
ઉત્તર પ્રદેશના લખનઉમાં એક હોટલની અંદર એક જ પરિવારના 5 લોકોની હત્યાનો બનાવ સામે આવતા સનસનાટી મચી ગઈ છે. મળી રહેલી માહિતી અનુસાર પરિવારના અંદરોદરના વિવાદના કારણે પુત્રએ જ માતા અને તેની ચાર બહેનોની હિચકારી હત્યા કરી દીધી છે. આ ઘટના લખનઉના નાકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી.
પારિવારિક કલેષ કારણે ખેલાયો ખૂની ખેલ
માહિતી મુજબ આગ્રાનો વતની પરિવાર લખનઉમાં આવેલી હોટલ શરણજીતમાં રોકાયો હતો. ઘટના બાદ પોલીસે પુત્રને કસ્ટડીમાં લઈ પૂછપરછ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં પારિવારિક વિવાદને કારણે હત્યા કરાઈ હોવાનો ખુલાસો થયો છે. મૃતદેહોનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે.
આ હિચકારૂ કૃત્ય કરનારા આરોપીનું નામ અર્શદ (24) છે. પોલીસ પૂછપરછ દરમિયાન તેણે હત્યાની કબૂલાત કરી છે. તેણે પોલીસને જણાવ્યું કે તેનો પરિવાર સાથે કોઈ મુદ્દે વિવાદ ચાલી રહ્યો હતો, જેના કારણે તેણે આ ગુનો કર્યો હતો.
મૃતકોના નામ
- આલિયા (ઉંમર 9 વર્ષ, બહેન)
- અલશિયા (ઉંમર 19, બહેન)
- અક્સા (ઉંમર 16 વર્ષ, બહેન)
- રહેમીન (ઉંમર 18 વર્ષ, બહેન)
- આસ્મા (માતા)