
Honeymoon Couple: મધ્યપ્રદેશના સોનમ અને રાજા પછી, સિક્કિમમાં હનીમૂન માટે ગયેલા વધુ એક નવપરિણીત યુગલ ગુમ થઈ ગયું છે. 11 દિવસથી બંનેનો કોઈ પત્તો લાગ્યો નથી. પોલીસે રાજા અને સોનમનો કેસ ઉકેલી નાખ્યો છે. રાજાનો મૃતદેહ પહેલા મળી આવ્યો હતો. હવે સોનમ યુપીના ગાઝીપુરમાં પણ સુરક્ષિત મળી આવી છે. આ દરમિયાન, યુપીના પ્રતાપગઢ જિલ્લાના નવપરિણીત યુગલ કૌશલેન્દ્ર પ્રતાપ સિંહ અને અંકિતા સિંહનો કોઈ પત્તો નથી. પરિવારના સભ્યો કહે છે કે “અત્યાર સુધી તેમની કોઈ જ ભાળ મળી નથી.”
29 મેના રોજ થયો હતો અકસ્માત
લાલગંજ તહસીલ વિસ્તારના રહાતીકર ગામના રહેવાસી કૌશલેન્દ્ર અને અંકિતા તેમના હનીમૂન પર સિક્કિમ ગયા હતા. જે વાહનમાં બંને મુસાફરી કરી રહ્યા હતા તે વાહન 29 મેના રોજ અકસ્માતમાં 1000 ફૂટ ઊંડી ખીણમાં પડી ગયું. આ અકસ્માતને 11 દિવસ થઈ ગયા છે, પરંતુ બંનેના કોઈ સમાચાર નથી. આ વાહનમાં મુસાફરી કરી રહેલા બે લોકોને બચાવી લેવામાં આવ્યા છે. તેમાંથી એક જનરલ વોર્ડમાં અને બીજો આઈસીયુ વોર્ડમાં દાખલ છે. આ લોકોએ એ પણ પુષ્ટિ આપી છે કે કૌશલેન્દ્ર અને અંકિતા ટ્રાવેલરમાં તેમની સાથે હાજર હતા.
પરિવારે સરકારને કરી અપીલ
શોધખોળ કામગીરીમાં રોકાયેલી ટીમને ટ્રાવેલરમાં મુસાફરી કરી રહેલા લોકોનો ઘણો સામાન મળ્યો છે, પરંતુ આમાંથી કોઈ પણ સામાન કૌશલેન્દ્ર કે અંકિતાનો નથી. કૌશલેન્દ્રના પિતા શેર બહાદુર સિંહે સોશિયલ મીડિયા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને બચાવ કામગીરી ઝડપી બનાવવા અપીલ કરી છે. તેઓ કહે છે કે, “અત્યાર સુધી જે પણ સામાન, કપડાં, જૂતા, ઘડિયાળ, ચશ્મા, બેગ મળી આવ્યા છે તેમાંથી કોઈ પણ મારા દીકરા કે વહુનો નથી. જ્યાં સુધી હું તેમને શોધી ન લઉં ત્યાં સુધી હું સિક્કિમ છોડીશ નહીં.” તેમણે દેશવાસીઓને દંપતીના સુરક્ષિત પરત આવવા માટે ભગવાનને પ્રાર્થના કરવા માટે ભાવનાત્મક અપીલ પણ કરી.
5 મેના રોજ થયા હતા લગ્ન
પરિવારના સભ્યોએ જણાવ્યું કે કૌશલેન્દ્ર અને અંકિતાના લગ્ન 5 મેના રોજ થયા હતા અને બંને 25 મેના રોજ હનીમૂન માટે સિક્કિમ ગયા હતા. પટ્ટીના ચિવલ્હા ગામના રહેવાસી અંકિતાના પિતા વિજય સિંહ ડબ્બુ પણ સરકાર પાસે મદદ માંગી છે. વિજય સિંહે કહ્યું કે તેમણે 29 મેના રોજ તેમની પુત્રી સાથે વાત કરી હતી અને તે ખૂબ જ ખુશ હતી, પરંતુ ત્યારથી તે ગુમ છે. જેના કારણે સમગ્ર પરિવારમાં ચિંતાનું વાતાવરણ છે. જોકે, તેમને હજુ પણ ભગવાનમાં શ્રદ્ધા છે અને તેઓ તેમની પુત્રી અને જમાઈના સુરક્ષિત પાછા ફરવાની આશા રાખી રહ્યા છે.
કૌશલેન્દ્રના દાદા સરકારથી ગુસ્સે
કૌશલેન્દ્રના દાદા અને ભાજપ નેતા ડૉ. ઉમ્મેદ સિંહ ‘ઇન્સાન’ એ પણ આ ઘટના પ્રત્યે સરકારની ઉદાસીનતા પર નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું, “મેં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી, મહામહિમ રાજ્યપાલ, ગૃહમંત્રી, પ્રધાનમંત્રી, પીએમઓનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ક્યાંયથી કોઈ નક્કર પ્રતિભાવ મળ્યો નહીં. અમે વર્ષોથી પાર્ટીની સેવા કરી રહ્યા છીએ, પરંતુ જ્યારે મુશ્કેલ સમય આવ્યો ત્યારે કોઈ અમને મળવા પણ આવ્યું નહીં.” તેમણે કહ્યું કે ઓડિશા સરકારે, જ્યાં તેમનો પક્ષ સત્તામાં છે, તાત્કાલિક સંજ્ઞાન લીધું અને વહીવટને સક્રિય કર્યો, જ્યારે ઉત્તર પ્રદેશ અને કેન્દ્ર તરફથી કોઈ સકારાત્મક પ્રતિભાવ મળ્યો નહીં.
આ પણ વાંચો:
વિસાવદર પેટાચૂંટણીમાં ગરમાગરમી, ભાજપા દ્વારા AAP ના ઉમેદવાર ગોપાલ પર હુમલાનો આક્ષેપ
Ahmedabad માં પણ ખંડણી કલ્ચર, ખંડણી આપવાની ના પાડતા વેપારી પર ગુંડાતત્વોનો જીવલેણ હુમલો
Indore Couple Case: પત્ની હનીમુન માટે લઈ ગઈ અને કરી નાખી હત્યા, પત્નીની ધરપકડ
Viral Video: પેટ ભરવા માટે નાચતી રહી મા, રડતા માસૂમને હૃદય પર પથ્થર રાખી અવગણ્યું
Bihar Election 2025: ભાજપને મોટો ફટકો, યુટ્યુબર મનીષ કશ્યપે રાજીનામું આપ્યું
America માં મોટા પાયે વિરોધ પ્રદર્શનો, ટ્રમ્પે 2000 નેશનલ ગાર્ડ કર્યા તૈનાત
કેટલાક દેશોને ગમશે નહીં, પરંતુ પાકિસ્તાન પાસે ખૂબ જ મજબૂત નેતૃત્વ છે : Donald Trump
Arnab Goswami ના પત્રકારત્વની પોલ ખુલી, ભારત વિરુદ્ધ બોલવા માટે પાકિસ્તાનીઓને આપ્યા પૈસા?
India-Canada Relations: મોદીને G-7 સમિટમાં કેમ આપ્યું આમંત્રણ? કેનેડાના પીએમ સામે ઉઠ્યા સવાલો
Colombia ના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર પર ચૂંટણી પ્રચાર દરમિયાન હુમલો, આરોપીની ધરપકડ
Manipur Violence: મણિપુરમાં ફરી ભડકી હિંસા, 5 જિલ્લામાં ઇન્ટરનેટ બંધ