Ahmedabad: અમદાવાદમાં કરોડો રૂપિયાની જમીન કોણ હડપવા માંગે છે ? સૌથી મોટો ખુલાસો ! જુઓ વિડીયો

Ahmedabad: અમદાવાદમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ પ્રધાન અમિત શાહના મત વિસ્તારમાં આવેલી રૂપિયા 900 કરોડની જમીનનો વિવાદ સામે આવ્યો છે.જેમાં રૂ.900 કરોડમાંથી રૂ300 કરોડની જમીન કલેક્ટરે પોતાની પાસે લઈને જમીનનો મૂળ હેતુ બદલી નાંખી શૈક્ષણિક સંસ્થાને ફાયદો કરાવવા માટે અમદાવાદની ડ્રાઈવ ઈન રોડ સ્થિત મોકાની જમીનનો વિવાદ સામે આવ્યો છે.

40 વર્ષ સુધી શરત ભંગ થતી રહેલી અમવાદા જિલ્લા પંતાયતની 30 હજાર ચોરસ મીટરની જમીન એકાએક ખાલસા કરાવવાના બદલે 10 હજાર મીટર જમીન જ ખાલસા કરાવીને કલેક્ટર પોતાની પાસે લઈ લેવા માટે કોઈકના દબાણથી સર્વે નંબર 170 કામ કરી રહ્યાં હોવાના આરોપો છે.અગાઉ પણ મેટ્રો રેલ મખત માટે 469 મીટર જમીન લઈ લેવામાં આવી હતી,5 કરોડ આવેલાં જે પેવર બ્લોકમાં વાપરી નાંખ્યા હતા,સાણંદમાં એટલા પેવર બ્લોક ગયા છે એટલાથી આખી પૃથ્વીની પ્રદીક્ષણા થઈ શકે છે.

■જમીન મૂળ સીડ ફાર્મની હતી.

15 ફેબ્રુઆરી 1984માં જમીન 31120 ચોરસ મીટર જિલ્લા પંચાયતને કર્મચારીઓના આવાસ બનાવવા માટે આપવામાં આવી હતી.ચોરસ મીટરના રૂ. 55ના ભાવે રૂ. 4 લાખ 28 હજારમાં ખરીદ કરવામાં આવી હતી.પંચાયતી રાજ શરૂ થયું ત્યારે દરેક જિલ્લાને સરકાર જમીનો અપાવતાં હતા તે રાહત ભાવે જમીન આપી હતી.

5 માળના મકાનો બનાવ્યા તે પડી ગયા હતા,રમણ મહર્ષિ ટ્રસ્ટને જમીન આપી છે,હવે જમીન આપતાં નથી.આ જમીન માત્ર અમદાવાદ જિલ્લા પંચાયતના સ્ટાફ ક્વાર્ટર બનાવવાની શરત સાથે આપી હતી. શરત ભંગ થાય તો જમીન પરત લઈ શકાય તેમ છે.તેમ છતાં આ જમીન સ્વામિનારાયણ મંદિરને આપી દેવા માટે હિલચાલ થઈ હતી. જેનો વિરોધ કરતાં પે દરખાસ્ત પડતી મૂકવામાં આવી હતી. જે અંગેનો કેસ આજે પણ ગુજરાતની વડી અદાલતમાં ચાલી રહ્યો છે.આ જમીનમાં શરત ભંગ કરીને મેટ્રો રેલવે માટે મોટો ભાગ આપી દેવામાં આવ્યો છે. જેમાં કર્મચારી યુનિયનના એક હોદ્દેદારે મંજૂરી આપી હતી.

■જમીન અંગે કલેક્ટરની મંજૂરી લેવાની શકતી હતી.

■જમીન આપી ત્યારે 6 મહિનામાં કામ શરૂ કરવાનું હતું.

કબજો મળતાં અહીંના મકાનો બનાવવામાં આવી રહ્યાં હતા ત્યારે હલકી ગુણવત્તા હોવાથી તે તૂટી પડ્યાં હતા અને 8 મજૂરોના મોત થયા હતા.સરકાર ધારે તો આ જમીન ખાલસા કરાવી શકે તેમ હતી. પણ કરાવી નથી.10 – 9 – 1999માં રાજકોટના સ્વામિનારાયણ ગુરૂકુલને જમીન આપવા માટે સરકારને દરખાસ્ત કરી હતી. જિલ્લા પંચાયતના પ્રમુખ રમિલા દેસાઈએ 6 જૂન 1999ની સભામાં ઠરાવ કર્યો હતો. ભાજપના નેતાએ આ જમીન ગેરકાનુની રીતે આપી દેવા કાવતરૂં કર્યું હતું.

સ્વામિનારાયણની સંસ્થાના લોકો આ જમીન કોઈ પણ ભોગે લેવા માંગતા હોય એનો બીજો દાખલો એ છે કે, 21 નવેમ્બર 2026ના રોજ ફરીથી જિલ્લા પંચાયત સમક્ષ રમતગમતના મેદાન માટે માંગણી કરી હતી.માત્ર 1 રૂપિયામાં એક એકર એટલે કે 4047 મીટર જમીન માંગી હતી.1985થી 2025 સુધીના 40 વર્ષથી અહીં રહેવાના મકાનો બન્યા નથી. મેટ્રો રેલને ઘણી જમીન આપી દેવામાં આવી છે.4200 મીટરમાં પંચાયતના મકાનો બનેલા છે.

1 ઓક્ટોબર 2025ના દિવસે અમદાવાદ જિલ્લા કલેક્ટરને આ જમીન સ્ટાફ ક્વાર્ટરના બદલે જમીનનો હેતુ બદલી નાંખીને પરત મેળવવા માટે કાર્યવાહી કરી હતી.જિલ્લા પંચાયતે તેના કર્મચારીઓને રહેવા માટે મકાનો તો ન બનાવ્યા પણ આ જમીનનો હેતુ ફેર કરીને તે સ્થાને પોતાની ભવ્ય કચેરી બનાવવાની માંગણી કરીને હેતુ ફેર કરવા માટે કહ્યું હતું.કલેક્ટરે 30 હજાર મીટર જમીન જમીનમાંથી 20 હજાર મીટર જમીન જિલ્લા પંચાયત કચેરી બનાવવા રાખે અને બીજી 10 હજાર મીટર જમીન કલેક્ટર રાખી લેશે એવો આદેશ કર્યો હતો.

આ અંગે ચર્ચા કરી રહ્યા છે વરિષ્ઠ પત્રકાર દિલીપભાઈ પટેલ. જુઓ વીડિયો

આ પણ વાંચો:

Commonwealthgames2030:ગુજરાતમાં ‘ખેલકુદ’શિખવતા શિક્ષકો નથી અને ઓલેમ્પિકની વાતો થાય છે!

Prohibition in Gujarat is only on paper : ભાજપ ‘દારૂ અને ડ્રગ્સ’ના વેપારને ખુલ્લેઆમ પ્રોત્સાહન આપે છે!ઈમાનદાર પોલીસ અધિકારીઓને સાઈડ લાઈન કરાય છે!

Police action against farmers: કચ્છમાં અદાણીનો પાવર ચાલ્યો!હક્ક માંગી રહેલા 604 ખેડૂતો સામે પોલીસ કાર્યવાહી થતાં દેકારો!

Related Posts

જનતાનો વિજય તો પરાજય કોનો? સ્થાનિક સરકારોની ચૂંટણી વિશ્લેષણ
  • April 28, 2026

The Gujarat Report | ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપના વિજય અંગેનું વિસ્તૃત વિશ્લેષણ કરી રહ્યાં છે પત્રકાર જીતુભાઈ મહેતા તેમજ દિલીપભાઈ પટેલ. જેમાં મહત્વનો મુદ્દો એ છે કે અંબાજી, ડાકોર,…

Continue reading
Election: રાજ્યમાં 70 સ્થળે મતદાનનો જનતામાં વિરોધ:310 બૂથમાં મતદાનનો બહિષ્કાર
  • April 27, 2026

Election: 724 બેઠક બિનહરીફ કરીને 15 લાખ મતદારોના અધિકાર છીનવી દીધા હતા 4 કરોડ મતદારોમાંથી સરેરાશ 50 ટકા મતદાન ગણતાં 2 કરોડ મતદારોએ મતદાન નહીં કરીને આડકતરો વિરોધ કર્યો હતો.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Priyanka Chaturvedi: રેપના કેસોમાં ‘બેનિફિટ ઓફ ડાઉટ’ પર પ્રિયંકા ચતુર્વેદીનો આક્રોશ, ન્યાયવ્યવસ્થાની કામગીરી પર ઉઠાવ્યા સવાલ

  • May 4, 2026
  • 4 views
Priyanka Chaturvedi: રેપના કેસોમાં ‘બેનિફિટ ઓફ ડાઉટ’ પર પ્રિયંકા ચતુર્વેદીનો આક્રોશ, ન્યાયવ્યવસ્થાની કામગીરી પર ઉઠાવ્યા સવાલ

Iran US Nuclear Proposal: ઈરાનનો અમેરિકાને ૧૪-મુદ્દાનો નવો પ્રસ્તાવ, પરમાણુ મુદ્દે વાતચીતની ઓફર કે રાજદ્વારી દબાણની વ્યૂહરચના?

  • May 4, 2026
  • 4 views
Iran US Nuclear Proposal: ઈરાનનો અમેરિકાને ૧૪-મુદ્દાનો નવો પ્રસ્તાવ, પરમાણુ મુદ્દે વાતચીતની ઓફર કે રાજદ્વારી દબાણની વ્યૂહરચના?

Singrauli Tribal Man Assault: લાકડા વીણવા ગયેલા આદિવાસી યુવક પર હોકી સ્ટીકથી હુમલો, વીડિયો વાયરલ થતા ST એક્ટ હેઠળ કેસ નોંધાયો

  • May 4, 2026
  • 7 views
Singrauli Tribal Man Assault: લાકડા વીણવા ગયેલા આદિવાસી યુવક પર હોકી સ્ટીકથી હુમલો, વીડિયો વાયરલ થતા ST એક્ટ હેઠળ કેસ નોંધાયો

Surat Vesu Violent Clash: સુરતના પોશ વિસ્તારમાં ભયનો માહોલ, વેસુમાં બે જૂથો વચ્ચે હિંસક અથડામણ અને પથ્થરમારો

  • May 4, 2026
  • 8 views
Surat Vesu Violent Clash: સુરતના પોશ વિસ્તારમાં ભયનો માહોલ, વેસુમાં બે જૂથો વચ્ચે હિંસક અથડામણ અને પથ્થરમારો

Geeta Rajpurohit Suicide Case: ગીતા રાજપુરોહિત મૃત્યુ કેસમાં ગરમાવો: “આ આત્મહત્યા નહીં પણ હત્યા છે”, ન્યાય માટે રાજસ્થાનથી સમાજ ઉતર્યો મેદાને

  • May 4, 2026
  • 9 views
Geeta Rajpurohit Suicide Case: ગીતા રાજપુરોહિત મૃત્યુ કેસમાં ગરમાવો: “આ આત્મહત્યા નહીં પણ હત્યા છે”, ન્યાય માટે રાજસ્થાનથી સમાજ ઉતર્યો મેદાને

NEET Exam Kanthi Controversy: સુરતમાં NEET પરીક્ષા દરમિયાન ધાર્મિક આસ્થા અને ડ્રેસ કોડ વચ્ચે ટકરાવ, દીકરીની કંઠી ઉતરાવતા પિતાનો આક્રોશ

  • May 4, 2026
  • 9 views
NEET Exam Kanthi Controversy: સુરતમાં NEET પરીક્ષા દરમિયાન ધાર્મિક આસ્થા અને ડ્રેસ કોડ વચ્ચે ટકરાવ, દીકરીની કંઠી ઉતરાવતા પિતાનો આક્રોશ