RBIના ભૂતપૂર્વ ગવર્નર શક્તિકાંત દાસની PMOમાં નિમણૂક ઘણી રીતે અસામાન્ય કેમ છે?

  • RBIના ભૂતપૂર્વ ગવર્નર શક્તિકાંત દાસની PMOમાં નિમણૂક ઘણી રીતે અસામાન્ય કેમ છે?

નવી દિલ્હી: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ભૂતપૂર્વ ગવર્નર શક્તિકાંત દાસની વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્ય સચિવ તરીકે નિમણૂક તેમની બઢતી છે કે ડિમોશન?

કદાચ ઘણા લોકો પાસે આ પ્રશ્નનો સીધો જવાબ નહીં હોય, પરંતુ કોઈ સરળતાથી કહી શકે છે કે શક્તિકાંત દાસ ચોક્કસપણે વડાપ્રધાનના કેટલાક પ્રિય અમલદારોમાંના એક છે.

ભારતના ઇતિહાસમાં ક્યારેય કોઈ ભૂતપૂર્વ આરબીઆઈ ગવર્નરને કારોબારી વિભાગમાં આટલા ઉચ્ચ પદ પર નિયુક્ત કરવામાં આવ્યા નથી. પરંતુ દાસની નિમણૂકને ફક્ત “અભૂતપૂર્વ” કહેવું એ મોદી સરકારના ધોરણો અને પરંપરાઓને તોડવાના અસાધારણ ઉત્સાહ સાથે અન્યાય ગણાશે.

જણાવી દઈએ કે, જ્યારે શક્તિકાંત દાસને RBI ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, ત્યારે મોટાભાગના નિરીક્ષકો માનતા હતા કે આ પગલાથી કેન્દ્રીય બેંક પર સરકારનું નિયંત્રણ વધવાની શક્યતા છે, કારણ કે દાસે છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક મુખ્ય હોદ્દા સંભાળ્યા છે. તેઓ 15મા નાણા પંચના સભ્ય, મહેસૂલ સચિવ, આર્થિક બાબતોના સચિવ (જ્યારે તેમણે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ લાગુ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી) હતા, અને G20માં ભારતના શેરપા તરીકે પણ સેવા આપી હતી.

શક્તિકાંત દાસ ડિસેમ્બર 2018થી ડિસેમ્બર 2024 સુધી RBI ગવર્નર હતા. કેન્દ્ર સરકારે 2016માં RBI કાયદામાં સુધારો કર્યા પછી તે શક્ય બની શક્યું, સંશોધનમાં કેબિનેટ સચિવને મહત્વપૂર્ણ નાણાકીય નીતિ સમિતિ (MPC)ના સભ્યોની પસંદગી કરતી સમિતિના વડા તરીકે સત્તા આપવામાં આવી શકે તેવા ફેરફાર કરવામાં આવ્યા હતા. તે પછી શક્તિકાંત દાસની એન્ટ્રીનો રસ્તો સાફ થયો હતો.

તે ઉપરાંત સરકારના આ પગલાથી આરબીઆઈ ગવર્નરની સ્થિતિ નબળી પડી ગઈ અને તેઓ સરકારના આધીન બની ગયા હતા.

દાસનો કાર્યકાળ ઉતાર-ચઢાવથી ભરેલો રહ્યો, કારણ કે તેમણે કોવિડ રોગચાળા દરમિયાન ફુગાવાના ચક્ર વચ્ચે દેશના નાણાકીય બાબતોનું સંચાલન કર્યું. જોકે, તેમના કાર્યકાળના છેલ્લા ત્રિમાસિક ગાળામાં, જ્યારે સરકાર આર્થિક મંદીમાં આગળ વધી રહી હતી, ત્યારે તેમને ધિરાણ દર ઘટાડવા માટે મંત્રી સ્તરનો ભારે દબાણનો સામનો કરવો પડ્યો, જેના કારણે બજાર નિરીક્ષકો માને છે કે દાસ અગાઉના વિચાર કરતાં વધુ વ્યક્તિવાદી હોઈ શકે છે.

આ પણ વાંચો-

દાસે આરબીઆઈ સમિતિના સભ્યોની સલાહનું સમર્થન કર્યું કે દરોમા કોઈપણ કાપથી મોંઘવારી વધશે. તેમના ઉત્તરાધિકારી સંજય મલ્હોત્રાએ આરબીઆઈના નવા ગવર્નરના રૂપમાં નિયુક્તિના તરત પછી દરોમાં કાપ મૂક્યો, જેનાથી તે ધારણાને બળ મળ્યો.

જોકે, આવી બધી અટકળો ત્યારે ધરાશાયી થઈ ગઈ જ્યારે દાસને પીકે મિશ્રાના સ્થાન પર વડાપ્રધાનના પ્રધાન સચિવના રૂપમાં સરકારમાં લાવવામાં આવ્યા. પીકે મિશ્રાના બીજા કાર્યકાળના સૌથી પ્રભાવશાળી અમલદારશાહોમાંથી એક છે.

દાસની નિયુક્તએ મોદી સરકારના કાર્યકાળમાં આરબીઆઈની સ્વાયત્તતામાં ઘટાડાને લઈને એક વખત ફરીથી ચર્ચા શરૂ કરી દીધી છે. ખાસ કરીને આરબીઆઈએ ઐતિહાસિક રૂપથી લાંબાગાળાના દ્રષ્ટિકોણથી રોકાણ કરનારી સંસ્થાઓના રૂપમાં કાર્ય કર્યું છે અને જેનો ઉદ્દેશ્ય સરકારના દબાણ વિરૂદ્ધ જવાનું છે, જે સંકટના સમયમાં વધારે ખર્ચ કરવાનું પસંદ કરે છે.

મોદી સરકાર દ્વારા લેવામાં આવેલા મોટાભાગના રાજકોષીય નિર્ણય,જેમાં ભલે પછી GST હોય, નોટબંધી હોય કે મૂડી ખર્ચનો ઉમેરો – રાજકીય લાભ માટે તેનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે, RBI લગભગ તટસ્થ રહી છે. પરંતુ તેમાં સત્તા સામે દાસ પણ તેમાં કોઈ આમૂલ પરિવર્તન લાવી શક્યા નહીં.

વિપક્ષ અને ટીકાકારો પહેલાથી જ મોદી સરકાર પર આપણા લોકશાહીની ઐતિહાસિક રીતે સ્વાયત્ત સંસ્થાઓ સાથે કથિત રીતે સમાધાન કરવાનો આરોપ લગાવી રહ્યા છે. આ દરમિયાન દાસની નિમણૂકથી વધુ પ્રશ્નો ઉભા થયા છે.

દાસ કદાચ પ્રધાનમંત્રી કાર્યાલય (PMO)માં રાજકોષીય અને નાણાકીય બાબતોમાં નિષ્ણાત પ્રથમ મુખ્ય સચિવ છે, અને સરકારના ઉચ્ચ સ્તરે નિયુક્ત થનારા પ્રથમ RBI ગવર્નર છે. તેમની નિમણૂકની તુલના ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ સાથે કરી શકાય છે.

આરબીઆઈ ગવર્નર તરીકે સેવા આપ્યા પછી સિંહ કેન્દ્રીય નાણામંત્રી બન્યા હતા. જોકે, એક મહત્વપૂર્ણ અંતર છે. મનમોહન સિંહ કેબિનેટ પદ સંભાળતા પહેલા સત્તાવાર રીતે કોંગ્રેસમાં જોડાયા હતા, પરંતુ દાસને અધિકારી તરીકે લાવવામાં આવ્યા છે.

ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈએ રાજ્યસભાના સાંસદ તરીકે નામાંકિત થતાં પહેલાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ને ખુલ્લેઆમ સમર્થન આપીને એક મિસાલ સ્થાપિત કરી હતી. પરંતુ દાસ એક સ્વતંત્ર વ્યક્તિત્વ તરીકે રહ્યા છે, ભલે તેઓ કારોબારીમાં ઊંડાણપૂર્વક જોડાયેલા રહે છે, તેમણે RBIના વડા તરીકે છ વર્ષ સેવા આપ્યા પછી સરકારમાં જોડાવાનું પસંદ કર્યું છે.

ઉલ્લેખનિય છે કે ભારતીય લોકશાહીમાં સત્તાઓને અલગ પાડતી રેખાઓ ઝાંખી થતી જઈ રહી છે. આવી સ્થિતિમાં બે ખાસ કિસ્સાઓ ધ્યાનમાં આવે છે. પહેલું ભૂતપૂર્વ CAG જીસી મુર્મુનું છે. ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે મોદીના ભૂતપૂર્વ મુખ્ય સચિવ મુર્મુ, પીએમ મોદીના અમલદારોના જૂથનો અભિન્ન ભાગ બન્યા હતા અને 2019 માં નવા બનેલા કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરના પ્રથમ લેફ્ટનન્ટ ગવર્નર પણ બન્યા હતા, જે CAG તરીકે નિયુક્ત થયા હતા, જે સરકારમાં ભ્રષ્ટાચારનું ઓડિટ અને ખુલાસો કરવા માટે જવાબદાર એક પ્રતિષ્ઠિત પદ છે.

સીએજીના રૂપમાં તેમનું કાર્યકાળ, આશ્ચર્યની વાત નથી, પરંતુ સૌથી હેડલાઈનમાં ચમકનારું બન્યું રહ્યુ છે.

આવી જ રીતે કોઈ મુખ્ય ચૂંટણી પંચના જ્ઞાનેશ કુમાર વિશે પણ વિચારી શકે છે, જેમની વિપક્ષ નેતા (એલઓપી) રાહુલ ગાંધીની અસહ્મતિ વચ્ચે અડધી રાત્રે નિયુક્ત વ્યાપક રીતે પ્રશ્નોના ઘેરામાં આવી ગઈ છે. મુર્મૂની જેમ જ કુમાર પણ મોદી સરકારાના ઘણા બધા રાજકીય નિર્ણયોમાં અભિન્ન ભૂમિકા ભજવી ચૂક્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, તેમણે તે બિલનું ડ્રાફ્ટ તૈયાર કર્યું હતું, જેના કારણે જમ્મુ અને કાશ્મીરનો વિશેષ દરજ્જો ખત્મ કરી દેવામાં આવ્યો હતો. તેમણે સુપ્રીમ કોર્ટમાં રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ સ્વામિત્વવાળા કેસોની સુનાવણી દરમિયાન કાનૂની અને પ્રશાસનિક મામલાઓમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી અને મંદિરના નિર્માણની દેખરેખ કરનારા શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના નિર્માણમાં પણ તેમને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

દાસ, મુર્મૂ અને કુમાર, આ બધા અમલદારશાહોએ સરકારની સેવા દરમિયાન કદાચ તેમને એવું કર્યું જે તેમના પાસે અપેક્ષિત હતું. જોકે, હવે તેમની શાનદાર સ્થિતિને ભાજપાની રાજકીય અને મોટાભાગે ધ્રુવીકરણવાળા નિર્ણયોને લાગું કરવામાં તેમની ભૂમિકાને ધ્યાનમાં લઈને ઈનામના રૂપમાં દેખવામાં આવે છે. આ દુનિયાના કોઈપણ હિસ્સામાં કોઈ પણ સરકાર માટે સારૂં દ્રષ્ટિકોણ હોઈ શકે નહીં, પરંતુ હંમેશાની જેમ એવું લાગી રહ્યુ નથી કે, ભારતીય વડાપ્રધાનને આની કોઈ ચિંતા છે.

આ પણ વાંચો- અમદાવાદમાં 15 વર્ષ પહેલા થયેલી હત્યાના કેસનો ચૂકાદો; 10 આરોપીઓને આજીવન કેદ

Related Posts

Barda Sanctuary Illegal Liquor: વન પ્રધાન અર્જૂન મોઢવાડિયાના મત વિસ્તારમાં દારુનું અભયારણ્ય
  • May 6, 2026

By- દિલીપ પટેલ Barda Sanctuary Illegal Liquor: ગાંધીજીના જન્મસ્થળ પોરબંદરની સમીપ આવેલું 192 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું કુદરતી સૌંદર્યથી સભર બરડા વન્યપ્રાણી અભયારણ્ય આજે એક ગંભીર સંકટનો સામનો કરી રહ્યું છે.…

Continue reading
જનતાનો વિજય તો પરાજય કોનો? સ્થાનિક સરકારોની ચૂંટણી વિશ્લેષણ
  • April 28, 2026

The Gujarat Report | ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપના વિજય અંગેનું વિસ્તૃત વિશ્લેષણ કરી રહ્યાં છે પત્રકાર જીતુભાઈ મહેતા તેમજ દિલીપભાઈ પટેલ. જેમાં મહત્વનો મુદ્દો એ છે કે અંબાજી, ડાકોર,…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Punjab Bomb Blast: પંજાબ બોમ્બ બ્લાસ્ટ બાદ રાઘવ ચઢ્ઢાનો ભગવંત માન પર હુમલો, ‘ISI નો નેરેટિવ બોલી રહી છે સરકાર’

  • May 6, 2026
  • 7 views
Punjab Bomb Blast: પંજાબ બોમ્બ બ્લાસ્ટ બાદ રાઘવ ચઢ્ઢાનો ભગવંત માન પર હુમલો, ‘ISI નો નેરેટિવ બોલી રહી છે સરકાર’

Surat SBI Bank Robbery: સુરત SBI બેંક લૂંટકાંડનો ભેદ ઉકેલાયો, બિહારની કુખ્યાત કુંદન ભગત ગેંગનો પર્દાફાશ

  • May 6, 2026
  • 6 views
Surat SBI Bank Robbery: સુરત SBI બેંક લૂંટકાંડનો ભેદ ઉકેલાયો, બિહારની કુખ્યાત કુંદન ભગત ગેંગનો પર્દાફાશ

Barda Sanctuary Illegal Liquor: વન પ્રધાન અર્જૂન મોઢવાડિયાના મત વિસ્તારમાં દારુનું અભયારણ્ય

  • May 6, 2026
  • 8 views
Barda Sanctuary Illegal Liquor: વન પ્રધાન અર્જૂન મોઢવાડિયાના મત વિસ્તારમાં દારુનું અભયારણ્ય

Iran US Conflict: ઈરાન દબાણ સામે નહીં ઝૂકે, પરંતુ વાતચીત માટે તૈયાર, ઈરાની રાષ્ટ્રપતિ મસૂદ પેજેશકિયાનનું મોટું નિવેદન

  • May 6, 2026
  • 8 views
Iran US Conflict: ઈરાન દબાણ સામે નહીં ઝૂકે, પરંતુ વાતચીત માટે તૈયાર, ઈરાની રાષ્ટ્રપતિ મસૂદ પેજેશકિયાનનું મોટું નિવેદન

Shehzad Poonawalla: કોંગ્રેસ સ્થાનિક પક્ષોનો ઉપયોગ કરીને તેમને છોડી દે છે, BJP પ્રવક્તા શહઝાદ પૂનાવાલાના વિપક્ષી ગઠબંધન પર ગંભીર આરોપ

  • May 6, 2026
  • 12 views
Shehzad Poonawalla: કોંગ્રેસ સ્થાનિક પક્ષોનો ઉપયોગ કરીને તેમને છોડી દે છે, BJP પ્રવક્તા શહઝાદ પૂનાવાલાના વિપક્ષી ગઠબંધન પર ગંભીર આરોપ

Priyanka Chaturvedi on UN: “UN ને પોતે ખબર નથી કે શું કરી રહ્યું છે” – માર્કો રુબિયોના નિવેદન પર પ્રિયંકા ચતુર્વેદીની તીખી પ્રતિક્રિયા

  • May 6, 2026
  • 9 views
Priyanka Chaturvedi on UN: “UN ને પોતે ખબર નથી કે શું કરી રહ્યું છે” – માર્કો રુબિયોના નિવેદન પર પ્રિયંકા ચતુર્વેદીની તીખી પ્રતિક્રિયા