
MODI: લોકસભામાં ૧૩૧મું બંધારણીય સુધારો બિલ પસાર થઈ શક્યું નહિ એ મોદી સરકાર માટે એક મોટો રાજકીય આંચકો માનવામાં આવે છે.સીમાંકન અને મહિલા અનામતના અમલીકરણ સાથે સંબંધિત બંધારણ (૧૩૧મો સુધારો) બિલ, ૨૦૨૬, ૧૭ એપ્રિલ, ૨૦૨૬ ના રોજ લોકસભામાં પસાર થવામાં નિષ્ફળ ગયું,સંવેદનશીલ મુદ્દાઓ સાથે જોડાયેલું આ બિલ જરૂરી બે-તૃતીયાંશ બહુમતી મેળવવામાં નિષ્ફળ રહ્યું જેછેલ્લા ૧૨ વર્ષમાં મોદી સરકાર માટે આ પહેલી મોટી કાયદાકીય હાર માનવામાં આવે છે જ્યાં ગૃહમાં બંધારણીય સુધારો બિલ નિષ્ફળ ગયું છે.
વિપક્ષી નેતાઓ, ખાસ કરીને દક્ષિણ અને ઉત્તરપૂર્વીય રાજ્યોના નેતાઓએ દલીલ કરી હતી કે 2011 ની વસ્તી ગણતરીના આધારે સીમાંકનથી વસ્તી નિયંત્રણમાં સફળતા પ્રાપ્ત કરનારા રાજ્યોની બેઠકો ઓછી થશે.પહેલી નજરે નિષ્ફળતાના મુખ્ય કારણોમાં વિપક્ષનો વિરોધ અને ગઠબંધનના સાથી પક્ષો વચ્ચે સીમાંકનના મુદ્દે રહેલા મતભેદો હોવાનું જણાય છે પણ ખરેખર આંતરિક બાબતો કઈક અલગ પણ હોય શકે છે.આ મુદ્દા ઉપર સિનિયર પત્રકારો મયુર જાની અને મેહુલ વ્યાસે વિસ્તુત છણાવટ કરી હતી અને આખા મામલામાં ખાસ કરીને ભાજપની નીતિ શુ હતી તેની સ્પષ્ટતા કરી હતી આ વીડિયો જોવાનું ચૂકશો નહિ,પ્રસ્તુત છે વિડીયો.
આ પણ વાંચો:
OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!









