PM Modi: અમદાવાદમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 12 જાન્યુઆરીના રોજ જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ સાથે અમદાવાદના ઐતિહાસિક ગાંધી આશ્રમની મુલાકાતે પહોંચ્યા ત્યારે આસપાસની ઝૂંપડપટ્ટી દેખાય નહિ તે માટે મોટા બેનરો લગાવી ઝૂંપડપટ્ટી ઢાંકવાનો પ્રયાસ ઉડીને આંખે વળગ્યો હતો.
જોકે,જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ પોતાના અને મોદી સાહેબની મુલાકાત દર્શાવતા બેનરો જોઈ ખુશ થઈ ગયા હતા પણ બેનરો પાછળની ઝૂંપડપટ્ટી અને ગરીબી જોઈ શક્યા ન હતા.
અમદાવાદના મહાત્મા મંદિર ખાતે વડાપ્રધાન મોદીજીએ જર્મન ચાન્સેલર ફ્રેડરિક મરઝેને સાથે રાખી આશ્રમની મુલાકાત કરાવી હતી.
જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ ગાંધીજીની સાદગીના દર્શન કરી પ્રભાવિત થયા હતા અને તેઓએ મુલાકાત ડાયરીમાં નોંધ કરી હતી તેઓ ગાંધી મૂલ્યોની ગાથા અને અહીં થતી પ્રવૃત્તિઓની નોંધ લીધી હતી.
ઉલ્લેખનીય છે કે જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ ગઈકાલે ભારત પ્રવાસ દરમિયાન સીધા અમદાવાદ આવ્યા હતા.તેમના આગમન સમયે ITC નર્મદા હોટલમાં પરંપરાગત અને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં ભારતીય સંસ્કૃતિની ઝલક જોવા મળી હતી.
દરમિયાન આજે તેઓની ગાંધી આશ્રમની મુલાકાત દરમિયાન નજીકના ઝુંપડા દેખાય નહિ તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું અને મોટા હોર્ડિંગ્સથી ઝુંપડા ઢાંકી દેવાયા હતા.આ મુદ્દા ઉપર સિનિયર પત્રકાર દિલીપ પટેલે વિસ્તૃત છણાવટ કરી હતી તેઓએ સ્થાનિક સામાજિક કાર્યકર એવા મુકેશ દવેની પ્રતિક્રિયા પણ જાણવાનો પ્રયાસ કર્યો હતો ત્યારબાદ વાસ્તવિક સ્થિતિ ઉપર પડદો પાડવાની નીતિ ઉપર સવાલો કર્યા હતા જે જોવાનું ચૂકશો નહિ,પ્રસ્તુત છે વિડીયો
આ પણ વાંચો:
Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!









