Prayagraj: યુપીમાં ભાજપનો હિન્દુત્વનો બનાવટી ચહેરો ખુલ્લો પડ્યો? સિટી મેજિસ્ટ્રેટે આપ્યું રાજીનામુ!

  • India
  • January 27, 2026
  • 0 Comments

Prayagraj: હિન્દૂ રાષ્ટ્રની વાતો કરનારા ભાજપ શાસનમાંજ હવે પ્રયાગરાજના ધાર્મિક મેળામાં શંકરાચાર્ય અને સાધુઓ ઉપર થયેલા અત્યાચારના દ્રશ્યો જોઈ હિંદુઓની લાગણીને ઠેસ પહોંચી છે ત્યારે ઉત્તર પ્રદેશના બરેલીના સિટી મેજિસ્ટ્રેટ અલંકાર અગ્નિહોત્રીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દેતા ભારે ચકચાર મચી છે કારણકે રાજીનામાનું આપવાના કારણમાં તેઓએ UGCનો નવો કાયદો અને શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદનું જાહેરમાં અપમાન તેમજ તેમના શિષ્યોની મારઝૂડ હોવાનું જણાવ્યું છે.

તેઓ સોમવારે સાંજે લગભગ 7:30 કલાકે સિટી મેજિસ્ટ્રેટ ડીએમ અવિનાશ સિંહને મળવા જ્યારે તેમના નિવાસસ્થાને પહોંચ્યા ત્યારે બહાર આવતા સિટી મેજિસ્ટ્રેટે આરોપ લગાવ્યો કે તેઓને ડીએમ નિવાસસ્થાને 20 મિનિટ સુધી બંધક બનાવી રાખવામાં આવ્યા હતા અને ગાળો દીધી હતી અને કહ્યું હતું કે આ પાગલ થઈ ગયો છે.તેઓએ ઉમેર્યુ કે લખનઉથી મને બે કલાકની અંદર નિવાસસ્થાન ખાલી કરવા માટે કહેવામાં આવ્યું છે. તેમના સરકારી નિવાસસ્થાને ટેન્ટ લગાવવામાં આવ્યો હતો એ ટેન્ટ પણ પોલીસે ત્યાંથી હટાવી દીધો છે.

આ અગાઉ અલંકાર અગ્નિહોત્રી પોતાના નિવાસસ્થાનની બહાર એક પોસ્ટર લઈને ઉભા દેખાયા. જેના પર લખ્યું હતું- UGC_ ROLL BACK કાળો કાયદો પાછો લો, શંકરાચાર્ય અને સંતોનું આ અપમાન નહીં સહે ભારત, #BOYCOTT BJP #BOYCOTT BRAHMAN MP MLA…

તેમણે 5 પાનાનો એક પત્ર પણ લખ્યો. જેમાં તેમણે કહ્યું- ‘પ્રયાગરાજ માઘ મેળા દરમિયાન શંકરાચાર્યના શિષ્યોની ચોટી પકડવામાં આવી.’ તેમણે લખ્યું-આવી ઘટના કોઈ પણ સામાન્ય બ્રાહ્મણને અંદરથી હચમચાવી દે છે. એવું લાગે છે કે પ્રશાસન અને વર્તમાન સરકાર બ્રાહ્મણો અને સાધુ-સંતો વિરુદ્ધ કામ કરી રહી છે. તેમની ઇજ્જત સાથે ચેડાં થઈ રહ્યા છે. બ્રાહ્મણોની વાત કરનાર કોઈ નથી.

આ ઘટના બાદ શંકરાચાર્યની પ્રતિક્રિયા સામે આવી છે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે નગર મેજિસ્ટ્રેટના રાજીનામા પર કહ્યું- શંકરાચાર્યનું જે સન્માન છે, તે સનાતન પ્રેમીઓના હૃદયમાં ખૂબ ઊંડું બનેલું છે. તેને આહત કરવાનું શું પરિણામ આવશે, તેનો અંદાજ આ ઘટના પરથી લગાવવો જોઈએ.

વિગતો મુજબ મોડી રાત્રે શંકરાચાર્યે સિટી મેજિસ્ટ્રેટ સાથે ફોન પર વાત કરી હતી અને તેમને કહ્યું હતું કે આખો સનાતની સમાજ તમારાથી ખૂબજ પ્રસન્ન છે અને જે પદ તમને સરકારે આપ્યું હતું, અમે તેનાથી મોટું પદ ધર્મના ક્ષેત્રમાં તમને આપીશું એમ જણાવ્યું હતું.

બીજી તરફ મળી રહેલા તાજા અહેવાલો મુજબ બરેલીના સિટી મેજિસ્ટ્રેટ અલંકાર અગ્નિહોત્રીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

રાજ્ય નિમણૂક વિભાગે કમિશનર ભૂપેન્દ્ર એસ. ચૌધરીને આ મામલાની તપાસના પણ આદેશ આપવામાં આવ્યા છે.

આમ,સરકાર જેના ઉપર કૂદે છે તે ધીરેધીરે હિંદુત્વની પોલ ધીરે ધીરે ખુલી રહી હોવાનું સામે આવી રહ્યું છે.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

Related Posts

Jharkhand Student Protest: ઝારખંડમાં ભરતી પરીક્ષાનો વિવાદ, 24 દિવસથી વિદ્યાર્થીઓ ભૂખ હડતાળ પર, રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
  • August 17, 2026

Jharkhand Student Protest: ઝારખંડમાં સરકારી ભરતી પરીક્ષાઓમાં કથિત ગેરરીતિઓને લઈને વિદ્યાર્થીઓનું આંદોલન સતત ઉગ્ર બની રહ્યું છે. રાંચીના જયપાલ સિંહ મુંડા સ્ટેડિયમમાં વિદ્યાર્થીઓનું ધરણું સોમવારે 24મા દિવસે પણ ચાલુ રહ્યું…

Continue reading
Arunachal Border Dispute: વંદે માતરમ ગાવાથી, તિરંગા યાત્રા કાઢવાથી, નકલી શૌર્ય બતાવવાથી CHINA ડરી જશે?
  • August 17, 2026

Arunachal Border Dispute: અરુણાચલ પ્રદેશમાં ભારત-ચીન સરહદની સ્થિતિને લઈને ફરી એકવાર ગંભીર સવાલો ઉભા થયા છે. તાજેતરમાં સરહદ વિસ્તારમાં ભારતીય સેનાના પેટ્રોલિંગને લઈને સામે આવેલા દાવાઓ વચ્ચે પૂર્વ કેન્દ્રીય ગૃહ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Jharkhand Student Protest: ઝારખંડમાં ભરતી પરીક્ષાનો વિવાદ, 24 દિવસથી વિદ્યાર્થીઓ ભૂખ હડતાળ પર, રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર

  • August 17, 2026
  • 3 views
Jharkhand Student Protest: ઝારખંડમાં ભરતી પરીક્ષાનો વિવાદ, 24 દિવસથી વિદ્યાર્થીઓ ભૂખ હડતાળ પર, રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર

Arunachal Border Dispute: વંદે માતરમ ગાવાથી, તિરંગા યાત્રા કાઢવાથી, નકલી શૌર્ય બતાવવાથી CHINA ડરી જશે?

  • August 17, 2026
  • 5 views
Arunachal Border Dispute: વંદે માતરમ ગાવાથી, તિરંગા યાત્રા કાઢવાથી, નકલી શૌર્ય બતાવવાથી CHINA ડરી જશે?

UGC NET Re Exam 2026: પ્રશ્નપત્રમાં ભૂલો, જૂના સવાલોનું પુનરાવર્તન અને હવે રી-એક્ઝામ: NTAની પરીક્ષા વ્યવસ્થા પર સવાલ

  • August 17, 2026
  • 5 views
UGC NET Re Exam 2026: પ્રશ્નપત્રમાં ભૂલો, જૂના સવાલોનું પુનરાવર્તન અને હવે રી-એક્ઝામ: NTAની પરીક્ષા વ્યવસ્થા પર સવાલ

Bankura CJP Attack: બાંકુડામાં CJP કાર્યકરના ઘરે હુમલો, પિતાનું મોત; BJP નેતા સહિત 8ની ધરપકડ

  • August 17, 2026
  • 8 views
Bankura CJP Attack: બાંકુડામાં CJP કાર્યકરના ઘરે હુમલો, પિતાનું મોત; BJP નેતા સહિત 8ની ધરપકડ

Gujarat Liquor Ban: ખાતર માટે લાઈનો અને દારૂની હોમ ડિલિવરી, દાંતામાં ગેનીબેન-અમિત ચાવડાએ સરકારને ઘેરી

  • August 17, 2026
  • 8 views
Gujarat Liquor Ban: ખાતર માટે લાઈનો અને દારૂની હોમ ડિલિવરી, દાંતામાં ગેનીબેન-અમિત ચાવડાએ સરકારને ઘેરી

Bharuch Liquor Seized: ગુજરાતમાં દારૂબંધીનો ઢોંગ? 32.57 લાખનો દારૂ ઝડપાતા ભાજપના નેતાનું નામ સામે આવ્યું

  • August 17, 2026
  • 9 views
Bharuch Liquor Seized: ગુજરાતમાં દારૂબંધીનો ઢોંગ? 32.57 લાખનો દારૂ ઝડપાતા ભાજપના નેતાનું નામ સામે આવ્યું