
Modi: જાણીતા વાસ્તુ શાસ્ત્રી કુલદીપ સલુજાએ વરિષ્ઠ પત્રકાર મયુર જાની સાથે નવા સંસદ ભવનના આકાર અને ડિઝાઇન પર વિસ્તુત ચર્ચા કરી હતી અને આ ઈમારત શુભ નહિ હોવાનો મત વ્યક્ત કર્યો હતો તેમના મતે આ ઇમારતનો ત્રિકોણાકાર આકાર વાસ્તુ દ્રષ્ટિકોણથી અશુભ માનવામાં આવે છે, કારણ કે તે ‘અગ્નિ’નું પ્રતીક છે, જે વિવાદો અથવા તણાવ તરફ દોરી શકે છે.
■સેવા તીર્થ
તાજેતરમાં ચાલુ વર્ષના ફેબ્રુઆરીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં સેવા તીર્થ સંકુલનું ઉદ્ઘાટન કર્યું. આ સંકુલમાં હવે વડા પ્રધાન કાર્યાલય (PMO), રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલય અને કેબિનેટ સચિવાલય એક જ છત નીચે છે. આ પ્રોજેક્ટ ₹12 બિલિયન (1,200 કરોડ) થી વધુના ખર્ચે બનાવવામાં આવ્યો છે જે અંગે પણ સલુજાએ પોતાનો મત વ્યક્ત કરતા કહ્યું કે મોટા રોકાણ છતાં, જો વાસ્તુ સિદ્ધાંતોને અવગણવામાં આવે છે, તો તે દેશની પ્રગતિ અને શાંતિને અવરોધી શકે છે સેવા તીર્થ દેશની કેટલી સેવા કરી શકશે?
બીજી તરફ સરકારનું માનવું છે કે એકજ સંકુલમાં વડા પ્રધાન કાર્યાલય અને મુખ્ય સચિવાલયોને એક છત નીચે લાવવાથી નિર્ણય લેવાની પ્રક્રિયા ઝડપી બનશે, આ સંકુલ આગામી કેટલાક દાયકાઓની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યું છે, જે સરકારી કામગીરીમાં પારદર્શિતા અને ગતિ લાવવાની અપેક્ષા છે સંરક્ષણ, નાણા, આરોગ્ય અને કૃષિ જેવા મુખ્ય મંત્રાલયોને કર્તવ્ય ભવન-1 અને 2 માં સેવા તીર્થ સાથે એકીકૃત કરવામાં આવ્યા છે, જે આંતર-વિભાગીય સંકલનમાં સુધારો કરશે,સરકાર તેને આધુનિક ભારતની શક્તિનું પ્રતીક માને છે,જ્યારે કુલદીપ સલુજાએ સાવધાની રાખવાની સલાહ આપી છે.
આ મુદ્દા ઉપર કુલદીપ સલુજાએ જે વાત કરી તે વીડિયોમાં અહીં પ્રસ્તુત છે,જુઓ વિડીયો.
આ પણ વાંચો:
OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!








