Makar Sankranti: ઉત્તરાયણનું પર્વ જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ ખાસ મહત્વ ધરાવે છે! વાંચો

  • Gujarat
  • January 14, 2026
  • 0 Comments

Makar Sankranti: આજે ઉત્તરાયણનું પર્વ છે,લોકો સવારમાં દાન-પુણ્ય કરી બાળકો સાથે ધાબા ઉપર પતંગ ફીરકી,ચિક્કીના લાડુ,નાસ્તો લઈ ચડી ગયા છે અને ઊંધિયા પુરી અને જલેબીના ઓર્ડર આપી દીધા છે,બધેજ ઉત્સાહનું વાતાવરણ છે પણ દોસ્તો આજના દિવસે આપણે અન્ય જીવોનું પણ ધ્યાન રાખવું જોઈએ જે પક્ષીઓ માળા માંથી નીકળવાના સમય અને સાંજના સમયે પતંગ ચગાવવામાં થોડું ધ્યાન રાખવાનું છે, આજના દિવસે કાતિલ દોરીથી અનેક પક્ષીઓ ઘાયલ થાય છે અને કાંતો મૃત્યુ પામે છે તેથી આ અબોલ જીવોનું ધ્યાન રાખવું આપણા સૌની ફરજ છે.

પતંગ રસિયાઓ માટે ગુડ ન્યૂઝ એ છે કે હવામાન વિભાગની આગાહી મુજબ આજે તા.14 જાન્યુઆરીના દિવસે પવનની ગતિ જળવાઈ રહેશે આજે ઉત્તર ઉત્તર -પૂર્વ તરફનાં પવન ફૂંકાશે. જ્યારે પવનની ગતિ 15 થી 20 કિમી પ્રતિ કલાકની રહેશે. પવનની દિશા ઉત્તરથી પૂર્વ તરફની રહેવાની છે.

હવેતો આ તહેવાર ભારત જ નહીં પણ વિદેશમાં પતંગ ઉડાડી ઉત્તરાયણનું પર્વ ઉજવાય રહ્યું છે પણ કાતિલ દોરીનો પ્રયોગ ન કરવો જોઈએ જેથી જીવ હિંસા થાય.

આજે   સાયન પદ્ધતિ પ્રમાણે વાત કરવામાં આવે તો સૂર્ય 22 ડિસેમ્બરની આસપાસ રાશિ પ્રવેશ કરે છે, જે ઋતુ ફેરફાર માટે મહત્વનો છે, જ્યારે નિરયન પદ્ધતિ મુજબ 14 જાન્યુઆરીના રોજ મકર સંક્રાંતિ ઉજવાય છે. આ દિવસે કરવામાં આવતી સૂર્ય પૂજા અને દાનનું વિશેષ ફળ મળતું હોવાની માન્યતા છે.

આજે વર્ષ 2026માં ઉત્તરાયણ પર્વ ઉપર સૂર્ય મકર રાશિમાં ક્યારે પ્રવેશ કરશે અને દાન-પુણ્યનું શું મહત્વ હોય છે તે અંગે જાણીશું.આજે સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ 14 જાન્યુઆરી, 2026 ને બુધવારના રોજ થવા જઈ રહ્યો છે.

●સમય: બપોરે 03:08 મિનિટે (IST)

●તિથિ: પોષ વદ 11

●નક્ષત્ર: અનુરાધા

●ચંદ્ર રાશિ: વૃશ્ચિક

●લગ્ન: વૃષભ

મકરસંક્રાંતિના દિવસે વર્ષોથી દાન કરવાનો મહિમા છે અને યથાશક્તિ દાન કરી શકાય છે જ્યોતિષ શાસ્ત્રમાં દાન કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થતી હોવાનું જણાવાયું છે.

આમતો મકરસંક્રાંતીના દિવસે આખો દિવસ દાન કરવા માટે શુભ માનવામાં આવે છે, પરંતુ આ વર્ષે બપોરે 3:08 વાગ્યે ઉત્તરાયણ શરૂ થશે અને 5:45 વાગ્યા સુધી ચાલશે જેથી ઉત્તરાયણનું પર્વ કુલ 2 કલાક અને 37 મિનિટ વધારે શુભ ગણી શકાય.

આજે તલ ભરેલા વાસણમાં વસ્ત્રનું દાન બ્રાહ્મણને આપવાથી મહાપાપ, મહાવ્યાધિ તથા રોગ અને ભયનો નાશ થાય છે.

ઉત્તરાયણ ઉપર તલ, વસ્ત્ર, ગોળ, વાસણનું દાન આપવાનો મહિમા છે ઉપરાંત તલનો હોમ કરવો, તલના લાડવામાં સિક્કા મૂકી ગુપ્તદાન કરી શકાય,ભારતીય પ્રાચીન સંસ્કૃતિમાં બહેન-દીકરીઓને ખીચડો આપવાની પરંપરા પણ છે.

આ પવિત્ર દિને ગાયોને ઘાસચારો ગરીબોને અન્ન, ગરમ વસ્ત્રોનું દાન આપવું, તલનું દાતણ કરવું, તલના તેલનું માલિશ કરવું, તલ અને ગોળનું સેવન કરવાની માન્યતા છે.
ઉત્તરાયણ ઉપર સૂર્યના સંપર્કમાં આવી પતંગ ચગાવવાથી વિટામિન ડી મળે છે.

ગોળ,તલ,ચીક્કી વગરે શરીરને ઠંડીથી રક્ષણ આપે છે વગરે પ્રાચીન સંસ્કૃતિમાં તહેવાર સાથે સાથે આરોગ્યનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે,આમ આપણા તહેવારો કોઈને કોઈ રીતે સમાજ વ્યવસ્થા આરોગ્ય અને એકબીજાને નજીક લાવવાનો અવસર હોય છે.
આમ,આજનું પર્વ પ્રાચીન માન્યતાઓ સાથે હર્ષનો સંગમ છે.

આ પણ વાંચો:

Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!

Narendramodi: પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યામાં પિતા વિઠ્ઠલ પંડ્યાએ નરેન્દ્ર મોદીને કેમ જવાબદાર ગણાવ્યા? 22 વર્ષ બાદ ફરી સળવળાટ!

Haryana: ભારતમાં બાંગ્લાદેશ-નેપાળ જેવા આંદોલનની જરૂર,નેતાઓને જાહેરમાં માર મારવો જોઈએ! ચૌટાલાના નિવેદનથી હંગામો

Social Media: ભાજપના નેતા ડો.ભરત કાનાબારે The Gujarat Report ઉપર કહ્યું:બાળકો માટે સોશ્યલ મીડિયા ઉપર પ્રતિબંધ ક્યારે?

 

 

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

Loss to farmers: ખેડૂતોને લૂંટવા નીકળી પડ્યા વચેટિયા! 3 રૂપિયે કિલો બટેટા ખરીદી ₹22માં કિલો વેચી રહયા છે!! આ ઉઘાડી લૂંટ માટે કોઈ કાયદો બનશે ખરો?
  • March 17, 2026

■ગુજરાતમાં બટાકાના ભાવ 60 ટકા ઘટી જતા રૂ.6500 કરોડનું ખેડૂતોને નુકસાન ■વધારે વાવેતર અને ખાડી યુદ્ધને લીધે નિકાસ અટકતા વચેટિયાઓને જલસો પડી ગયો છે. (દિલીપ પટેલ દ્વારા) અમદાવાદ, 17 માર્ચ…

Continue reading
ACB: ગુપ્તચર ખાતાના PI લાંચ લેતા ઝડપાયા! DYSP બને તે પહેલાંજ ‘ખેલ’ થઈ ગયો!! IBના અધિકારી ACBની જાળમાં ફસાયા!
  • March 15, 2026

ACB: સરકારી ખાતાઓમાં ઉંચા સરકારી પગાર અને પદ-પ્રતિષ્ઠા અને સગવડો મળતી હોવાછતાં કેટલાક એટલા બધા લોભિયા હોય છે કે પગારથી સંતોષ થતો નથી અને બે નંબરના પૈસા ક્યાંથી આવે તેમાં…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

  • March 18, 2026
  • 2 views
Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી

  • March 18, 2026
  • 4 views
BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી

NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?

  • March 18, 2026
  • 4 views
NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?

PM Modi: બંગાળમાં ચૂંટણી જીતવા ગર્જના કરી રહેલા મોદી ‘સત્તા’ મળતા જ ગુજરાતને ભૂલી ગયા છે!

  • March 18, 2026
  • 6 views
PM Modi: બંગાળમાં ચૂંટણી જીતવા ગર્જના કરી રહેલા મોદી ‘સત્તા’ મળતા જ ગુજરાતને ભૂલી ગયા છે!

Loss To Farmers: ગુજરાતના ખેડૂતોને લાગ્યું યુદ્ધનું ગ્રહણ,બટાકાની નિકાસ નહિ થતાં રૂ.6500 કરોડનું નુકસાન

  • March 18, 2026
  • 5 views
Loss To Farmers: ગુજરાતના ખેડૂતોને લાગ્યું યુદ્ધનું ગ્રહણ,બટાકાની નિકાસ નહિ થતાં રૂ.6500 કરોડનું નુકસાન

Iran War Update: અલી લારીજાની બાદ હવે કોનો વારો ? ઇઝરાયલે કહ્યું, “અમે મોજતબાને પણ મારી નાખીશું!” નેતન્યાહુનો નવો વિડીયો જાહેર, ઈરાનીઓને કહ્યું “નવરોઝ મુબારક”

  • March 18, 2026
  • 5 views
Iran War Update: અલી લારીજાની બાદ હવે કોનો વારો ? ઇઝરાયલે કહ્યું, “અમે મોજતબાને પણ  મારી નાખીશું!” નેતન્યાહુનો નવો વિડીયો જાહેર, ઈરાનીઓને કહ્યું “નવરોઝ મુબારક”