
● સનાતન ધર્મ કોને કહેવાય?
Shankaracharya: બે ગ્રુપ સામસામે દેકારા કરે,સાધુઓને માર મારવામાં આવે! શુ આ હિન્દુવાદી ધર્મ છે?લોકોમાં સવાલ ઉઠી રહયા છે, દેશમાં હાલ સનાતન ધર્મની ઈજ્જત દાવ ઉપર લાગી છે અને અવિમુક્તેશ્વરાનંદની મેળામાં થયેલી બેઇજ્જતિ મામલે યોગી સરકાર ઉપર આરોપ લાગી રહયા છે આ એજ યોગી છે જેઓએ પણ ભગવા કપડાં પહેર્યા છે અને સનાતન ધર્મનો ઝંડો લઈ ફરે છે.
પ્રયાગરાજમાં શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદની પાલખી પોલીસે દૂર હડસેલી દીધી અને છત્ર તોડી નાખ્યું તેમજ સાધુઓને માર મરાયો આ બધા ઘટનાક્રમ વચ્ચે ઘરણા કરી રહેલા અવિમુક્તેશ્વરાનંદ તંત્રને માફી માંગવા જણાવી રહયા છે અન્યથા ઉપવાસ આંદોલન ચાલુ રાખવાની વાત ઉપર અડગ છે ત્યારે ભાજપના કેટલાક યોગી સમર્થક યુવાનો તેમની શિબિરમાં ઘુસી આવ્યા અને યોગીની જયજયકાર બોલાવી કોન્ટ્રાવર્ષી ઉભી કરવાની જે રીતે કોશિશ થઈ તે વાત અને શિબિરમાં યુવકોના હંગામા પર અવિમુક્તેશ્વરાનંદે પહેલીવાર નિવેદન આપ્યું છે,તેમણે કહ્યું- અમારા પર હુમલો એટલા માટે કરવામાં આવ્યો છે, કારણ કે અમે ગૌ-રક્ષાની વાત કરી રહ્યા છીએ. અમે તેમની (ભાજપ) આંખમાં કણાની જેમ ખૂંચી રહ્યા છીએ, પણ ગમે તેટલો અત્યાચાર કરો, હું પીછેહટ નહીં કરું. જેટલો અમારા પર અત્યાચાર થશે, તેટલી જ મજબૂતીથી હું આગળ વધીશ.
ઉલ્લેખનીય છે કે કટ્ટર સનાતની સેના નામના સંગઠનના 10 જેટલા યુવકો ભગવો ઝંડો લઈને સૂત્રોચ્ચાર કરતા શંકરાચાર્યના શિબિર નજીક પહોંચી ગયા હતા અને શિબિરમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો તેઓએ યોગી સરકારના સમર્થનમાં ‘આઈ લવ બુલડોઝર બાબા’ અને ‘યોગી ઝિંદાબાદ’ના નારા લગાવ્યા હતા.
આ યુવાનો અને અવિમુક્તેશ્વરાનંદના શિષ્યો વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી. આ સંગઠનનો પ્રમુખ સચિન સિંહ નામનો વ્યક્તિ હોવાનું સામે આવ્યું હતું આ ઘટના બાદ શંકરાચાર્યની સુરક્ષા સામે સવાલો ઉઠ્યા હતા. શિષ્યોએ શિબિરને ચારે બાજુથી કવર કરી લઈ ઢાંકી દીધી હતી અને અંદર જવાના રસ્તાઓ બંધ કરી દીધા હતા.
દરમિયાન હિન્દૂ સમાજમાં હવે સનાતન ધર્મ અંગે અસમંજસ જોવા મળી રહી છે અને યોગી તેમજ શંકરાચાર્ય વચ્ચે ચાલી રહેલા વરવા દ્રશ્યોથી રાજકારણ પણ ગરમાયું છે અને સનાતન ધર્મની ઈજ્જત દાવ ઉપર લાગી છે અવિમુક્તેશ્વરાનંદનું કહેવું છે કે તેઓ પહેલેથી જ ગૌ માતાની થઈ રહેલી કતલનો મુદ્દો ઉઠાવી રહયા છે અને ભાજપ શાસનમાં સૌથી વધુ મીટનો કારોબાર ચાલી રહ્યો છે જેનો તેઓ દ્વારા ખુલીને વિરોધ કરવામાં આવી રહ્યો હોય અમે ભાજપની યોગી સરકારને ગમતા નથી આમ,હિંદુત્વનું લેબલ લઈને ફરતા ભાજપની આ બાબલથી છબી ખરડાઈ રહી છે અને લોકોમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.
આ પણ વાંચો:
Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા








