Indore: ઇન્દોર સરકારના હત્યારા તંત્રએ 15 માનવ જીંદગીઓ છીનવી લીધી! લોકો ફરિયાદ કરતા રહ્યા પણ કોઈએ ન સાંભળ્યું! ચોંકાવનારો ખુલાસો

Indore: મધ્યપ્રદેશ સ્થિત ઇન્દોર કે જેને સતત સાત વર્ષથી દેશના સૌથી સ્વચ્છ શહેરનો ખિતાબ મળ્યો છે,હવે ઇન્દોરનું ભગીરથપુરા દેશભરમાં દૂષિત પાણીથી સર્જાયેલા મૃત્યુકાંડથી બદનામ થઈ ગયું છે.નર્મદા નદીની પાઇપલાઇનમાં ડ્રેનેજનું પાણી ભળવાને કારણે પુરવઠાનું પાણી ગંદુ થઈ જતા સર્જાયેલી આ ગંભીર સમસ્યાએ 15 લોકોની જિંદગી છીનવી લીધી અને સરકાર માટે ચાર લોકોના મોત થયાની પીપુડી વગાડી રહ્યું છે.

અહીંના મુખ્યમંત્રી મોહન યાદવથી લઈ કૈલાશ વિજયવર્ગીય જે જેઓ મધ્ય પ્રદેશ સરકારમાં કેબિનેટ મંત્રી છે તેઓ પણ હવે વિવાદમાં આવ્યા છે

ખુદ ભાજપના નેતાઓ પણ આ મામલે સરકારને દોષ દઈ રહયા છે,ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા ઉમા ભારતીએ સરકાર અને વહીવટીતંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા તેમણે લખ્યું, આ ઘટના માટે માત્ર ઇન્દોરના મેયર જ નહીં, પરંતુ મધ્યપ્રદેશની સરકાર અને વહીવટીતંત્ર જવાબદાર છે.

સૌથી ચોંકાવનારી વાતતો એ છે કે સ્થાનિક રહેવાસીઓ ઘણા અઠવાડિયાથી ગંદા પાણી પુરવઠા અંગે ફરિયાદ કરી રહ્યા હતા, પરંતુ વહીવટીતંત્રે તેની ઉપર બિલકુલ ધ્યાન ન આપ્યું અને અવગણના કરી હતી.

ત્યારબાદ 29 ડિસેમ્બર, 2025 ના રોજ પરિસ્થિતિ વધુ વણસી ગઈ અને 100 થી વધુ લોકોને ઝાડા-ઉલટી-ડાયરિયાનો ભોગ બન્યા અને માત્ર છ દિવસમાંજ 15 લોકોના મોત થઈ ગયા જે ભયાનક ચિત્ર બહાર આવ્યું તે ખૂબજ ચોંકાવનારું હતું જો,લોકોની ફરિયાદનો તરતજ અમલ થયો હોતતો કદાચ તે કમનસીબ મૃત્યુ પામેલા લોકો પોતાના પરિવાર વચ્ચે હયાત હોત

નવાઈની વાત તો એ છે કે સરકારે હાઇકોર્ટમાં સ્ટેટસ રિપોર્ટ રજૂ કર્યો તેમાં જણાવાયું હતું કે દૂષિત પાણીને કારણે ઇન્દોરમાં ફક્ત ચાર મૃત્યુ થયા છે,જેની આગામી સુનાવણી 6 જાન્યુઆરીએ થશે.બીજી તરફ મૃતકોના પરિવારો અને હોસ્પિટલો દ્વારા 15 મૃત્યુની પૃષ્ટિ કરવામાં આવી છે.આ કમનસીબ અને ખૂબજ ગંભીર કહી શકાય તેવી ઘટના અંગે The Gujarat Reportના MD મયુર જાનીએ સ્થાનિક અગ્રણી જાણીતા પત્રકાર અરુણ દીક્ષિત સાથે ચર્ચા કરી હતી જે વિસ્તૃત છણાવટ અત્રે પ્રસ્તુત છે વિડીયો જોવાનું ચૂકશો નહિ.

The Gujarat Report | સાંપ્રત લોક હિતના વિષયોના સમાચાર અને સચોટ વિશ્લેષણ જુઓ માત્ર ધ ગુજરાત રિપોર્ટ પર
પ્રસ્તુત છે વિડીયો

આ પણ વાંચો:

Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!

Narendramodi: પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યામાં પિતા વિઠ્ઠલ પંડ્યાએ નરેન્દ્ર મોદીને કેમ જવાબદાર ગણાવ્યા? 22 વર્ષ બાદ ફરી સળવળાટ!

Haryana: ભારતમાં બાંગ્લાદેશ-નેપાળ જેવા આંદોલનની જરૂર,નેતાઓને જાહેરમાં માર મારવો જોઈએ! ચૌટાલાના નિવેદનથી હંગામો

Social Media: ભાજપના નેતા ડો.ભરત કાનાબારે The Gujarat Report ઉપર કહ્યું:બાળકો માટે સોશ્યલ મીડિયા ઉપર પ્રતિબંધ ક્યારે?

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના સુરતથી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

Narendramodi: ફરી એક વખત PM નરેન્દ્ર મોદીએ ટ્રમ્પથી દૂરી બનાવી! 71મી વાર કહ્યું ” ભારત-પાકનું યુદ્ધ મેં રોકાવ્યું!” મોદીજીનું ભેદી મૌન,જુઓ ખાસ વિશ્લેષણ
  • January 22, 2026

Narendramodi: સ્વિટ્ઝર્લૅન્ડના દાવોસમાં આયોજિત વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF) ની વાર્ષિક બેઠકમાં ટ્રમ્પની હાજરી હતી પણ નરેન્દ્ર મોદી ગાયબ છે. અલબત્ત પીએમ મોદીની ગેરહાજરીમાં, ભારતનું પ્રતિનિધિત્વ એક ઉચ્ચ-સ્તરીય પ્રતિનિધિમંડળ દ્વારા કરવામાં…

Continue reading
Europe: “વો બાત વિદેશોમે કહાં જો હમારે ભારતમે હૈ!”જુઓ ખાસ વિશ્લેષણ
  • January 21, 2026

Europe: દુનિયામાં વિકસિત દેશોમાં ભારતીય લોકો અને ભારતની ગણના પછાત તરીકે થઈ રહી છે અને ભારતમાં સ્વચ્છતાનો અભાવ,અંધશ્રદ્ધા વગેરે મુખ્ય છે. ભારતના શહેરોમાં અને ગ્રામીણ વિસ્તારોમાં ગરીબી વ્યાપક છે, જેના…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Surendranagar: સુરેન્દ્રનગરના સરોડી ગામે સિલિકોસિસથી 30ના મોતથી હાહાકાર!

  • January 22, 2026
  • 3 views
Surendranagar: સુરેન્દ્રનગરના સરોડી ગામે સિલિકોસિસથી 30ના મોતથી હાહાકાર!

Narendramodi: ફરી એક વખત PM નરેન્દ્ર મોદીએ ટ્રમ્પથી દૂરી બનાવી! 71મી વાર કહ્યું ” ભારત-પાકનું યુદ્ધ મેં રોકાવ્યું!” મોદીજીનું ભેદી મૌન,જુઓ ખાસ વિશ્લેષણ

  • January 22, 2026
  • 4 views
Narendramodi: ફરી એક વખત PM નરેન્દ્ર મોદીએ ટ્રમ્પથી દૂરી બનાવી! 71મી વાર કહ્યું ” ભારત-પાકનું યુદ્ધ મેં રોકાવ્યું!” મોદીજીનું ભેદી મૌન,જુઓ ખાસ વિશ્લેષણ

Kashmir: ડોડામાં સેનાનું વાહન ખીણમાં ખાબકતા 10 સૈનિકો શહીદ, 3 ગંભીર રીતે ઘાયલ!

  • January 22, 2026
  • 8 views
Kashmir: ડોડામાં સેનાનું વાહન ખીણમાં ખાબકતા 10 સૈનિકો શહીદ, 3 ગંભીર રીતે ઘાયલ!

Bullet train: નરેન્દ્ર મોદીએ બુલેટ ટ્રેન વિશે કહ્યું હતું કે, ‘વો કોઈ બેઠને નહિ આને વાલા ! મચ્યો હોબાળો!

  • January 22, 2026
  • 8 views
Bullet train: નરેન્દ્ર મોદીએ બુલેટ ટ્રેન વિશે કહ્યું હતું કે, ‘વો કોઈ બેઠને નહિ આને વાલા ! મચ્યો હોબાળો!

Gujarat Politics: પૂર્વ CM આનંદી બેન ગુજરાતમાં સક્રિય? અનાર પટેલ ની એન્ટ્રી શુ સૂચવે છે? જુઓ, ખાસ વિશ્લેષણ

  • January 22, 2026
  • 7 views
Gujarat Politics: પૂર્વ CM આનંદી બેન ગુજરાતમાં સક્રિય? અનાર પટેલ ની એન્ટ્રી શુ સૂચવે છે? જુઓ, ખાસ વિશ્લેષણ

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

  • January 22, 2026
  • 9 views
FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો