
Narendramodi: અમેરિકા સાથેની ભારતની ટ્રેડડીલ અંગે ભલે મોદી સરકાર ભલે ગમે તે કહે પણ ટ્રમ્પ અને અમેરિકન કૃષિમંત્રીએ જે રીતે તેમના દેશના ખેડૂતોને જે કહ્યું અને વટાણા વેરી નાખ્યા તેનાથી ભારતીય ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર માહિતી આપી છે કે, “ભારત અમેરિકન વસ્તઓ પર ટેરિફ અને નૉન ટેરિફ બૅરિયર્સને શૂન્ય કરી દેશે. તેઓએ કહ્યું કે ભારતના વડા પ્રધાને અમેરિકાથી વધુ ખરીદી અંગે સંમતિ વ્યક્ત કરી છે, જેમાં 500 અબજ ડૉલરથી વધુની અમેરિકન ઊર્જા, ટૅક્નૉલૉજી, કૃષિ, કોલસો અને અન્ય ઘણી પેદાશોની ખરીદી સામેલ છે.”
એ બાદ અમેરિકન કૃષિમંત્રી બ્રુક રોલિેસે પણ આ ડીલને અમેરિકન ખેડૂતો માટે લાભદાયક ગણાવતાં કહ્યું કે ‘અમેરિકન કૃષિ પેદાશોની ભારતના વિશાળ બજાર સુધી પહોંચ’ વધતા અને તેનાથી ‘1.3 અબજ ડૉલરના ભારત સાથે અમેરિકન કૃષિ વેપાર નુકસાનને ઘટાડવામાં મદદ’ મળશે.
હવે મોદી સરકાર કહે છે કે એવું કંઈ નથી પણ અમેરિકાના નેતાઓ કહે છે કે અમેરિકન કૃષિ પેદાશ ભારતમાં વેચાશે જેનાથી અમેરિકાના ખેડૂતોને ફાયદો થશે, ત્યારે સ્વાભાવિક રીતેજ ગુજરાત સહિત સમગ્ર ભારતના ખેડૂતોમાં ચિંતા છે,આ મુદ્દા ઉપર સિનિયર પત્રકાર દિલીપ પટેલે નિષ્ણાત દયાભાઈ ગજેરા સાથે વાત કરી તો તેઓએ ગુજરાતના ખેડૂતોને મોટા નુકશાન થવાની ભીતિ દર્શાવી હતી અને 12 જેટલા પાકો ખેડૂતોએ વાવવાનું બંધ કરવું પડે તેવી આગાહી કરી છે ત્યારે જુઓ ખાસ વિશ્લેષણ.







