
■EDએ ગાંધીનગર સ્થિત નિવાસસ્થાનથી સુરેન્દ્રનગરના તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર મહેન્દ્ર પટેલની ધરપકડ કરી હતી.
Surendranagar News: સુરેન્દ્રનગરના ₹1500 કરોડના ચકચારી જમીન કૌભાંડ પ્રકરણમાં આખરે સુરેન્દ્રનગરના તત્કાલીન કલેક્ટર ડૉ. રાજેન્દ્રકુમાર પટેલની ધરપકડ થતા રાજ્યભરમાં ભારે ચકચાર મચી ગઈ છે.આ પહેલા સુરેન્દ્રનગર જિલ્લાના નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ધરપકડ થઈ હતી તેઓ 1 જાન્યુઆરી સુધી રિમાન્ડ હેઠળ હતા બાદમાં કોર્ટ કસ્ટડીમાં છે તેમની હવે એસીબી પૂછતાછ માટે કસ્ટડી લે તેવી શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગરના મસમોટા જમીન કૌભાંડની વિગતો ખુલતા ભારે હડકંપ મચ્યો હતો અને રાજ્ય સરકારે સુરેન્દ્રનગરના કલેક્ટર ડૉ. રાજેન્દ્રકુમાર પટેલની તાત્કાલિક અસરથી બદલી કરી નાખી હતી અને વેઇટિંગ ઇન પોસ્ટિંગ મૂકી દીધા હતા અને તેમની સેવાઓ આગામી આદેશ સુધી સામાન્ય વહીવટ વિભાગને સોંપવામાં આવી હતી.
જ્યારે સુરેન્દ્રનગર જિલ્લા વિકાસ અધિકારી કે.એસ. યાજ્ઞિકને આગામી આદેશ સુધી સુરેન્દ્રનગરના કલેક્ટર પદનો વધારાનો હવાલો સોપાયો હતો.23 ડિસેમ્બરે દિલ્હીથી ગુજરાતમાં આવેલી ઈડીની સ્પેશિયલ ટીમે સુરેન્દ્રનગર જિલ્લાના નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીને ત્યાં રેડ કરતા ₹ 67.50 લાખ રોકડ સહિત પૈસાની લેતીદેતીના વ્યવહારો, દસ્તાવેજો તેમજ મોબાઈલમાં આ અંગેના પુરાવા મળ્યા હતા.
ત્યારબાદ જિલ્લા કલેક્ટર જે ફાઇલનો વહિવટ કરવાનો હોય તે ઘરે લઇ જતા હોવાની વાતનો ખુલાસો થયો હતો અને કલેક્ટરના બંગલામાંથી 100 ફાઈલો જપ્ત કરવામાં આવી હતી.સુરેન્દ્રનગર કલેક્ટર કાર્યાલયમાં ચાલતા આ સિસ્ટેમેટિક NA કૌભાંડની મોડસ ઓપરેન્ડી ખુલ્લી પડી છે.જમીન NA કરાવવા મામલે EDની તપાસમાં કેટલાક ખુલાસા થતા હવે તત્કાલીન કલેકટર રાજેન્દ્રકુમાર પટેલની પૂછતાછ બાદ ઈડીની ટીમે તેમને ગાંધીનગરથી એરેસ્ટ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે હવે આગળની તપાસમાં મોટા ખુલાસા થવાની શકયતા વ્યક્ત થઈ રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં દાખલ થયેલ એક કેસની તપાસ દરમિયાન સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડ ખુલ્યું હતું. સમગ્ર મામલે સુરેન્દ્રનગરના કલેક્ટર રાજેન્દ્ર પટેલ અને નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી સામે કાર્યવાહી થઈ છે. આજે સુરેન્દ્રનગર કલેક્ટર રાજેન્દ્ર પટેલને 4 વાગ્યે ED કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરાશે.
આ પણ વાંચો:
Pentagon: ચીનની ભેદી હિલચાલ; અરૂણાચલ પ્રદેશ કબ્જે કરવા કરી રહ્યું છે, તૈયારીઓ! પેન્ટગોને આપી ચેતવણી!
Donald Trump: ટ્રમ્પનો ‘ટેરિફ દાવ’ ઊંધો પડ્યો! 700થી વધુ યુએસ કંપનીઓને લાગ્યા તાળા!
Aravali Case: અરવલ્લી કેસમાં સુપ્રીમ કોર્ટેનો પોતાનાજ આદેશ પર સ્ટે; આગામી સુનાવણી 21મી એ થશે










