Rajkot: ટ્રકચાલકે બે ટુ વ્હીલરને અડફેટે લેતા સાસુ-વહુના મોત, પિતા-પુત્રને ઈજાઓ

Rajkot: રજ્યમાં વારંવાર મોટા અકસ્માતના બનાવો બની રહ્યા છે. ટ્રાફિક નિયમનો ઉલાળિયો કરી વાહનચાલકો બેફામ વાહનો ચલાવી રહ્યા છે. ત્યારે બેફામ બનેલી એક ટ્રકે સાસુ-વહુનો જીવ લીધો છે.  રાજકોટના ગોંડલમાંથી એક ભયંકર અકસ્માતની ઘટના બની છે. રાજકોટમાંથી જનોઈ પ્રસંગની ઉજવણી કરી આવતાં પરિવારને ટ્રકચાલકે અડફેટે લીધો છે. જેમાં સાસુ-વહુને કરુણ મોત થયા છે. જ્યારે પિતા-પુત્રને ગંભીર ઈજાઓ પહોંચતાં તેમને હોસ્પિટલમાં ખસેડાયા છે.

ગત રાત્રિના રવિવારે (4 મે, 2025) ગોંડલ રોડ પર કોરાટ ચોક નજીક ટ્રકચાલકે બે ટુ-વ્હીલરને અડફેટે લીધા હતા. ગમખ્વાર સર્જાયેલા અકસ્માતમાં જ્યોતિબેન મનોજભાઇ બાયનીયા (સાસુ) અને જાહ્નવીબેન બાવનીયા (પુત્રવધૂ)નું મોત થઈ ગયું છે. જ્યારે પિતા અને પુત્ર ઈજાગ્રસ્ત થતા સારવાર હેઠળ ખસેડાયા છે.

રાજકોટમાં જનોઈ પ્રસંગમાં હાજરી આપી પરત ગોંડલ જતા સમયે આ અકસ્માત થયો હતો. અકસ્માત સર્જી નાસી છુટેલા ટ્રકચાલકની પોલીસે અટકાયત કરી લીધી છે.

આ અકસ્માતની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા હતા. જ્યારે પોલીસે અકસ્માત સર્જનાર ટ્રકચાલકને ગણતરીના સમયમાં જ ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ હિટ એન્ડ રનની ફરિયાદ નહીં નોંધે તો…

અકસ્માતના સ્વજનોએ પોલીસ સામે આક્ષેપ કરતાં કહ્યું કે અમે રાજકોટમાં જનોઈ પ્રસંગ ગયા હતા, ત્યાંથી સાઢુભાઇના ત્યાં ગોંડલ જવા નીકળ્યા હતા, ત્યારે કોરાટ ચોક પાસે ટ્રાફિક હોવાથી સાઇડમાં ઉભા હતા, ત્યારે પાછળથી આવી રહેલી ટ્રકે બંનેને કચડી નાખ્યા હતા. હિટ એન્ડ રનની ઘટના હોવા છતાં શાપર પોલીસે હિટ એન્ડ રનની ફરિયાદ નોંધી નથી. પોલીસ હિટ એન્ડ રનની ફરિયાદ નહી નોંધે તો અમે મૃતદેહ સ્વિકારીશું નહી અને આ અંગે પોલીસવડાને પણ રજૂઆત કરીશું. તેમ છતાં કોઇ નિરાકરણ નહી આવે તો ઓફિસ બહાર જ ઉપવાસ કરીશું.

પણ વાંચોઃ

Rajkot: ગોંડલમાં 17 વર્ષની સગીરાને કેફી પીણું પીવડાવી દુષ્કર્મ આચર્યુ, કેવી રીતે પ્રેમજાળમાં ફસાઈ સગીરા?

Rajkot: ગોંડલમાં 17 વર્ષની સગીરાને કેફી પીણું પીવડાવી દુષ્કર્મ આચર્યુ, કેવી રીતે પ્રેમજાળમાં ફસાઈ સગીરા?

Ahmedabad: વિરમગામમાં વીજળી પડતાં ખેડૂતનું મોત, મહિસાગરમાં 2 પશુના મોત

દિલ્હીથી ઈઝરાઈલ જતુ વિમાન અબુ ધાબી તરફ ડાઈવર્ટ, દિલ્હી પાછુ આવશે, મિસાઈ હુમલા બાદ નિર્ણય

India-Pakistan Tension: સિંધુ બાદ હવે ભારતે ચેનાબનું પાણી રોક્યું, આ રીતે લડશે આતંકીઓ સામે?

 

 

Related Posts

Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?
  • June 15, 2025

મહેશ ઓડ Ahmedabad plane crash: 12 જૂને અમદાવાદમાં થયેલી વિમાન ક્રેશની ઘટનામાં ‘ભગવત ગીતા’ પુસ્તક બચી ગયાના દાવા થઈ રહ્યા છે. આને લોકો ધર્મ, ભગવાન સાથે જોડીને કહે છે કે…

Continue reading
Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….
  • June 15, 2025

Ahmedabad Plane Crash: અમદાવાદમાં દુર્ગટનાગ્રસ્ત થયેલા એર ઇન્ડિયાના બોઇંગ 787-8 વિમાનના જાળવણીના દાવાને તુર્કીએ ફગાવી દીધો છે. તુર્કીએ કહ્યું કે તુર્કીએ ટેકનિક વિમાનના જાળવણીમાં સામેલ નથી. આ દરમિયાન અમેરિકાની NTSB…

Continue reading

You Missed

Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

  • June 15, 2025
  • 16 views
Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

  • June 15, 2025
  • 17 views
Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

  • June 15, 2025
  • 22 views
Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

Pratapgarh Couple Missing: હનીમૂન માટે સિક્કિમ ગયેલું કપલ 15 થી ગુમ, શોધવા ગયેલો પરિવાર નિરાશ

  • June 15, 2025
  • 12 views
Pratapgarh Couple Missing: હનીમૂન માટે સિક્કિમ ગયેલું કપલ 15 થી ગુમ, શોધવા ગયેલો પરિવાર નિરાશ

Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….

  • June 15, 2025
  • 31 views
Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….

Pune Bridge Collapsed: પુણેમાં નદી પરનો પુલ તૂટી પડ્યો, 10 થી 15 લોકો તણાયા, બચાવ કામગીરી ચાલુ

  • June 15, 2025
  • 18 views
Pune Bridge Collapsed: પુણેમાં નદી પરનો પુલ તૂટી પડ્યો, 10 થી 15 લોકો તણાયા, બચાવ કામગીરી ચાલુ