
Narmada e-rickshaw BJP corruption: નર્મદા જીલ્લામાં સ્વચ્છ ભારત મિશનમાં કૌભાંડ થયું છે. નર્મદા જીલ્લાને ભાજપ સરકારે તકલાદી ઈ-રિક્ષાઓ પધરાવી દીધી છે. હલકી ગુણવત્તાવાળી રિક્ષાઓ થોડા સમયમાં બગડી જાય તેવી હાલતમાં છે. જેથી ભાજપા સાંસદ મનસુખ વસાવાએ પણ આવી રિક્ષાઓનું લોકાર્પણ કરવા ઈન્કાર કરી દીધો છે. જેથી ગુજરાત ભાજપા સરકાર ભ્રષ્ટાચારના દાયરમાં આવી ગઈ છે.
સાંસદ મનસુખ વસાવાએ શું કહ્યું?
ભાજપાએ ગંદકી સાફ કરવાના સાધનોમાં પણ ભ્રષ્ટાચાર આચર્યો છે. આ મુદ્દે ખુદ ભાજપા સાંસદે જ સવાલો ઉભા કર્યા છે. ભાજપ સરકારે દરેક ગામને ઈ-રિક્ષાઓ તો આપી દીધી પણ તે વારંવાર બગડી રહી છે. જેના રિપેરિંગ માટે કોઈ નાણાંની જોગવાઈ જ નથી. જેથી સ્વચ્છ મિશનમાં કૌભાંડમાં આક્ષેપ થયા છે. મનસુખ વસાવાએ 20 ઈ-રિક્ષાના લોકાર્પણ સમયે આ દાવો કર્યો હતો અને લોકાર્પણ કરવાની ના પાડી દીધી હતી. તેમણે કહ્યું કે આ કચરા ઉઠાવવાનું સાધન નથી. આપો તો સારુ આપો.
ડેડિયાપાડામાં ઈ-રિક્ષાઓના લોકાર્પણ પહેલા મનસુખ વસાવાએ ઈ-રિક્ષાને લઈ મોટો દાવો કર્યો હતો. નીચી ગુણવત્તાવાળી અને ઓછી કિંમતવાળી ઈ-રિક્ષાઓ ખરીદી એજન્સીઓને લાભ કરાવ્યો છે. દોઢ લાખની રિક્ષાનું 3.10 લાખનું બીલ બનાવ્યું હોવાના આક્ષેપ કર્યા છે. એજન્સીને ફાયદો કરાવવા રિક્ષાઓ ખરીદાઈ હોવાના આક્ષેપ કર્યા છે.
ધારાસભ્ય ચૈતર વસાવાએ શું કહ્યું?
ડેડિયાપાડાના ધારસભ્ય ચૈતર વસાવાએ તકલાદી ઈ-રિક્ષાઓને બદલે નવા વાહનો આપવા માંગ કરી છે. તેમણે આક્ષપે કર્યો છે કે કેટલીક એજન્સીઓ બિનજરુરી સાધનો ઠોકી બેસાડે છે. જેનું આ ઉત્તમ ઉદારણ આ ઈ-રિક્ષાઓ છે. આ ઈ-રિક્ષા મામલે સમગ્ર રાજ્યના ગામોને છેતરવામાં આવ્યા હોઈ શકે તેવું ચૈતર વસાવાએ જણાવ્યું. નર્મદા જીલ્લામાં 100 જેટલી ઈ-રિક્ષાઓ આપવામાં આવી છે. જેની તપાસ કરવામાં આવશે. વધુમાં કહ્યું નર્મદા જીલ્લો શૌચમુક્ત બન્યો તે પણ ખોટું છે. માત્ર વાહ વાહી કરી એવોર્ડ લઈ આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા આપવામાં આવેલી આ ઈ-રિક્ષાઓ ઘણા જીલ્લાઓમા ધૂળ ખાઈ રહી છે. ભંગારમાં ફેરવાઈ ગઈ છે. કારણ કે તેની કાળજી લેવા સરકારે પૈસા ફાળવ્યા નથી. સરકારે માત્ર લોકોને મુર્ખ બનાવવનો ધંધો કર્યો છે. જેથી લોકો પણ રોષે ભરાયા છે. વધુ વિગતો જુઓ આ વીડિયોમાં.
આ પણ વાંચોઃ
UP Murder Case: પત્ની બળાત્કારના કેસમાં જુબાની આપે તે પહેલા જ હત્યા!, દિયરે શું કહ્યું?
MP: પોલીસે પીછો કરતાં દુષ્કર્મનો આરોપી હાઈટેન્શન લાઈન પર ચઢી ગયો, પછી શું થયું?
ભાજપા નેતાઓની હત્યા-આત્મહત્યાઓનો ઈતિહાસ, ભાજપાના ગુંડાઓ કેમ ફૂલ્યા ફાલ્યા? | Murder-suicide
ભારતીય સૈન્ય હાજરીનો વિરોધ કરનાર માલદીવને ભારતે 50 મિલિયન ડોલરની સહાય કરી
ભારતીય સૈન્ય હાજરીનો વિરોધ કરનાર માલદીવને ભારતે 50 મિલિયન ડોલરની સહાય કરી
બચ્ચને યુદ્ધવિરામ બાદ એવું તે શું લખ્યું કે પોસ્ટ જબરજસ્ત વાઈરલ થઈ? | Amitabh Bachchan
Ahmedabad: સાબરમતી નદીનું પાણી ખાલી કરાયું
ભારત-પાકિસ્તાન વચ્ચે આજે વાતચીત, ભારતને સીઝ ફાયર કેમ કરવું પડ્યુ? | Ceasefire
PM મોદીને પદ પર રહેવાનો કોઈ અધિકાર નથી, દેશ સાથે દગો કર્યો: સંજય રાઉત | ceasefire
