મહિલા સાથે દુર્વ્યવહારની ઘટના બની ત્યારે સંધ્યા નિઝામા પતિ કલ્પેશે જણાવ્યુ હતુ કે મારા પત્નીને ડિટેઇન કરવામાં આવ્યા હતા. અમે ગુનેગાર છીએ કારણ કે અમે બાળકોને ગુમાવ્યા છે એટલે, રિપોર્ટરોને ધક્કા મારીને કાઢે છે આ તંત્ર છે. 10 વર્ષ જૂના મકાનોનું લોકાર્પણ કરવા આવ્યા છે. 30 વર્ષના શાસનમાં વિશ્વામિત્રી પ્રોજેક્ટ ન કર્યો, વડોદરાની જનતા ડૂબી અને કરોડોનું નુકસાન કર્યું એટલે આજે વિશ્વામિત્રી પ્રોજેક્ટ કર્યો, તેમણે પોલીસની કામગીરીને પણ આડે લેતાં કહ્યું હતુ કે અમને નજરકેદ કરવામાં આવે છે, શું અમે આતંકવાદી છીએ?

12 વિદ્યાર્થીઓ સહિત 2 શિક્ષિકાઓએ ગુમાવ્યા હતા જીવ

હરણી બોટ દુર્ઘટના 18 જાન્યુઆરી, 2024ના રોજ વડોદરા, ગુજરાતના હરણી તળાવ ખાતે બની હતી. ન્યૂ સનરાઇઝ સ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથેની બોટ પલટી જતાં 12 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષિકાઓ સહિત 14 લોકોનાં મોત થયાં. બોટમાં 27 વ્યક્તિઓ હતા, જેમાંથી 13 ને બચાવી લેવાયા હતા.

દુર્ઘટનાના કારણોમાં ઓવરલોડિંગ, લાઇફ જેકેટનો અભાવ અને બોટ ઓપરેટરની બેદરકારીથી બની હતી. આ ઘટના બાદ પોલીસે બોટ ઓપરેટર સહિત 18 લોકોની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

 

આ પણ વાંચોઃ

ભારત-પાકિસ્તાન યુધ્ધ થાય તો કયા રાજ્યને વધુ અસર?, લોકોની શું હાલત થાય? | war

Dwarkaમાં TATA સિમેન્ટના રજકણોથી મોટો ખતરો, લોકોનો અવાજ ના ટાટાએ સાંભળ્યો કે નરેન્દ્ર મોદીએ!, આ વેદના હવે કોણ સાંભળશે?

Result: ધો- 12નું પરિણામ જાહેર, કયા જીલ્લાના વિદ્યાર્થીઓએ બાજી મારી?

E-Commerce: એમેઝોન, ફ્લિપકાર્ટ, સ્વિગી સામે વેપારીનું આંદોલન?, ‘ઇસ્ટ ઇન્ડિયા કંપનીથી ઓછા નથી’

Rajkot: ટ્રકચાલકે બે ટુ વ્હીલરને અડફેટે લેતા સાસુ-વહુના મોત, પિતા-પુત્રને ઈજાઓ

 

Related Posts

Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન
  • March 19, 2026

Mini storm: રાજ્યમાં સાયકલોનિક સર્ક્યુલેશન,વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદી માહોલ સર્જાયો છે સમગ્ર રાજ્યમાં ધૂળની ડમરી સાથે ભારે પવન અને કડાકા ભડાકા સાથે વરસાદ થયો છે.વડોદરામાં પણ સાંજના સમયે ધૂળની…

Continue reading
Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!
  • March 19, 2026

■ શ્રી સત્ય યોગ ફાઉન્ડેશન આશ્રમમાં જ નકલી નોટો છાપવાનું ચાલુ કરી ફોર્ચ્યુનર ગાડી ઉપર ‘ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા આયુષ મંત્રાલય’નું બોર્ડ ઠપકારી હેરાફેરી ચાલુ કરી પણ વટાણા વેરાઈ ગયા અને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Iran War : ઈરાન હવે વિશ્વની ઉર્જા ચેઇન ખતમ કરવાના મૂડમાં છે! કતારે ગેસ પ્લાન્ટ બંધ કર્યો! ઈઝરાયેલના ઉર્જા સેન્ટર પણ ઈરાને મિસાઇલ છોડી! ટ્રમ્પ ઢીલા પડ્યા!

  • March 20, 2026
  • 6 views
Iran War : ઈરાન હવે વિશ્વની ઉર્જા ચેઇન ખતમ કરવાના મૂડમાં છે! કતારે ગેસ પ્લાન્ટ બંધ કર્યો! ઈઝરાયેલના ઉર્જા સેન્ટર પણ ઈરાને મિસાઇલ છોડી! ટ્રમ્પ ઢીલા પડ્યા!

Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન

  • March 19, 2026
  • 6 views
Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન

Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!

  • March 19, 2026
  • 11 views
Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!

MODI: CM નરેન્દ્ર મોદી રાજ્યપાલોને કેન્દ્રના એજન્ટ કહેતા હતા! આજે PM મોદીના રાજમાં શુ બદલાયું? CM મોદીનો હવે PM મોદીને સવાલ!!

  • March 19, 2026
  • 16 views
MODI: CM નરેન્દ્ર મોદી રાજ્યપાલોને કેન્દ્રના એજન્ટ કહેતા હતા! આજે PM મોદીના રાજમાં શુ બદલાયું? CM મોદીનો હવે  PM મોદીને સવાલ!!

America: અમેરિકાની USCIRF પેનલે RSS અને R&AW પર પ્રતિબંધ મુકવાની વાત કેમ કરી? જુઓ, ખાસ વિશ્લેષણ

  • March 19, 2026
  • 6 views
America: અમેરિકાની USCIRF પેનલે RSS અને R&AW પર પ્રતિબંધ મુકવાની વાત કેમ કરી? જુઓ, ખાસ વિશ્લેષણ

PM Modi: CM નરેન્દ્ર મોદી પર ₹ 1 લાખ કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લગાવનાર ‘ઝડફિયા’ હવે આજ પાર્ટીના ‘વફાદાર નેતા’ બની ગયા છે!

  • March 19, 2026
  • 16 views
PM Modi: CM નરેન્દ્ર મોદી પર ₹ 1 લાખ કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લગાવનાર ‘ઝડફિયા’ હવે આજ પાર્ટીના ‘વફાદાર નેતા’ બની ગયા છે!