Census: મોદી સરકાર જાતિગત વસ્તી ગણતરી કરવા એકાએક કેમ તૈયાર?, આ રહ્યા કારણો!

Census: કેન્દ્ર સરકાર દેશમાં આગામી વસ્તી ગણતરીમાં જાતિઓની ગણતરી પણ કરશે. બુધવારે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે રાજકીય બાબતોની કેબિનેટ સમિતિની બેઠકમાં લેવાયેલા સરકારના આ નિર્ણયની માહિતી આપતાં કહ્યું કે વસ્તી ગણતરી સાથે જાતિઓની ગણતરી પણ કરવામાં આવશે.

પ્રશ્ન એ છે કે અત્યાર સુધી જાતિગત વસ્તી ગણતરીથી દૂર રહેતી મોદી સરકાર તેના માટે શા માટે સંમત થઈ? જાતિગત વસ્તી ગણતરીનો અચાનક નિર્ણય કેમ?

સરકાર પહેલગામ હુમલાને ભૂલાવા માગે છે?

આખરે મોદી સરકારે જાતિગત વસ્તી ગણતરી કરાવવાનો નિર્ણય લેવો પડ્યો છે. વડા પ્રધાન સાથે આરએસએસના વડાની મુલાકાત પછી, બધા વિચારી રહ્યા હતા કે પાકિસ્તાન પર હુમલો થશે, પરંતુ બોટલમાંથી બહાર નીકળેલા જીને એક અલગ જ સ્વરૂપ બતાવ્યું છે.  RSS અને મોદીની મજબૂરી સામે આવી ગઈ છે. બીજી તરફ સરકાર પહેલગામ હુમલામાંથી લોકોનું ધ્યાન ભટકાવવાનું કામ કરી રહી છે. જેથી ન છૂટકે મોદીએ મોટો મુદ્દો ઉઠાવ્યો પડ્યો છે. હવે લોકો વસ્તી ગણતરીના ચક્કરમાં પડ્યા રહેશે. પહેલગામ હુમલાની ચર્ચા ઓછી થવા લાગશે.

વિપક્ષોની માંગ સંતોષી

આ સિવાય બીજુ એક કારણ વિપક્ષોની માંગ છે.  કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, રાષ્ટ્રીય જનતા દળ સહિત ઘણા વિપક્ષી પક્ષો દેશમાં જાતિગત વસ્તી ગણતરીની સતત માંગ કરી રહ્યા છે.

ગયા મહિને ગુજરાતમાં બે દિવસીય કોંગ્રેસ પરિષદ દરમિયાન, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ જાતિ વસ્તી ગણતરીનો મુદ્દો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે, “દરેક વ્યક્તિએ જાણવું જોઈએ કે દેશમાં કેટલા દલિત, પછાત, આદિવાસી, લઘુમતી અને ગરીબ સામાન્ય વર્ગના લોકો છે. ત્યારે જ આપણને ખબર પડશે કે દેશના સંસાધનોમાં તેમનો હિસ્સો કેટલો છે.”

મોદી સરકારના જાતિગત વસ્તી ગણતરીના નિર્ણય બાદ, રાષ્ટ્રીય જનતા દળના નેતા અને બિહારના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે કહ્યું, “વિરોધી પક્ષોની માંગ છતાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સરકારે જાતિગત વસ્તી ગણતરી કરવાનો ઇનકાર કર્યો હતો.”

તેમણે કહ્યું, “મોદી સરકારના મંત્રીઓ સંસદમાં આ વાતનો ઇનકાર કરી રહ્યા હતા પરંતુ હવે સરકારે અમારો મુદ્દો સ્વીકારવો પડ્યો છે. જ્યારે પરિણામો આવશે, ત્યારે અમારી માંગણી એ રહેશે કે દેશભરમાં વિધાનસભા ચૂંટણીમાં પછાત અને અત્યંત પછાત વર્ગો માટે બેઠકો અનામત રાખવી જોઈએ. વસ્તી જેટલી ભાગીદારી હોવી જોઈએ. હવે આ અમારી આગામી લડાઈ હશે.”

કેન્દ્ર સરકારના જાતિગત વસ્તી ગણતરીના નિર્ણયની જાહેરાત પછી, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક પ્રેસ કોન્ફરન્સ યોજી અને તેનો શ્રેય વિપક્ષને પક્ષોને આપ્યો.

તેમણે કહ્યું, “અમે સંસદમાં કહ્યું હતું કે જ્યાં સુધી જાતિગત વસ્તી ગણતરી ન થાય ત્યાં સુધી અમે આરામ કરીશું નહીં અને અમે અનામત પર 50 ટકા મર્યાદાની દિવાલ પણ તોડીશું.”

તેમણે કહ્યું, “પહેલાં નરેન્દ્ર મોદી કહેતા હતા કે ફક્ત ચાર જાતિઓ છે, પરંતુ અચાનક તેમણે જાતિ વસ્તી ગણતરી કરવાની જાહેરાત કરી. અમે સરકારના આ નિર્ણયને સંપૂર્ણ સમર્થન આપીએ છીએ, પરંતુ સરકારે તેની સમયમર્યાદા આપવી પડશે કે જાતિ વસ્તી ગણતરીનું કામ ક્યારે પૂર્ણ થશે?”

રાજકીય વર્તુળોમાં આ પ્રશ્ન પૂછવામાં આવી રહ્યો છે કે જાતિગત વસ્તી ગણતરી કરાવવાનો ઇનકાર કરનારી મોદી સરકારને એવી કઈ મજબૂરીનો સામનો કરવો પડ્યો કે તે વસ્તી ગણતરીમાં જાતિગત ગણતરી કરાવવા માટે સંમત થઈ ગઈ.

ઘણા નિષ્ણાતો માને છે કે હાલ બધાનું ધ્યાન પહેલગામ હુમલા પર છે. જેમાં સરકારની ભારે ટીકા થઈ રહી છે. જેથી સરકાર પહેલગામના મુદ્દા પરથી ધ્યાન હટાવવા માગે છે.

આ પ્રશ્ન પર, રાજકીય વિશ્લેષક ડીએમ દિવાકરે મિડિયાને જણાવ્યું, “જ્યારે મોદી સરકારે જાતિગત વસ્તી ગણતરી કરાવવાનો ઇનકાર કર્યો, ત્યારે મહાગઠબંધન (વિપક્ષ) એ તેને દેશભરમાં મુદ્દો બનાવ્યો.”

“દરમિયાન, બિહાર અને કર્ણાટકએ પોતાની રીતે જાતિ સર્વેક્ષણો કર્યા અને જાણવા મળ્યું કે પછાત અને અત્યંત પછાત જાતિઓની વસ્તી કેટલી છે અને તે મુજબ તેઓ રાજકારણમાં કેટલો હિસ્સો રાખી શકે છે. હવે, મજબૂરીથી મોદી સરકારે જાતિ વસ્તી ગણતરી કરવાનો નિર્ણય લેવો પડ્યો છે.”

શું બિહારમાં ચૂંટણી લાભ મેળવવાનો હેતુ છે?

બિહારમાં કરવામાં આવેલા સર્વે મુજબ, રાજ્યમાં પછાત વર્ગની વસ્તી 27.12 ટકા, અત્યંત પછાત વર્ગની વસ્તી 36.01 ટકા, અનુસૂચિત જાતિની વસ્તી 19.65 ટકા, અનુસૂચિત જનજાતિની વસ્તી 1.68 ટકા અને બિન અનામત અથવા ઉચ્ચ જાતિની વસ્તી 15.52 ટકા છે.

ભારતમાં 1931માં જાતિગત વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી હતી, ત્યારબાદ દેશમાં થયેલી વસ્તી ગણતરીમાં જાતિઓની ગણતરી કરવામાં આવી ન હતી. વસ્તી ગણતરીમાં દલિતો અને આદિવાસીઓની સંખ્યા ગણવામાં આવે છે અને તેમને રાજકીય અનામત પણ મળે છે. પરંતુ દેશમાં પછાત અને સૌથી પછાત (OBC અને EBC) જાતિના લોકોની સંખ્યા ગણાતી નથી.

એવું માનવામાં આવે છે કે દેશની 52 ટકા વસ્તી પછાત અને અત્યંત પછાત જાતિઓની છે. ઓબીસી સમુદાયના નેતાઓ માને છે કે આ સંદર્ભમાં, તેમની રાજકીય ભાગીદારી ખૂબ ઓછી છે.

વિશ્લેષકો કહે છે કે રાજકીય પક્ષો આ સમુદાયોનું સમર્થન મેળવવા માટે જાતિગત વસ્તી ગણતરીને સમર્થન આપી રહ્યા છે.

તેમનું કહેવું છે કે ભાજપ અત્યાર સુધી જાતિગત વસ્તી ગણતરીથી કેમ દૂર રહી રહ્યું છે તે સમજની બહાર છે જ્યારે એવું માનવામાં આવે છે કે ઉત્તર પ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં પછાત જાતિઓ અને દલિતોને એકત્ર કરીને પાર્ટીએ સત્તા સુધીની સફર સરળ બનાવી છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે ભાજપ આ સમુદાયો પાસેથી મત લઈ રહી છે પરંતુ તેમની સંખ્યા જાહેર કરવા માંગતી નથી.

કારણ કે આમ કરવાથી આપણને ખબર પડશે કે રાજકારણ અને નોકરશાહીમાં પછાત અને અત્યંત પછાત જાતિઓનો હિસ્સો કેટલો ઓછો છે.

તો પ્રશ્ન એ છે કે શું ભાજપનો આ ડર સમાપ્ત થઈ ગયો છે. અથવા બિહાર (જ્યાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે) માં ચૂંટણી લાભ મેળવવા માટે તેણે આ પગલું ભર્યું હોઈ શકે છે.

આ પણ વાંચોઃ

Surat માંથી વિદ્યાર્થીને ભાગાડી જનાર શિક્ષિકા સામે પોક્સોની કલમ ઉમેરાઈ, મેડિકલ તપાસ!

Ahmedabad: ચંડોળામાં ત્રીજા દિવસે દબાણ હટાવવાનું કામ ચાલુ

Related Posts

પશ્ચિમ બંગાળ યેન કેન પ્રકારે જીતવું છે | મોદી – શાહનાં અધિકારીઓ યુદ્ધ મોડમાં!
  • April 28, 2026

ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા યોગી સરકારના વ્હાલાં અજય પાલ શર્માની ખુલ્લી ધમકી. ગૃહમંત્રી અમિત શાહે લોકતંત્રને ડામવા માટે મોટો કાફલો પશ્ચિમ બંગાળમાં ખડકી દીધો. Mayur Jani Official | મોદી – શાહની…

Continue reading
PM Modi: ભારતમાં નેતાઓને “ટેસડા” અને જનતાનો “મરો” છે પણ વિદેશમાં જનતાને ફર્સ્ટ પ્રાયોરિટી અપાય છે! ક્યારે સુધરશે આપણું તંત્ર?
  • April 27, 2026

PM Modi: ભારતમાં રાજકારણમાં પ્રસરી ગયેલી ગંદકીને કારણે સામન્ય નાગરિકોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે,મોંઘવારી,બેરોજગારી, મોંઘુ શિક્ષણ, મોંઘી દવા વગરે જનતાના માથે થોપી દઈ નેતાઓ રાજ કરી રહયા છે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Abhijit Dipak Jaipur Attack: હિંસાને સન્માન? અભિજીત દીપકે પર હુમલો કરનારાઓનું જેલમાંથી મુક્તિ બાદ ફૂલહારથી ભવ્ય સ્વાગત!

  • June 17, 2026
  • 4 views
Abhijit Dipak Jaipur Attack: હિંસાને સન્માન? અભિજીત દીપકે પર હુમલો કરનારાઓનું જેલમાંથી મુક્તિ બાદ ફૂલહારથી ભવ્ય સ્વાગત!

Jana Sena National Expansion: NDA માં પ્રભાવ વધારવા જનસેનાની નવી રણનીતિ, દક્ષિણથી દિલ્હી સુધી પવન કલ્યાણનું વિસ્તરણ અભિયાન

  • June 17, 2026
  • 5 views
Jana Sena National Expansion: NDA માં પ્રભાવ વધારવા જનસેનાની નવી રણનીતિ, દક્ષિણથી દિલ્હી સુધી પવન કલ્યાણનું વિસ્તરણ અભિયાન

Siliguri Corridor: સિલીગુડી કોરિડોરને ઘેરતું વ્યૂહાત્મક જોખમ, બોર્ડર પર બદલાતી હકીકત સામે ભારતની મોટી તૈયારીઓ

  • June 17, 2026
  • 7 views
Siliguri Corridor: સિલીગુડી કોરિડોરને ઘેરતું વ્યૂહાત્મક જોખમ, બોર્ડર પર બદલાતી હકીકત સામે ભારતની મોટી તૈયારીઓ

China Industrial Subsidy: ચીનની સબસિડી નીત સામે ભારતે આત્મનિર્ભરતા કે અનુસરણ, કયો માર્ગ પસંદ કરવો?

  • June 17, 2026
  • 12 views
China Industrial Subsidy: ચીનની સબસિડી નીત સામે ભારતે આત્મનિર્ભરતા કે અનુસરણ, કયો માર્ગ પસંદ કરવો?

Shiv Sena UBT MP Rebellion: શિવસેના (યુબીટી)માં ફરી ફૂટના સંકેત, ૯માંથી ૬ સાંસદોની દિલ્હી મુલાકાતે

  • June 17, 2026
  • 11 views
Shiv Sena UBT MP Rebellion: શિવસેના (યુબીટી)માં ફરી ફૂટના સંકેત, ૯માંથી ૬ સાંસદોની દિલ્હી મુલાકાતે

NEET exam fraud: ટેલિગ્રામ પર નકલી પ્રશ્નપત્રોનો વેપાર, રિફંડ કૌભાંડ અને સાયબર ઠગાઈના પર્દાફાશ બાદ NEET સુરક્ષા પર સવાલ

  • June 17, 2026
  • 12 views
NEET exam fraud: ટેલિગ્રામ પર નકલી પ્રશ્નપત્રોનો વેપાર, રિફંડ કૌભાંડ અને સાયબર ઠગાઈના પર્દાફાશ બાદ NEET સુરક્ષા પર સવાલ