Political News: ભારતમાં ગુનાહિત રેકર્ડ ધરાવતા રાજકીય નેતાઓનું રાજ ; 2,000 સાંસદ – ધારાસભ્ય ગુનાહિત રેકર્ડ ધરાવે છે!!

◆ નરેન્દ્ર મોદીએ 12 વર્ષમાં વચન ન પાળ્યું ! જુઓ,દિલીપ પટેલે કરેલું ધારદાર વિશ્લેષણ

Political News: ભારતની લોકશાહીમાં કોઈપણ ઉંમરે અને કોઈપણ લાયકાત વગર અને ક્રિમિનલ રેકોર્ડ હોયતો પણ નેતાજી બનીને મોટા મોટા ડિગ્રીધારી અધિકારીઓ ઉપર હુકમ ચલાવી શકાય છે અને લાખ્ખો રૂપિયાનું વેતન-સુખ સુવિધાઓ ભોગવી શકાય છે એટલે જ આપણા દેશમાં કમનસીબે રાજકારણમાં મોટાપાયે ગંભીર પ્રકારના કથિત ગુનેગારો નેતાઓ બનીને રાજ કરી રહયા છે.

દેશના ૪૭% મંત્રીઓ ફોજદારી કેસોનો સામનો કરી રહ્યા છે જેમાં ૬૫૩ માંથી ૧૭૪ મંત્રીઓ પર હત્યા અને બળાત્કાર જેવા ગંભીર આરોપો છે, આવા નેતાઓમાં ભાજપના ૧૩૬ અને કોંગ્રેસના ૪૫ મંત્રીઓનો સમાવેશ થાય છે.

દેશભરના ૩૦૨ મંત્રીઓ (આશરે ૪૭%) એ કબૂલ્યું છે કે તેમની સામે ફોજદારી કેસ થયેલા છે. તેમાંથી ૧૭૪ પર હત્યા, અપહરણ અને મહિલા અત્યાચાર-શોષણ જેવા ગંભીર આરોપો છે,કેન્દ્ર સરકારના ૭૨ મંત્રીઓમાંથી ૨૯ (૪૦%) પર ફોજદારી કેસ નોંધાયેલા છે,ચૂંટણી સુધારણા સંગઠન, એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) ના એક અહેવાલમાં આ માહિતી સામે આવી છે.

ADR એ ૨૭ રાજ્યો, ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશો અને કેન્દ્ર સરકારના ૬૪૩ મંત્રીઓના સોગંદનામાનું વિશ્લેષણ કર્યું હતું જેમાં નેતાઓના ગુનાહિત રેકોર્ડનો પર્દાફાશ થયો છે ADR એ એમ પણ ઉમેર્યુ હતું કે રિપોર્ટ પર આધારિત સોગંદનામા ૨૦૨૦ થી ૨૦૨૫ વચ્ચેની ચૂંટણી દરમિયાન દાખલ થયેલા છે જેથી આ કેસોની વર્તમાન સ્થિતિ બદલાઈ શકે છે.

● દેશના મુખ્ય પક્ષોના ગુનાહિત રેકર્ડ ધરાવતા નેતાઓની સ્થિતિ આ મુજબ છે.

ભાજપ: ૩૩૬ મંત્રીઓમાંથી, ૧૩૬ (૪૦%) પર ગુનાહિત કેસ છે, જ્યારે ૮૮ (૨૬%) પર ગંભીર આરોપો છે.

કોંગ્રેસ: ૬૧ મંત્રીઓમાંથી, ૪૫ (૭૪%) પર કેસ છે, અને ૧૮ (૩૦%) પર ગંભીર આરોપો છે.

ડીએમકે: ૩૧ મંત્રીઓમાંથી, ૨૭ (૮૭%) પર આરોપી છે, અને ૧૪ (૪૫%) પર ગંભીર આરોપો છે.

ટીએમસી: ૪૦ મંત્રીઓમાંથી, ૧૩ (૩૩%) પર કેસ છે, અને ૮ (૨૦%) પર ગંભીર આરોપો છે.

તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી): ૨૩ મંત્રીઓમાંથી, ૨૨ (૯૬%) પર આરોપી છે, અને ૧૩ (૫૭%) પર ગંભીર આરોપો છે.

આમ આદમી પાર્ટી: ૧૬ મંત્રીઓમાંથી, ૧૧ (૬૯%) પર આરોપી છે, અને ૫ (૩૧%) પર ગંભીર આરોપો છે.

● ૧૧ રાજ્યોના ૬૦% મંત્રીઓ ગુનેગાર છે

આંધ્રપ્રદેશ, તમિલનાડુ, બિહાર, ઓડિશા, મહારાષ્ટ્ર, કર્ણાટક, પંજાબ, તેલંગાણા, હિમાચલ પ્રદેશ, દિલ્હી અને પુડુચેરીમાં ૬૦% થી વધુ મંત્રીઓ ગુનાહિત કેસોમાં આરોપી છે,બીજી બાજુ, હરિયાણા, જમ્મુ અને કાશ્મીર, નાગાલેન્ડ અને ઉત્તરાખંડમાં કોઈ મંત્રી સામે કોઈ ગુનાહિત કેસ નોંધાયેલ નથી.

●૬૪૩ મંત્રીઓની સંપત્તિનું વિશ્લેષણ

આ ૬૪૩ મંત્રીઓની કુલ સંપત્તિ ₹૨૩,૯૨૯ કરોડ છે. સરેરાશ, દરેક મંત્રી પાસે ₹૩૭.૨૧ કરોડની સંપત્તિ છે. ૩૦ વિધાનસભાઓમાંથી ૧૧ વિધાનસભાઓમાં અબજોપતિ મંત્રીઓ છે. કર્ણાટકમાં સૌથી વધુ આઠ અબજોપતિ મંત્રીઓ છે, ત્યારબાદ આંધ્રપ્રદેશમાં છ અને મહારાષ્ટ્રમાં ચાર છે. કેન્દ્ર સરકારના ૭૨ મંત્રીઓમાંથી છ (૮%) અબજોપતિ છે.

ભારતભરના સાંસદો અને ધારાસભ્યોના વિશ્લેષણ દર્શાવે છે કે 31% સાંસદો અને 29% ધારાસભ્યોએ પોતાની સામે ગંભીર ગુનાહિત આરોપો જાહેર કર્યા છે. આ વિશ્લેષણ તાજેતરની સંસદીય ચૂંટણીઓ અને દરેક રાજ્યમાં વિધાનસભા ચૂંટણીઓ પછી તરત જ હાથ ધરવામાં આવ્યું હોવાથી, કેટલાક વર્તમાન સાંસદો અને ધારાસભ્યોની સ્થિતિ અસ્પષ્ટ છે.

ચૂંટણી સુધારા પર કામ કરતી NGO એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) ના એક અહેવાલમાં ખુલાસો થયો છે કે દેશના 45% ધારાસભ્યો સામે ફોજદારી કેસ છે. ADR એ 28 રાજ્યો અને વિધાનસભાઓ ધરાવતા ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશોમાં 4,123 ધારાસભ્યોમાંથી 4,092 ધારાસભ્યોના ચૂંટણી સોગંદનામાનું વિશ્લેષણ કર્યું.

રિપોર્ટમાં જણાવાયું છે કે ૧,૮૬૧ ધારાસભ્યોએ પોતાની વિરુદ્ધ ફોજદારી કેસ જાહેર કર્યા છે. તેમાંથી ૧,૨૦૫ પર હત્યા, હત્યાનો પ્રયાસ, અપહરણ અને મહિલાઓ વિરુદ્ધ ગુના જેવા ગંભીર આરોપો છે.

૨૪ ધારાસભ્યોના સોગંદનામાનું વિશ્લેષણ ખરાબ સ્કેનીંગને કારણે થઈ શક્યું નથી, જ્યારે વિધાનસભાઓમાં સાત બેઠકો ખાલી છે.

આમ, આ મુદા ઉપર સિનિયર પત્રકાર દિલીપ પટેલે વિસ્તૃત વિશ્લેષણ કર્યું છે જે અત્રે પ્રસ્તુત છે,નીચે આપેલો વિડીયો જોવાનું ચૂકશો નહિ.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

Surendranagar: સુરેન્દ્રનગરમાં મતદારોના નામો કમી કરવા મામલે જોરદાર વિરોધ, જુઓ ખાસ ચર્ચા
  • February 13, 2026

Surendranagar: સમગ્ર રાજ્યમાં હાલ ફોર્મ7 ભરીને લાખ્ખો નામ રદ કરવાના થયેલા પ્રયાસો સામે વિપક્ષ દ્વારા ભારે વિરોધ થયો છે ત્યારે આવુજ કઈક સુરેન્દ્રનગરમાં પણ થયું છે.જિલ્લામાં ફોર્મ 7 ભરી મતદાર…

Continue reading
Kutch: વિકાસ ગૌચર ગળી જશે! ગાય માતાના મોઢાનો કોળિયો છીનવી ન લેવા ચારણ સમાજની બહેનોએ મોદીને પત્ર લખ્યો!
  • February 13, 2026

Kutch: કચ્છમાં મોટાપાયે ખાનગી કંપનીઓને જમીનો પધરાવાઈ રહી છે ત્યારે હવે ગૌ માતા સહિતના દુધાળા પશુઓના મોઢામાંથી કોળિયો છીનવવાની સરકારની હિલચાલનો માલધારી સમાજની બહેનોએ વિરોધ કર્યો છે.કચ્છમાં વિકાસના ઓઠા હેઠળ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Yogi Adityanath: બધાજ શંકરાચાર્ય ન બની શકે! યોગી આદિત્યનાથનું નિવેદન, બેઉ “ભગવા” બાથે વળગ્યા! હિન્દુત્વનો ફુગ્ગો ફૂટી ગયો!!

  • February 14, 2026
  • 3 views
Yogi Adityanath: બધાજ શંકરાચાર્ય ન બની શકે!  યોગી આદિત્યનાથનું નિવેદન, બેઉ “ભગવા” બાથે વળગ્યા! હિન્દુત્વનો ફુગ્ગો ફૂટી ગયો!!

Surendranagar: સુરેન્દ્રનગરમાં મતદારોના નામો કમી કરવા મામલે જોરદાર વિરોધ, જુઓ ખાસ ચર્ચા

  • February 13, 2026
  • 3 views
Surendranagar: સુરેન્દ્રનગરમાં મતદારોના નામો કમી કરવા મામલે જોરદાર વિરોધ, જુઓ ખાસ ચર્ચા

Kutch: વિકાસ ગૌચર ગળી જશે! ગાય માતાના મોઢાનો કોળિયો છીનવી ન લેવા ચારણ સમાજની બહેનોએ મોદીને પત્ર લખ્યો!

  • February 13, 2026
  • 3 views
Kutch: વિકાસ ગૌચર ગળી જશે! ગાય માતાના મોઢાનો કોળિયો છીનવી ન લેવા ચારણ સમાજની બહેનોએ મોદીને પત્ર લખ્યો!

India: અમેરિકા-યુરોપ અને ભારતની ટ્રેડ ડીલથી નરેન્દ્ર મોદી સામે કેમ આંગળીઓ ઉઠી રહી છે? જુઓ વિસ્તૃત વિશ્લેષણ

  • February 12, 2026
  • 6 views
India: અમેરિકા-યુરોપ અને ભારતની ટ્રેડ ડીલથી નરેન્દ્ર મોદી સામે કેમ આંગળીઓ ઉઠી રહી છે? જુઓ વિસ્તૃત વિશ્લેષણ

Banas Dairy: બનાસ ડેરીમાં ₹ 121 કરોડનુ કૌભાંડ! જાગૃત નાગરિકે તપાસની માંગ સાથે શરૂ કર્યું ઉપવાસ આંદોલન

  • February 12, 2026
  • 4 views
Banas Dairy: બનાસ ડેરીમાં ₹ 121 કરોડનુ કૌભાંડ! જાગૃત નાગરિકે તપાસની માંગ સાથે શરૂ કર્યું ઉપવાસ આંદોલન

Donald Trump: મોદી સાહેબના પર્સનલ મિત્રો વિશે જાણો, ડોનાલ્ટ ટ્રમ્પ વિશે શું કહો છો?

  • February 11, 2026
  • 6 views
Donald Trump: મોદી સાહેબના પર્સનલ મિત્રો વિશે જાણો, ડોનાલ્ટ ટ્રમ્પ વિશે શું કહો છો?