સોનિયા ગાંધીએ કર્યું કોંગ્રેસના નવા હેડક્વાર્ટર ઇન્દિરા ભવનનું ઉદ્ધાટન

  • India
  • January 15, 2025
  • 1 Comments

નવી દિલ્હી: કોંગ્રેસે આજે તેના નવા હેડક્વાર્ટરનું ઉદ્ઘાટન કર્યું છે. સોનિયા ગાંધીના હસ્તે તેનું ઉદ્ઘાટન કરાયું હતું. આ પ્રસંગે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી પણ હાજર રહ્યા હતા. એટલે કે હવે કોંગ્રેસના નવા હેડક્વાર્ટરનું સરનામું ‘ઇન્દિરા ગાંધી ભવન’ 9A, કોટલા રોડ થઈ ગયો છે.

ઈન્દિરા ભવન નામ રખાયું

આ નવા હેડક્વાર્ટરનું નામ ‘ઇન્દિરા ભવન’ રાખવામાં આવ્યું છે, પરંતુ આ પહેલા કેટલાક કાર્યકરોએ ત્યાં ‘સરદાર મનમોહન સિંહ ભવન’ના પોસ્ટર લગાવી દીધા હતા. જેના કારણે નવા હેડક્વાર્ટરના નામ અંગે નવો વિવાદ ઉભો થયો છે. કોંગ્રેસના નેતા અનિલ શાસ્ત્રીએ કહ્યું કે 2009 માં જ્યારે મનમોહન સિંહ પીએમ હતા ત્યારે આ ઇમારતનું નામ ઇન્દિરા ભવન રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ભાજપના પ્રચારનું બીજું એક ઉદાહરણ છે.

આ ઉપરાંત, નવા કોંગ્રેસ હેડક્વાર્ટરમાં પ્રિયંકા ગાંધીની ભૂમિકા અંગે રાજીવ શુક્લાએ કહ્યું કે બધું પ્રિયંકા દ્વારા નક્કી કરવામાં આવ્યું છે, આ સાચું છે. તેમણે આ ઓફિસમાં બધું જ ફાઇનલ કરી દીધું છે. ગાંધી પરિવારના વિરોધી અને કોંગ્રેસ છોડી ગયેલા ગુલામ નબી આઝાદ જેવા નેતાઓની તસવીર પર તેમણે કહ્યું કે હા, આ સાચું છે. અમે ઈમારતમાં ફોટોગ્રાફ્સ દ્વારા કોંગ્રેસનો ઇતિહાસ દર્શાવ્યો છે. અમે નાના હૃદયથી કામ કરતા નથી.

ભાજપના હેડક્વાર્ટરથી ફક્ત 500 મીટર દૂર

કોંગ્રેસનું નવું હેડક્વાર્ટર દિલ્હીમાં ભાજપના હેડક્વાર્ટરથી લગભગ 500 મીટર દૂર છે. તેનો શિલાન્યાસ ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ અને સોનિયા ગાંધીએ 2009 માં કર્યો હતો. આજે 15 વર્ષ પછી આ ઇમારત તૈયાર છે.

1977 પછી 2025માં કોંગ્રેસને મળ્યું નવું ઠેકાણું

ખરેખર તો 1977ની લોકસભા ચૂંટણીમાં પાર્ટીની હાર પછી લુટિયન્સ દિલ્હીના 24, અકબર રોડ પરના બંગલાને AICC હેડક્વાર્ટરમાં ફેરવી દેવામાં આવ્યો હતો. અકબર રોડ બંગલા પર એક સમયે સર રેજિનાલ્ડ મેક્સવેલનો કબજો હતો, જેઓ લોર્ડ લિનલિથગોની એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્ય (હોમ) હતા. જો કે, એવું કહેવામાં આવી રહ્યું છે કે પાર્ટી 24, અકબર રોડ સ્થિત વર્તમાન મુખ્ય કાર્યાલય ખાલી નહીં કરે. 1978 માં તેની રચના થઈ ત્યારથી તે કોંગ્રેસ (I) નું મુખ્યાલય છે. એવી ચર્ચા છે કે જૂના હેડક્વાર્ટરમાં અમુક વિભાગો જળવાઈ રહેશે.

આ પણ વાંચો- અમરેલી લેટરકાંડ: આરોપી અશોક માંગરોળીયાને કરાયો સરપંચ પદેથી ફરજ મોકૂફ

Related Posts

Sheetal Simmi Chaudhary Murder: બોયફ્રેન્ડ સાથે શૂંટિંગમાં ગયેલી મોડલની લાશ મળી, પરિવારના ગંભીર આક્ષેપ
  • June 16, 2025

‘બોયફ્રેન્ડે બળજબરી કરવાનો પ્રયાસ કર્યો’ બોયફ્રેન્ડે જ હત્યા કર્યાના આક્ષેપ હત્યારાનું પગેરું મેળવવાના પોલીસના પ્રયાસ Sheetal Simmi Chaudhary Murder Mystery: આજે 16 જૂને હરિયાણાની ઉભરતી મ્યુઝિક વિડિયો કલાકાર અને મોડેલ…

Continue reading
India Census: ‘ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર’, જયરામ રમેશનો વસ્તી ગણતરીના નોટિફિકેશન પર કટાક્ષ, મોદી સરકારને ઘેરી
  • June 16, 2025

India Census: કેન્દ્ર સરકારે ભારતની વસ્તીગણતરી કરવાની તારીખો જાહેર કરી દીધી છે. જોકે સરકારે પહેલા કહ્યું હતુ કે જાતિગત વસ્તી ગણતરી થશે. જો કે આજે બહાર પાડેલા જાહેરનામામાં જાતિગત વસ્તી…

Continue reading

One thought on “સોનિયા ગાંધીએ કર્યું કોંગ્રેસના નવા હેડક્વાર્ટર ઇન્દિરા ભવનનું ઉદ્ધાટન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Sheetal Simmi Chaudhary Murder: બોયફ્રેન્ડ સાથે શૂંટિંગમાં ગયેલી મોડલની લાશ મળી, પરિવારના ગંભીર આક્ષેપ

  • June 16, 2025
  • 9 views
Sheetal Simmi Chaudhary Murder: બોયફ્રેન્ડ સાથે શૂંટિંગમાં ગયેલી મોડલની લાશ મળી, પરિવારના ગંભીર આક્ષેપ

India Census: ‘ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર’, જયરામ રમેશનો વસ્તી ગણતરીના નોટિફિકેશન પર કટાક્ષ, મોદી સરકારને ઘેરી

  • June 16, 2025
  • 15 views
India Census: ‘ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર’, જયરામ રમેશનો વસ્તી ગણતરીના નોટિફિકેશન પર કટાક્ષ, મોદી સરકારને ઘેરી

Ahmedabad Plane Crash: ભયાનક વિમાન દુર્ઘટનામાં ફાયર વિભાગે શું કામગીરી કરી?

  • June 16, 2025
  • 12 views
Ahmedabad Plane Crash: ભયાનક વિમાન દુર્ઘટનામાં ફાયર વિભાગે શું કામગીરી કરી?

Bhavnagar : મહુવામાં ભારે વરસાદના કારણે 30 વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા, તંત્ર પાસે માંગી મદદ

  • June 16, 2025
  • 11 views
Bhavnagar : મહુવામાં ભારે વરસાદના કારણે 30 વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા, તંત્ર પાસે માંગી મદદ

Visavadar, Kadi By-Election: શંકરસિંહ વાઘેલાનો ચૂંટણી પંચ પર આક્ષેપ, કહ્યું 10 જૂન પછી ક્યારેય ચૂંટણીઓ થઈ નથી

  • June 16, 2025
  • 26 views
Visavadar, Kadi By-Election: શંકરસિંહ વાઘેલાનો ચૂંટણી પંચ પર આક્ષેપ, કહ્યું 10 જૂન પછી ક્યારેય ચૂંટણીઓ થઈ નથી

Vijay Rupani નો પાર્થિવ દેહ રાજકોટ પહોંચ્યો, શ્રદ્ધાંજલિ આપવા ભીડ ઉમટી

  • June 16, 2025
  • 20 views
Vijay Rupani નો પાર્થિવ દેહ રાજકોટ પહોંચ્યો,  શ્રદ્ધાંજલિ આપવા ભીડ ઉમટી