MNREGA Scam: દાહોદ ભાજપાના અન્ય નેતાઓની સંડોવણી બહારની શંકા પ્રબળ!

Dahod MNREGA Scam : દાહોદમાંથી બહાર આવેલા 71 કરોડથી વધુના કૌભાંડે રાજ્યભરમાં ચકચાર મચાવી દીધો છે. ભાજપા મંત્રી બચુ ખાબડના બે પુત્રોએ જ આ ભ્રષ્ટાચાર આચર્યો છે. સ્થાનિકોનો આરોપ છે કે જો આ મુદ્દે વધુ નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો, ગરીબ મજૂરોના આધારે જોબકાર્ડ બનાવી લાખો રૂપિયાની પડાવનાર અન્ય લોકોની સંડોવણી ખૂલી શકે છે.  એટલુ જ નહીં, મનરેગા કૌભાંડમાં ભ્રષ્ટ અધિકારી જ નહી, દાહોદ જિલ્લાના ભાજપાના સ્થાનિક નેતાઓની પણ સંડોવણી  બહાર આવે તેવી શક્યતાઓ છે.

દાહોદ જીલ્લામાં દેવગઢ બારિયા અને ધાનપુરમાં તળાવ ઊંડાં કરાયાં નથી, હેન્ડપંપ રિપેર થયા નથી, ચેકડેમ કે મેટલના રસ્તા બનાવાયા નથી તેમ છતાંય રાજ્યકક્ષાના કૃષિમંત્રી બચુ ખાબડના બે પુત્રોની એજન્સીઓને બારોબાર લાખો રૂપિયા ચૂકવી દેવાયાં છે. સ્થાનિકોમાં ચર્ચા છે કે ગરીબોને હજુ સુધી રોજગારી આપમાં આવી નથી. માત્ર મંત્રીના પુત્રો બનાવટી કરી ગરબો નામે રુપિયા ચાઉ કરી  જતાં હતા.

કોણે કૌભાંડ આચર્યું?

બળવંત ખાબડ અને કિરણ ખાબડ આ બંને ગુજરાત સરકારના પંચાયત અને કૃષિ રાજ્યમંત્રી બચુ ખાબડના પુત્રો છે. તેમની એજન્સીઓ, શ્રી રાજ ટ્રેડર્સ અને શ્રી રાજ કન્સ્ટ્રક્શન, મનરેગા યોજના હેઠળ કામો મેળવવામાં સામેલ હતી. આરોપ છે કે તેમણે ખોટા બિલો રજૂ કરીને કરોડો રૂપિયા હડપ કર્યા.

દર્શન પટેલ (પૂર્વ TDO) તે દેવગઢ બારિયા અને ધાનપુરના તત્કાલીન તાલુકા વિકાસ અધિકારી (TDO) હતા. તેમના પર આરોપ છે કે તેમણે ખોટા કામોને મંજૂરી આપી અને ગેરરીતિઓને પ્રોત્સાહન આપ્યું.

અન્ય અધિકારીઓ

દીલિપ ચૌહાણ (APO) અને ભાવેશ રાઠોડ (APO) જેવા અધિકારીઓ પણ આ કૌભાંડમાં સામેલ હોવાનું કહેવાય છે. કુલ 14 લોકોની ધરપકડ થઈ છે, જેમાં 10 સરકારી અધિકારીઓ અને 4 એજન્સીઓ સાથે જોડાયેલા વ્યક્તિઓનો સમાવેશ થાય છે. જ્યારે 35 એજન્સીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે, જેમાંથી કેટલીક ખાબડ પરિવાર સાથે જોડાયેલી હોવાનું કહેવાય છે.

કેવી રીતે કૌભાંડ આચરવામાં આવ્યું?

આ કૌભાંડ 2021થી 2025 દરમિયાન થયું હોવાનું માનવામાં આવે છે. લોકોના ખોટા જોબ કાર્ડ બનાવા  હતા. એવા લોકોના નામે જોબ કાર્ડ બનાવવામાં આવ્યા, જેમણે ક્યારેય કામ કર્યું ન હતું, જેમ કે મૃત વ્યક્તિઓ, બાળકો. આ ખોટા જોબ કાર્ડ્સના આધારે લાખો રૂપિયાની ચૂકવણી કરવામાં આવી, જે એજન્સીઓ અને અધિકારીઓના ખિસ્સામાં ગઈ.

બનાવટી કામો

કાગળ પર બતાવેલા કામો, જેમ કે ખેત તલાવડીઓ, ચેકડેમ, અથવા પશુઓ માટેના શેડ, હકીકતમાં થયા જ ન હતા અથવા અધૂરા હતા. તેમ છતાં કામ પૂર્ણ થઈ ગયું હોવાનું કહી બનાવટી કરી હતી.

નબળી ગુણવત્તાના કામો

જે કામો થયા, તેમાં ગુણવત્તા ખૂબ જ નબળી હતી, પરંતુ તેના માટે પૂરા નાણાં ચૂકવવામાં આવ્યા. આવા કામોમાં ખોટા બિલો રજૂ કરીને નાણાંની ઉચાપત કરવામાં આવી હતી.

સત્તાનો દુરુપયોગ

આરોપ છે કે બચુ ખાબડના પરિવારની એજન્સીઓને મોટા ભાગના કામો આપવામાં આવ્યા, જેમાં નિયમોનું ઉલ્લંઘન થયું. અધિકારીઓએ આ એજન્સીઓને ફાયદો પહોંચાડવા માટે ખોટા રિપોર્ટસ અને બિલો મંજૂર કર્યા.

સોશિયલ ઓડિટની અવગણના

મનરેગા યોજનામાં પારદર્શિતા માટે સોશિયલ ઓડિટ જરૂરી છે, પરંતુ આ કિસ્સામાં ઓડિટ નિયમિત રીતે થયું ન હતું, જેના કારણે ગેરરીતિઓ લાંબા સમય સુધી છુપાઈ રહી.

કેવી રીતે બહાર આવ્યું?

કોંગ્રેસની રજૂઆત

વિપક્ષના નેતા અમિત ચાવડાએ દાહોદની મુલાકાત લઈને સ્થાનિક લોકોની ફરિયાદો સાંભળી અને વિધાનસભામાં આ મુદ્દો ઉઠાવ્યો. તેમણે મુખ્યમંત્રીને પુરાવા સોંપ્યા, જે બાદ તપાસ શરૂ થઈ.

પોલીસ ફરિયાદ

24 એપ્રિલ, 2025ના રોજ દાહોદના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ, જેમાં 35 એજન્સીઓ સામે કેસ દાખલ થયો.

ધરપકડ:

બળવંત ખાબડ, કિરણ ખાબડ, દર્શન પટેલ અને અન્ય 10 અધિકારીઓની ધરપકડ થઈ. કિરણ ખાબડના ચાર દિવસના રિમાન્ડ મંજૂર થયા.

રાજકીય હોબાળો

આ કૌભાંડે ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચાવ્યો છે. વિપક્ષે બચુ ખાબડના રાજીનામાની માંગ કરી છે, જ્યારે તેમણે પોતાના બચાવમાં કહ્યું છે કે તેઓ તપાસમાં સહકાર આપશે અને “ભાગેડુ મંત્રી” નથી.

મનરેગા કચેરીઓ બંધ

આ ગેરરીતિઓને કારણે દાહોદની મનરેગા શાખાની કચેરીઓ બંધ થઈ ગઈ છે, જેની અસર ગરીબોની રોજગારી પર પડી રહી છે.

આ પણ વાંચો:

Indigo Flight મામલે નવો ખુલાસો: પાકિસ્તાને પોતાના એરસ્પેસમાં ઉડાનની મંજૂરી આપી ન હતી!

UP: ભત્રીજા સાથે મળી પત્નીએ પતિને મારી નાખ્યો, કાકી-ભત્રીજાનો કેવી રીતે ભાંડો ફૂટ્યો?

 Gondal dispute: અલ્પેશ કથીરિયાએ હર્ષ સંઘવીને મળી શું કરી વાત?

UP: પ્રેમલગ્ન બાદ યુવક ગર્ભવતી પત્નીને ઘરે લઈ પહોંચ્યો, મળ્યો કરુણ અંજામ!, પત્નીની લાશ ખેતરમાંથી મળી

Donald Trump ના માથે ફરી સંઘર્ષવિરામનું ભૂત ધૂણ્યું, ‘સંઘર્ષનો ઉકેલ વ્યવસાયથી લાવ્યો’

ટ્રમ્પ ઝેલેન્સકી પછી બીજા નેતા સાથે બાખડ્યા, આ વખતે મળ્યો જવાબ! | Donald Trump

હવે, PM મોદી સાહેબ Blood Donation નહીં કરી શકે…!

‘ ED હદો વટાવે છે’, 1 હજાર કરોડના દારૂ કૌભાંડની તપાસમાં સુપ્રીમની ED ને લપડાક

Ahmedabad:  કેબલ ચોરી થતાં વસ્ત્રાલથી થલતેજ તરફની મેટ્રો ટ્રેન બંધ

IAS વિક્રાંત પાંડેની ગુજરાતમાં વાપસી કેમ? | Vikrant Pandey

Ahmedabad: ગુરુકુળ વિસ્તાર પાસેની ઈમારતમાં આગ લાગતાં દોડધામ!

Indigo Flight: દિલ્હીથી શ્રીનગર જતું વિમાન તૂટ્યું!, જાણો શું થયું!

 

Related Posts

Loss to farmers: ખેડૂતોને લૂંટવા નીકળી પડ્યા વચેટિયા! 3 રૂપિયે કિલો બટેટા ખરીદી ₹22માં કિલો વેચી રહયા છે!! આ ઉઘાડી લૂંટ માટે કોઈ કાયદો બનશે ખરો?
  • March 17, 2026

■ગુજરાતમાં બટાકાના ભાવ 60 ટકા ઘટી જતા રૂ.6500 કરોડનું ખેડૂતોને નુકસાન ■વધારે વાવેતર અને ખાડી યુદ્ધને લીધે નિકાસ અટકતા વચેટિયાઓને જલસો પડી ગયો છે. (દિલીપ પટેલ દ્વારા) અમદાવાદ, 17 માર્ચ…

Continue reading
ACB: ગુપ્તચર ખાતાના PI લાંચ લેતા ઝડપાયા! DYSP બને તે પહેલાંજ ‘ખેલ’ થઈ ગયો!! IBના અધિકારી ACBની જાળમાં ફસાયા!
  • March 15, 2026

ACB: સરકારી ખાતાઓમાં ઉંચા સરકારી પગાર અને પદ-પ્રતિષ્ઠા અને સગવડો મળતી હોવાછતાં કેટલાક એટલા બધા લોભિયા હોય છે કે પગારથી સંતોષ થતો નથી અને બે નંબરના પૈસા ક્યાંથી આવે તેમાં…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

  • March 18, 2026
  • 2 views
Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી

  • March 18, 2026
  • 4 views
BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી

NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?

  • March 18, 2026
  • 4 views
NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?

PM Modi: બંગાળમાં ચૂંટણી જીતવા ગર્જના કરી રહેલા મોદી ‘સત્તા’ મળતા જ ગુજરાતને ભૂલી ગયા છે!

  • March 18, 2026
  • 6 views
PM Modi: બંગાળમાં ચૂંટણી જીતવા ગર્જના કરી રહેલા મોદી ‘સત્તા’ મળતા જ ગુજરાતને ભૂલી ગયા છે!

Loss To Farmers: ગુજરાતના ખેડૂતોને લાગ્યું યુદ્ધનું ગ્રહણ,બટાકાની નિકાસ નહિ થતાં રૂ.6500 કરોડનું નુકસાન

  • March 18, 2026
  • 5 views
Loss To Farmers: ગુજરાતના ખેડૂતોને લાગ્યું યુદ્ધનું ગ્રહણ,બટાકાની નિકાસ નહિ થતાં રૂ.6500 કરોડનું નુકસાન

Iran War Update: અલી લારીજાની બાદ હવે કોનો વારો ? ઇઝરાયલે કહ્યું, “અમે મોજતબાને પણ મારી નાખીશું!” નેતન્યાહુનો નવો વિડીયો જાહેર, ઈરાનીઓને કહ્યું “નવરોઝ મુબારક”

  • March 18, 2026
  • 5 views
Iran War Update: અલી લારીજાની બાદ હવે કોનો વારો ? ઇઝરાયલે કહ્યું, “અમે મોજતબાને પણ  મારી નાખીશું!” નેતન્યાહુનો નવો વિડીયો જાહેર, ઈરાનીઓને કહ્યું “નવરોઝ મુબારક”