ભારતીય સૈન્ય હાજરીનો વિરોધ કરનાર માલદીવને ભારતે 50 મિલિયન ડોલરની સહાય કરી

  • World
  • May 12, 2025
  • 0 Comments

માલદીવ અને ભારત વચ્ચેનો વિવાદ મુખ્યત્વે 2023-24 દરમિયાન રાજકીય અને રાજદ્વારી તણાવને કારણે ચર્ચામાં આવ્યો હતો. માલદીવે ભારતીય સૈનિકોની હાજરીને લઈ ભારતનો વિરોધ કર્યો હતો. અને ભારતીય સૈનિકોને માલદીવામાંથી નીકળી જવા કહ્યું હતુ. મુઈઝ્ઝુએ ભારત પર આકરા પ્રહાર કર્યા હતા. જોકે હવે પીએમ મોદીની આગેવાની હેઠળ મદદ કરતું દેખાઈ રહ્યું છે. ભારતે માલદીવને 50 મિલિયન યુએસ ડોલરની નાણાકીય સહાયની જાહેરાત કરી છે. માલદીવમાં ભારતીય હાઈ કમિશન દ્વારા એક પ્રેસ રિલીઝ દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. હાઈ કમિશને જણાવ્યું હતું કે માલદીવ સરકારની વિનંતી પર, ભારતે માલદીવ સરકારને વધુ એક વર્ષ માટે 50 મિલિયન ડોલર (લગભગ રૂ. 420 કરોડ) ના ટ્રેઝરી બિલના રૂપમાં બજેટ સહાય પૂરી પાડી છે.

માલદીવના વિદેશ મંત્રીએ આભાર વ્યક્ત કર્યો

માલદીવના વિદેશ મંત્રી અબ્દુલ્લા ખલીલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ભારતના નિર્ણય પર પ્રતિક્રિયા આપતા કહ્યું, “હું વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર અને ભારત સરકારનો 50 મિલિયન યુએસ ડોલરના ટ્રેઝરી બિલના રોલઓવર દ્વારા માલદીવને મહત્વપૂર્ણ નાણાકીય સહાય પૂરી પાડવા બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આ સમયસર સહાય માલદીવ અને ભારત વચ્ચેના મિત્રતાના ગાઢ સંબંધોને પ્રતિબિંબિત કરે છે અને આર્થિક સ્થિતિસ્થાપકતા માટે નાણાકીય સુધારાઓ લાગુ કરવાના સરકારના ચાલુ પ્રયાસોને સમર્થન આપશે.”

મોહમ્મદ મુઈઝ્ઝુ ભારત આવ્યા હતા

માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝ્ઝુ ગયા વર્ષે ઓક્ટોબરમાં પાંચ દિવસની ભારતની મુલાકાતે આવ્યા હતા. નવેમ્બર 2023 માં પદ સંભાળ્યા પછી આ તેમની પ્રથમ મુલાકાત હતી. “મુલાકાતનું એક મહત્વપૂર્ણ પરિણામ ‘વ્યાપક આર્થિક અને દરિયાઈ સુરક્ષા ભાગીદારી માટેનું વિઝન’ અપનાવવું હતું, જે વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધોને માર્ગદર્શન આપશે,” માલદીવના રાષ્ટ્રપતિ કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું.

ભારત અને માલદીવ વચ્ચે શું થયો હતો વિવાદ

2023-24 દરમિયાન ભારત અને માલદીવ વચ્ચેનો વિવાદ થયો હતો.  માલદીવની ચીન તરફી મોહમ્મદ મુઇઝ્ઝુ સરકારના કેટલાક મંત્રીઓએ ભારત   વિરુદ્ધ સોશિયલ મીડિયા પર અપમાનજનક ટિપ્પણીઓ કરી હતી. આ ટિપ્પણીઓ મોદીની લક્ષદ્વીપ મુલાકાત અને ભારતના પ્રવાસન પ્રમોશનના સંદર્ભમાં હતી, જેને માલદીવે પોતાના પ્રવાસન ઉદ્યોગ માટે ખતરો ગણ્યો હતો.  પરિણામે, ભારતીય પ્રવાસીઓએ #BoycottMaldives અભિયાન શરૂ કર્યું હતુ. જેના કારણે લગભગ 8,000 હોટેલ બુકિંગ અને 2,500 ફ્લાઇટ ટિકિટ રદ થઈ હતી. માલદીવના અર્થતંત્ર માટે પ્રવાસન મહત્વનું હોવાથી, આની મોટી અસર પડી, અને માલદીવે ત્રણ મંત્રીઓને સસ્પેન્ડ કર્યા. આ ઉપરાંત, માલદીવની ‘ઇન્ડિયા આઉટ’ નીતિ, ભારતીય સૈન્યની હાજરી વિરુદ્ધ વિરોધ અને ચીન સાથે વધતા સંબંધોને કારણે પણ તણાવ વધ્યો હતો.  હાલલ જાણવા મળી રહ્યું છે કે માલદીવે ભારતીય સૈન્યને હટાવી દીધું છે.

 

આ પણ વાંચોઃ

બચ્ચને યુદ્ધવિરામ બાદ એવું તે શું લખ્યું કે પોસ્ટ જબરજસ્ત વાઈરલ થઈ? | Amitabh Bachchan

Ahmedabad: સાબરમતી નદીનું પાણી ખાલી કરાયું

ભારત-પાકિસ્તાન વચ્ચે આજે વાતચીત, ભારતને સીઝ ફાયર કેમ કરવું પડ્યુ? | Ceasefire

PM મોદીને પદ પર રહેવાનો કોઈ અધિકાર નથી, દેશ સાથે દગો કર્યો: સંજય રાઉત | ceasefire

India Pakistan Updates: બંને દેશ તરફથી યુદ્ધવિરામ, છતાં પાકિસ્તાન દ્વારા ફાયરિંગ ચાલુ

India-Pakistan ઘર્ષણ: સીઝ ફાયર કરાવવામાં કોનો હાથ?, પૂર્વ સેના પ્રમુખ નારાજ!, કહ્યું ફરી નહીં મળે મોકો

PoK અને આતંકીઓ સોંપો તો જ વાતચીત, ભારતે અમેરિકાને શું કહી દીધું?

 

 

 

 

 

  • Related Posts

    Indian Visa Challenges: ભારતીયો માટે વિદેશી વિઝા મેળવવું કેમ બન્યું છે વધુ મુશ્કેલ? બદલાતી વૈશ્વિક ધારણા અને વધતી શંકા
    • June 27, 2026

    Indian Visa Challenges: વિદેશી વિઝા મેળવવા એ હવે ભારતીય પ્રવાસીઓ માટે માત્ર કાગળની પ્રક્રિયા નથી, પરંતુ એક માનસિક આઘાત સમાન બની ગઈ છે. જ્યારે આપણે વિદેશ યાત્રાનું સપનું જોઈએ છીએ,…

    Continue reading
    Air India Flight 182: 40 વર્ષ બાદ કેનેડાની જાસૂસી સંસ્થાની મોટી કબૂલાત, એર ઈન્ડિયા બોમ્બ વિસ્ફોટ પાછળ ખાલિસ્તાની તત્વોની ભૂમિકા સ્વીકારી
    • June 27, 2026

    Air India Flight 182: કેનેડાની ધરતી પરથી ચાલતા આતંકવાદી નેટવર્ક અને ત્યાની સરકારોની વોટબેંકની રાજનીતિ વચ્ચે એક મોટો વળાંક આવ્યો છે. કેનેડાની જાસૂસી સંસ્થા કેનેડિયન સિક્યુરિટી ઈન્ટેલિજન્સ સર્વિસ (CSIS) એ…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Madras High Court: ઇસ્લામ ધર્મ અપનાવનારાઓને પછાત વર્ગનો દરજ્જો નહીં મળે – મદ્રાસ હાઈકોર્ટ

    • June 27, 2026
    • 5 views
    Madras High Court: ઇસ્લામ ધર્મ અપનાવનારાઓને પછાત વર્ગનો દરજ્જો નહીં મળે – મદ્રાસ હાઈકોર્ટ

    Venkat Narayana Appointment Controversy: વિજયની ફિલ્મના નિર્માતા વેંકટ નારાયણને દિલ્હીમાં તમિલનાડુના વિશેષ પ્રતિનિધિ બનાવાતા રાજકીય વિવાદ

    • June 27, 2026
    • 6 views
    Venkat Narayana Appointment Controversy: વિજયની ફિલ્મના નિર્માતા વેંકટ નારાયણને દિલ્હીમાં તમિલનાડુના વિશેષ પ્રતિનિધિ બનાવાતા રાજકીય વિવાદ

    Indian Visa Challenges: ભારતીયો માટે વિદેશી વિઝા મેળવવું કેમ બન્યું છે વધુ મુશ્કેલ? બદલાતી વૈશ્વિક ધારણા અને વધતી શંકા

    • June 27, 2026
    • 7 views
    Indian Visa Challenges: ભારતીયો માટે વિદેશી વિઝા મેળવવું કેમ બન્યું છે વધુ મુશ્કેલ? બદલાતી વૈશ્વિક ધારણા અને વધતી શંકા

    Bihar Caste Politics: બિહારની લોકશાહી કે જાતિવાદની પ્રયોગશાળા? દરેક ઘટનાને જાતીય રંગ આપવાની હીન રાજનીતિ

    • June 27, 2026
    • 10 views
    Bihar Caste Politics: બિહારની લોકશાહી કે જાતિવાદની પ્રયોગશાળા? દરેક ઘટનાને જાતીય રંગ આપવાની હીન રાજનીતિ

    Maharashtra RTI Rules Protest: ભ્રષ્ટાચારીઓને બચાવવા RTI ને નબળું પાડવાનો ખેલ? મહારાષ્ટ્રના નવા નિયમો સામે જનતામાં રોષ

    • June 27, 2026
    • 13 views
    Maharashtra RTI Rules Protest: ભ્રષ્ટાચારીઓને બચાવવા RTI ને નબળું પાડવાનો ખેલ? મહારાષ્ટ્રના નવા નિયમો સામે જનતામાં રોષ

    Air India Flight 182: 40 વર્ષ બાદ કેનેડાની જાસૂસી સંસ્થાની મોટી કબૂલાત, એર ઈન્ડિયા બોમ્બ વિસ્ફોટ પાછળ ખાલિસ્તાની તત્વોની ભૂમિકા સ્વીકારી

    • June 27, 2026
    • 11 views
    Air India Flight 182: 40 વર્ષ બાદ કેનેડાની જાસૂસી સંસ્થાની મોટી કબૂલાત, એર ઈન્ડિયા બોમ્બ વિસ્ફોટ પાછળ ખાલિસ્તાની તત્વોની ભૂમિકા સ્વીકારી