Jammu and Kashmir: શ્રીનગરના નૌગામ પોલીસે જપ્ત કરેલા વિસ્ફોટકોના પરિક્ષણ દરમ્યાન થયો બ્લાસ્ટ; 9ના મોત,29 ઘાયલ!

  • India
  • November 15, 2025
  • 0 Comments

Jammu and Kashmir:  જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં નૌગામ પોલીસ સ્ટેશનની અંદર એક મોટો વિસ્ફોટ થતાં ભારે અફરા તફરી મચી ગઇ હતી.આ વિસ્ફોટમાં નવ લોકોનાં મોત થયા છે અને 29 લોકો ઘાયલ થયા છે. ઇમારતને પણ વ્યાપક નુકસાન થયું છે.પોલીસે જપ્ત કરેલા એમોનિયમ નાઈટ્રેટના જથ્થાને પોલીસ સ્ટેશન પરિસરમાં રાખવામાં આવ્યો હતો જેમાં અચાનક બ્લાસ્ટ થયાની વાત સામે આવી છે, આ વિસ્ફોટકોની ફોરેન્સિક ટીમ તપાસ કરી રહી હતી.

દિલ્હી લાલ કિલ્લા વિસ્ફોટ સાથે જમ્મુ અને કાશ્મીરનું કનેકશન સામે આવ્યા કેટલાક ધરપકડ કરાયેલા શંકાસ્પદ આતંકવાદીઓની નૌગામ પોલીસ સ્ટેશન પરિસરમાં પૂછપરછ કરવામાં આવી રહી હતી,આ સમય દરમિયાન, શુક્રવારે મોડી રાત્રે (14 નવેમ્બર) થયેલા વિસ્ફોટમાં ઘણા પોલીસકર્મીઓ ઘાયલ થયા હોવાના અહેવાલો સામે આવ્યા છે.

ઘાયલોની 92 આર્મી બેઝ અને SKIMS સૌરા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે,આ બ્લાસ્ટમાં મૃતદેહોના ટુકડા 200 મીટર દૂર જઈને પડ્યાં હતાં.હરિયાણાના ફરીદાબાદમાં ધરપકડ કરાયેલા ડૉ.મુઝમ્મિલ ગનાઈના ભાડાના ઘરમાંથી જપ્ત કરાયેલા એમોનિયમ નાઈટ્રેટના જથ્થામાં બ્લાસ્ટ થયો હોવાનું સામે આવ્યું છે.

જોકે, હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે જપ્ત કરાયેલા કુલ 360 કિલોગ્રામ વિસ્ફોટકો પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા હતા કે નહીં. પોલીસ ટીમો જપ્ત કરાયેલા એમોનિયમ નાઈટ્રેટ વગેરેના નમૂના લઈ રહી હતી, ત્યારેજ બ્લાસ્ટ થયો હતો.

દિલ્હી લાલ કિલ્લા વિસ્ફોટ પછી આ બીજો મોટો વિસ્ફોટ છે, જેમાં નવ લોકોના મોત થયા હતા સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી.નૌગામ પોલીસ સ્ટેશન જૈશ-એ-મોહમ્મદના ‘વ્હાઇટ-કોલર’ આતંકવાદી મોડ્યુલની તપાસનું કેન્દ્ર છે.આ પોલીસ સ્ટેશન એરપોર્ટ વિસ્તારની ખૂબ નજીક પણ છે તેથી આ ઘટનાની ગંભીરતા વધી જાય છે.

રાત્રે લગભગ 11:20 વાગ્યાની આસપાસ નૌગામ પોલીસ સ્ટેશન જોરદાર વિસ્ફોટથી ધણધણી ઉઠ્યું હતું,પોલીસે ટેરર મોડ્યુલ સાથે મોટી માત્રામાં એમોનિયમ નાઈટ્રેટ વિસ્ફોટક ઝડપ્યો હતો જેનું પોલીસ અને તહસીલદાર સાથે FSL ટીમ એમોનિયમ નાઈટ્રેટ વિસ્ફોટકનું નિરીક્ષણ કરી રહી હતી એ દરમિયાન પોલીસ સ્ટેશનમાં બ્લાસ્ટ થયો હતો.

આ પણ વાંચો:

Amreli:રાજ્ય સરકારના સહાય પેકેજથી ભાજપમાં ભડકો, વરિષ્ઠ નેતાએ આપી દીધું રાજીનામું

Rajasthan: રાજસ્થાનમાં ભારતીય સેનાની મિસાઈલ લક્ષ ચુકી ગઈ અને ભદરિયા ગામની સીમમાં પડી!મોટી જાનહાની ટળી

chhotaudepur: “મને ડરાવી-ધમકાવીને ભાજપમાં જોડવાની કોશિશ કરી” AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો મોટો ખુલાસો

Kirti Patel: કીર્તિ પટેલ સામે PASA હેઠળ કાર્યવાહી , વડોદરા જેલમાં ધકેલાઈ, ખંડણી અને ધમકીના 9 કેસો

Related Posts

Sofia Firdous: કોંગ્રેસના ધારાસભ્ય સોફિયા ફિરદોસ કોણ છે? જેઓએ ભાજપના સમર્થનમાં મતદાન કર્યું !
  • March 17, 2026

Sofia Firdous: સોમવારે ઓડિશામાં રાજ્યસભાની ચાર બેઠકો માટે મતદાન થયું. આ ચૂંટણીમાં કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોએ ક્રોસ-વોટિંગ કર્યું. આ ત્રણ ધારાસભ્યોમાં રમેશ જેના, દશરથી ગોમાંગો અને સોફિયા ફિરદોસનો સમાવેશ થાય છે.…

Continue reading
Rajya Sabha Elections 2026: રાજ્યસભા ચૂંટણીમાં વિપક્ષના 11 ધારાસભ્યોનું ક્રોસ વોટિંગ ભાજપને ફળ્યું! NDAએ બાજી મારી
  • March 17, 2026

Rajya Sabha Elections 2026: દેશમાં બંગાળ, આસામ અને તમિલનાડુમાં વિધાનસભા ચૂંટણી આવી રહી છે જેની રાજકીય પક્ષોમાં પૂર્વ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે તે અગાઉ રાજ્યસભા ચૂંટણીમાં NDAએ બાજી મારી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

  • March 18, 2026
  • 2 views
Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી

  • March 18, 2026
  • 5 views
BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી

NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?

  • March 18, 2026
  • 4 views
NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?

PM Modi: બંગાળમાં ચૂંટણી જીતવા ગર્જના કરી રહેલા મોદી ‘સત્તા’ મળતા જ ગુજરાતને ભૂલી ગયા છે!

  • March 18, 2026
  • 6 views
PM Modi: બંગાળમાં ચૂંટણી જીતવા ગર્જના કરી રહેલા મોદી ‘સત્તા’ મળતા જ ગુજરાતને ભૂલી ગયા છે!

Loss To Farmers: ગુજરાતના ખેડૂતોને લાગ્યું યુદ્ધનું ગ્રહણ,બટાકાની નિકાસ નહિ થતાં રૂ.6500 કરોડનું નુકસાન

  • March 18, 2026
  • 6 views
Loss To Farmers: ગુજરાતના ખેડૂતોને લાગ્યું યુદ્ધનું ગ્રહણ,બટાકાની નિકાસ નહિ થતાં રૂ.6500 કરોડનું નુકસાન

Iran War Update: અલી લારીજાની બાદ હવે કોનો વારો ? ઇઝરાયલે કહ્યું, “અમે મોજતબાને પણ મારી નાખીશું!” નેતન્યાહુનો નવો વિડીયો જાહેર, ઈરાનીઓને કહ્યું “નવરોઝ મુબારક”

  • March 18, 2026
  • 6 views
Iran War Update: અલી લારીજાની બાદ હવે કોનો વારો ? ઇઝરાયલે કહ્યું, “અમે મોજતબાને પણ  મારી નાખીશું!” નેતન્યાહુનો નવો વિડીયો જાહેર, ઈરાનીઓને કહ્યું “નવરોઝ મુબારક”