Ahmedabad: સાબરમતી નદીનું પાણી ખાલી કરાયું

Ahmedabad Sabarmati river, water empty: અમદાવાદ શહેર વચ્ચે વહેતી સાબરમતીનું પાણી ખાલી કરાયું છે. સાબરમતી નદીની સાફ-સફાઈ માટે ખાલી કરવામાં આવી છે. સાથે સાથે વાસણા બેરેજના સમારકામ અને ઉપરવાસમાં માટીના રેમ્પ નિર્માણ હેતુસર રાજ્યના સિંચાઈ વિભાગ દ્વારા નદીને સંપૂર્ણપણે ખાલી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ કામગીરી  આજે 12 મે, થી 5 જૂન, 2025 સુધી ચાલશે.

શહેરના હૃદય સમાન સાબરમતી નદીને સંપૂર્ણપણે ખાલી કરીને સ્વચ્છ બનાવવાનું અભિયાન શરૂ થયું છે. સાબરમતી નદી પર વાસણા ખાતે નિર્મિત બેરેજના દરવાજાના રિપેરિંગ અને તેના ઉપરવાસમાં માટીનો રેમ્પ બનાવવાની અત્યંત જરૂરી કામગીરી કરાશે. આ હેતુસર રાજ્યના સિંચાઈ વિભાગ દ્વારા સુભાષબ્રિજથી લઈને વાસણા બેરેજ સુધીના અંદાજિત પાંચ કિલોમીટરથી વધુ લાંબા નદી પટને ખાલી કરી દેવામાં આવશે. નદી સંપૂર્ણપણે શુષ્ક થયા બાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ દ્વારા નદીના તળિયાની સફાઈ હાથ ધરવામાં આવશે, જેમાં જમા થયેલો કચરો અને કાંપ વગેરે દૂર કરવામાં આવશે.

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ સામાજિક સંસ્થાઓ અને એનજીઓ સાથે મળીને જનભાગીદારી સાથે સફાઈ કામગીરી શરૂ કરવામાં આવી. નોંધનીય છે કે સુભાષ બ્રિજ નજીક સાબરમતી નદી પર બુલેટ ટ્રેનનું નિર્માણ કાર્ય પણ ચાલી રહ્યું છે, જેથી તે વિસ્તારથી આગળનો નદી પટ ખાલી થશે. નદીના કેટલાક વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાયેલું છે, જે આગામી દિવસોમાં સુકાઈ જશે ત્યારબાદ ત્યાં પણ સફાઈ કરવામાં આવશે.

સાબરમતી નદી

સાબરમતી નદી ભારતની મહત્વની નદીઓમાંની એક છે, જે રાજસ્થાનના અરાવલી પર્વતમાળામાં, ઉદયપુર જિલ્લાના માઉન્ટ આબુ ખાતે જય સમુદ્ર તળાવ નજીકથી ઉદ્ભવે છે. આ નદી રાજસ્થાન અને ગુજરાત થઈને લગભગ 371 કિલોમીટરની મુસાફરી કરીને ખંભાતના અખાતમાં સમાય છે. તેના માર્ગમાં અમદાવાદ અને ગાંધીનગર જેવાં શહેરો આવે છે, જ્યાં તે સાંસ્કૃતિક અને આર્થિક રીતે મહત્વની છે. સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટે અમદાવાદમાં નદીના કાંઠાને પ્રવાસન અને પર્યાવરણીય સુધારણાનું કેન્દ્ર બનાવ્યું છે. જોકે, નદી પ્રદૂષણનો સામનો કરે છે, કારણ કે ગટરનું ગંદું પાણી અને ઔદ્યોગિક કચરો તેની ગુણવત્તાને અસર કરે છે. સફાઈ માટે 2025માં વાસણા બેરેજના સમારકામ અને પાણી ખાલી કરવાની કામગીરી શરૂ થઈ છે.

સાબરમતી નદી દેશની બીજા નંબરની ગંદી નદી?

સાબરમતી નદી કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (નવેમ્બર 2022) અનુસાર, તે ભારતની બીજા નંબરની સૌથી પ્રદૂષિત નદી છે. અમદાવાદ જેવા શહેરોમાં ગટરનું ગંદું પાણી, ઔદ્યોગિક કેમિકલ્સ અને ઘન કચરો નદીમાં ઠલવાય છે, જેના કારણે પાણી પીવાલાયક નથી રહ્યું. સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ હોવા છતાં, ગેરકાયદેસર ડ્રેનેજ કનેક્શનો અને અપૂરતી સફાઈને કારણે પ્રદૂષણ વધ્યું છે.

આ પણ વાંચોઃ

ભારત-પાકિસ્તાન વચ્ચે આજે વાતચીત, ભારતને સીઝ ફાયર કેમ કરવું પડ્યુ? | Ceasefire

PM મોદીને પદ પર રહેવાનો કોઈ અધિકાર નથી, દેશ સાથે દગો કર્યો: સંજય રાઉત | ceasefire

India Pakistan Updates: બંને દેશ તરફથી યુદ્ધવિરામ, છતાં પાકિસ્તાન દ્વારા ફાયરિંગ ચાલુ

India-Pakistan ઘર્ષણ: સીઝ ફાયર કરાવવામાં કોનો હાથ?, પૂર્વ સેના પ્રમુખ નારાજ!, કહ્યું ફરી નહીં મળે મોકો

PoK અને આતંકીઓ સોંપો તો જ વાતચીત, ભારતે અમેરિકાને શું કહી દીધું?

Salman Khan: યુદ્ધવિરામ અંગે પોસ્ટ કરતાં જ સલમાન લોકોના લપેટામાં આવી ગયો, શું કહ્યું?

ઓપરેશન સિંદૂર ચાલુ રાખવા સેના મક્કમ, હવે શું થશે? | Operation Sindoor

 

 

 

Related Posts

Gir Forest Land Allocation Controversy: ગીર જમીન વિવાદમાં ફરી ઉઠ્યા સવાલો, આનંદીબેન પટેલ અને અનાર પટેલને લઈને જૂના આરોપોની ચર્ચા તેજ
  • May 8, 2026

Gir Forest Land Allocation Controversy: નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, તે સમયે ગીરના જંગલ વિસ્તારમાં જમીન ફાળવણીનો એક બહુ મોટો વિવાદ ઊભો થયો હતો. આ વિવાદ માત્ર સામાન્ય જમીનનો…

Continue reading
Gift City Data Center Fraud : ગુજરાતમાં વધતા નટવરલાલો! ડેટા સેન્ટર રોકાણના બહાને 32 હજાર લોકો સાથે ઠગાઈ? ઉત્પલ પટેલ કેસે મચાવ્યો ખળભળાટ
  • May 8, 2026

Gift City Data Center Fraud: ગુજરાત હંમેશા સાહસિક અને વ્યાપારી પ્રજા તરીકે વિશ્વભરમાં જાણીતું રહ્યું છે. આ એ ભૂમિ છે જેણે મહાત્મા ગાંધી, સરદાર પટેલ, રવિશંકર મહારાજ અને ઝવેરચંદ મેઘાણી જેવી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

West Bengal Election Violence: પશ્ચિમ બંગાળમાં ભાજપની જીત બાદ સનાતની વીરોનું શૌર્ય અને ટાઈમ મશીનની કલ્પના

  • May 8, 2026
  • 4 views
West Bengal Election Violence: પશ્ચિમ બંગાળમાં ભાજપની જીત બાદ સનાતની વીરોનું શૌર્ય અને ટાઈમ મશીનની કલ્પના

Gir Forest Land Allocation Controversy: ગીર જમીન વિવાદમાં ફરી ઉઠ્યા સવાલો, આનંદીબેન પટેલ અને અનાર પટેલને લઈને જૂના આરોપોની ચર્ચા તેજ

  • May 8, 2026
  • 6 views
Gir Forest Land Allocation Controversy: ગીર જમીન વિવાદમાં ફરી ઉઠ્યા સવાલો, આનંદીબેન પટેલ અને અનાર પટેલને લઈને જૂના આરોપોની ચર્ચા તેજ

Gift City Data Center Fraud : ગુજરાતમાં વધતા નટવરલાલો! ડેટા સેન્ટર રોકાણના બહાને 32 હજાર લોકો સાથે ઠગાઈ? ઉત્પલ પટેલ કેસે મચાવ્યો ખળભળાટ

  • May 8, 2026
  • 8 views
Gift City Data Center Fraud : ગુજરાતમાં વધતા નટવરલાલો! ડેટા સેન્ટર રોકાણના બહાને 32 હજાર લોકો સાથે ઠગાઈ? ઉત્પલ પટેલ કેસે મચાવ્યો ખળભળાટ

Mundra fishermen Adani protest: અત્યાચારનું બીજુ નામ અદાણી: મુંદરામાં 4 વખત માછીમારોને સ્થળાંતર

  • May 8, 2026
  • 8 views
Mundra fishermen Adani protest: અત્યાચારનું બીજુ નામ અદાણી: મુંદરામાં 4 વખત માછીમારોને સ્થળાંતર

Bhavnagar SBI Loan Scam: ભાવનગર SBI લોન કૌભાંડમાં મોટો ખુલાસો, નિલમબાગ બ્રાન્ચના ચીફ મેનેજરની ધરપકડથી બેંકિંગ ક્ષેત્રમાં ખળભળાટ

  • May 8, 2026
  • 8 views
Bhavnagar SBI Loan Scam: ભાવનગર SBI લોન કૌભાંડમાં મોટો ખુલાસો, નિલમબાગ બ્રાન્ચના ચીફ મેનેજરની ધરપકડથી બેંકિંગ ક્ષેત્રમાં ખળભળાટ

S Jaishankar: સુરીનામથી એસ. જયશંકરની વૈશ્વિક ચેતવણી, કહ્યું- દુનિયા હવે સંસાધનોને હથિયારની જેમ વાપરી રહી છે

  • May 8, 2026
  • 5 views
S Jaishankar: સુરીનામથી એસ. જયશંકરની વૈશ્વિક ચેતવણી, કહ્યું- દુનિયા હવે સંસાધનોને હથિયારની જેમ વાપરી રહી છે