
SIR: રાજ્યમાં SIRની કામગીરી દરમિયાન વિપક્ષ પહેલેથીજ તેનો વિરોધ કરી રહ્યું છે ત્યારે હવે SIRની કામગીરી બાદ હવે મતદાર યાદી જાહેર થવાની રાહ જોવાતી હતી પણ આ પહેલાં વિપક્ષોએ ગંભીર પ્રકારના આરોપો લગાવી ફોર્મ-7નો દૂરપયોગ કરી ગુજરાતમાં 10 લાખ મતદારોના નામ મતદાર યાદીમાંથી કમી કરવાની મોટી ગોલમાલ કરવામાં આવી હોવાનો ધડાકો કરતા ભારે ચકચાર મચી ગઇ છે, હવે આ મામલે વિપક્ષ દ્વારા પુરાવા રજૂ કરાતા રાજ્ય ચૂંટણીપંચે ભેદી મૌન ધારણ કરી લીધું છે.
બીજી તરફ પુરાવા પોતાની પાસે હોવાનું જણાવી વિપક્ષ દ્વારા એવી ચિમકી ઉચ્ચારી અપાઈ છે કે, જો ચૂંટણી પંચ વિગતો જાહેર નહી કરે તો, રાજ્યભરમાં કલેક્ટર કચેરીનો ઘેરાવથી માંડીને વિરોધ પ્રદર્શન- આંદોલન થશે.હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી મામલો લઈ જશે.વિપક્ષનો આરોપ છે કે મતદારોની જાણ બહાર ખોટી વિગતો સાથે ફોર્મ-7 ભરી દેવાયા છે અને આખા રાજ્યમાં ભાજપના કાર્યકરોએ આવા લાખો ફોર્મ-7 ભર્યા હોવાનો આક્ષેપ કર્યો છે.
પહેલા વોટચોરી કરી અને હવે બારોબાર ફોર્મ-7 ભરીને મતદારોના નામ કમી કરવા બીએલઓ પર રાજકીય દબાણ આવ્યું હોવાનું પણ કહેવામાં આવ્યું છે ત્યારે આ મુદ્દા ઉપર The Gujarat Reportના MD મયુર જાની તેમજ સિનિયર પત્રકાર દીલીપ પટેલે કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદિન શેખ સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી જે અત્રે પ્રસ્તુત છે,જોવાનું ચૂકશો નહિ.
આ પણ વાંચો:
Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા



