Vadodara: 1 કરોડથી વધુની છેતરપીંડી આચરનાર નાઇઝીરીયન મુંબઈથી ઝડપાયો

Vadodara fraud: વડોદરા શહેરમાં ફાર્માસ્યુટિકલ કંપનીના અધિકારી તરીકેની ખોટી ઓળખ ઉભી કરી આયુર્વેદિક લિક્વીડનો ઓડર આપવાના બહાને નાણાકીય છેતરપીંડી કરતા નાઇઝીરીયન ઇસમની મુંબઈ ખાતેથી ધરપકડ કરવામાં આવી છે. આ શખ્સની વડોદરા શહેર સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા કરવામાં આવી છે. નાઇઝીરીયન 1 કરોડ ઉપરાંતની છેતરપીંડી આચરી છે.

સાયબર ક્રાઇમ સંબંધિત ઓનલાઇન છેતરપીંડીના ગુનાઓ અટકાવવા તેમજ શોધી કાઢવા વડોદરા સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા સઘન કાર્યાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે આજે બાતમી આધારે નાઈઝીરીયન શખ્સને મુંબઈથી ઝડપી લેવામાં આવ્યો છે. તેણે 1 કરોડથી વધુની નાણાંકીય છેતપીંડી આચરી છે.

શું છે મામલો?

વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરીયાદીએ ફરિયાદ કરી હતી કે તેઓની કંપનીના મેઇલ આઇડી પર અજાણ્યા મેઇલ પરથી મેઇલ આવ્યો હતો અને તેઓની કંપનીને એક આયુર્વેદિક લિક્વિડની જરૂર છે. જેનુ નામ પ્લુકેનેશીયા વિજ (Plukentia veage) લિક્વિડ છે. જેના માટે તેઓએ લોકલ ડીલર દ્વારા મંગાવવાનું છે, ત્યારબાદ ડિલરશીપ માટે ફરિયાદી સહમત થાય છે અને અજાણ્યા ઇસમોએ ફરિયાદીને લિક્વીડ ક્યાંથી ખરીદવુ તેની વિગતો આપે છે અને તેઓને જણાવવામાં આવે છે કે નફો સરખા ભાગે વહેચશે.

ત્યારબાદ ફરિયાદી આ અજાણ્યા ઇસમોએ આપેલા ક્રિષ્ના હર્બલમાંથી એક લિટર આયુર્વેદિક લિક્વિડ સેમ્પલ ખરીદે છે અને અજાણ્યા ઇસમો ફાર્માસ્યુટિકલ કંપનીના કર્મચારી તરીકેની ખોટી ઓળખ આપી ફરિયાદી પાસે રહેલા સેમ્પલ ચેક કરી અને ફરિયાદીને 20 લિટરનો ઓર્ડર આપેલ. જેથી ફરિયાદી 20 લિટર ક્રિષ્ના હર્બલ પાસેથી ખરીદે છે. જેના માટે તેઓ રુ. 47.18 લાખ ચુકવે છે. બાદ ફરિયાદીને 20 લિટરની ડિલિવરી કરવામાં મોડું થતા આ અજાણ્યા ઇસમોએ ફરિયાદીને 50 લિટરની ડિલિવરી કરવા કહે છે. ફરિયાદી ઉપરોક્ત 50 લિટરની ડિલીવરી કરવા અસમર્થ હતા. જેથી અજાણ્યા ઇસમોએ ફરિયાદીને કહ્યું હતુ કે જો તેઓ 50 લિટરનું ડિલીવરી કરશે તો તેઓને 130 લિટરનુ એડવાન્સ પેમેંટ ચુકવવામાં આવશે.

રુપિાય પરત ન કરતાં ફરિયાદીને ભાન થયું

જેથી ફરિયાદી આ અજાણ્યા ઇસમોના વિશ્વાસમાં આવી ક્રિષ્ના હર્બલસમાંથી બીજું 30 લીટરનું લિક્વિડ ખરીદે છે.  ફરિયાદીએ અજાણ્યા ઇસમોની ફાર્માસ્યુટીકલ કંપનીમાંથી 50 લિટર લિક્વીડનુ પેમેંટ માટે વિઝા કાર્ડના દ્વારા રુ. 2,03,000 ભરવા જણાવેલ. તેમજ તેને એકટીવ કરાવવા માટે રુ. 21,33,500 ભરવા કહ્યું હતુ. આમ ફરિયાદીને અલગ અલગ બહાને વધુ નાણા ભરવાનુ જણાવી કુલ રુ. 1,24,89,200/- ભરાવી દીધા હતા. જો કે ત્યારબાદ એક પણ રુપિયો પરત કરવામાં આવ્યો ન હતો.   રુપિયા પરત ન કરતા ફરિયાદીને પોતાની સાથે નાણાકીય છેતરપીંડી થયાનું ભાન થતાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે 1 એપ્રિલ 2025ના રોજ ફરિયાદ નોંધાવી હતી.

આ ગુનાની તપાસ દરમિયાન સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, વડોદરા શહેરની ટીમ દ્વારા ટેકનીકલ તથા હ્યુમન સોર્સીસની મદદથી તપાસ કરતા આરોપીની વિગત મુંબઈ ખાતે હોવાનું બહાર આવ્યું હતુ. આરોપી હોવાની માહિતી મળતાં જ તાત્કાલિક એક ટીમ મુંબઈ તપાસમાં રવાના કરાઈ હતી. આ ગુનાના કામે સંકળાયેલ મુખ્ય આરોપીની ધડપકડ કરી કાર્યવાહી હાથ ધરાઈ છે. તેની પાસેથી 4 મોબઈલ પણ જપ્ત કરવામાં આવ્યા છે.

આરોપી ગેબ્રિયેલ ક્રિષ્ના હર્બલના કર્મચારી તરીકેની ખોટી ઓળખ ઉભી કરી ફરિયાદી પાસેથી પણ લિટર લિક્વીડનો ઓર્ડર સ્વીકારેલ જે અંગેની ફરિયાદી સાથેની ચેટ આરોપીના મોબાઇલમાં મળી છે. તેમજ આરોપીએ રુપિયા મેળવીને આર્થિક લાભ મેળવ્યો છે. આરોપી વિરુધ્ધ અગાઉ પણ ખારઘર પો.સ્ટે., મુંબઈ, મહારાષ્ટ્રમાં ફરિયાદ નોંધાયેલી છે. પોલીસે આરોપીનું નામ જણાવ્યું નથી.

પોલીસની શિખામણ

ફેસબુક તેમજ ઇન્સટાગ્રામ જેવા સોશિયલ મિડીયા પ્લેટફોર્મ પર અજાણ્યા લોકોની ફ્રેડ રિકવેસ્ટ સ્વીકારવી નહી. પોતાનું સોશિયલ મિડીયા ફ્રેંડલિસ્ટને પ્રાઇવેટ રાખવું તેમજ પ્રોફાઇલ લોક રાખવી. વ્હોટ્સએપ, ઇસ્ટાગ્રામ કે ફેસબુક જેવા સોશિયલ મીડિયા મારફતે આવતા તમારા મિત્રોના મેસેજ અથવા ફોન કોલ બાબતે ખાતરી કરીને જ નાણાંકીય વ્યવહારો કરવા. જો આપ કોઈપણ સાઇબર ક્રાઈમ ના ભોગ બન્યા હોય તો નજીકના પોલીસ સ્ટેશન કે સાયબર ક્રાઈમનો સંપર્ક કરો અથવા હેલ્પલાઈન નંબર 1930 પર ફોન કરવો.

આ પણ વાંચોઃ

બલુચિસ્તાનમાં ભયાનક બોમ્બ વિસ્ફોટ, 4 લોકોના મોત, 20 ઘાયલ | Balochistan

Gujarat: વૈજ્ઞાાનિક મધુકાંત પટેલે ‘સ્માર્ટ મધપૂડા’ વિકસાવ્યા, AIનો ઉપયોગ કેવી રીતે થાય? | Bee farming

કર્નલ સોફિયા પર ટિપ્પણી અંગે Vijay Shah ને સુપ્રીમમાંથી ઝટકો, SIT તપાસ કરશે

Panchmahal: સરકાર ગમાણી ગામે અજવાળું ક્યારે કરશે?, 6 પરિવારોને વીજળીના વલખાં!

રાજકોટમાં દારુના ધંધા સાથે સંકળાયેલા લોકોના 55 દબાણો તોડ્યા! | Rajkot Demolition

PM મોદીના વખાણ કરવામાં દેશની સેનાનનું અપમાન!, BJP નેતા સેના અંગે આ શું બોલ્યા?

અમેરિકામાં 4 કરોડની કેરીનો નાશ, જાણો ભારતે મોકલી કેરીમાંથી શું નીકળ્યું? | India exports

Joe Biden: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જો બાયડનને પ્રોસ્ટેટ કેન્સર, સારવાર કેટલી શક્ય?

Rajkot માં 13 વર્ષિય સગીરાએ બાળકીને આપ્યો જન્મ, ગર્ભપાતની કોર્ટે આપી હતી મંજૂરી!

ઇઝરાયલે ગાઝામાં કરી મોટી તબાહી, 24 કલાકમાં 250 થી વધુ નિર્દોષ લોકોના મોત | Israel Gaza War

 

Related Posts

Jungleshwar Demolition Food Bill: ૨૭ લાખનો નાસ્તો, શું રાજકોટ મનપાના અધિકારીઓ માટે જંગલેશ્વર ડિમોલિશન એક ‘પાર્ટી’ હતી?
  • June 26, 2026

Jungleshwar Demolition Food Bill: રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ગત ફેબ્રુઆરી મહિનામાં થયેલું મેગા ડિમોલિશન એક તરફ હજારો પરિવારો માટે તેમના જીવનનો સૌથી કાળો અધ્યાય બનીને રહ્યું, તો બીજી તરફ આ જ…

Continue reading
Gujarat Fake Blood Plasma Racket: ગુજરાતમાં નકલી બ્લડ પ્લાઝ્માના કરોડોના કથિત કારોબારનો પર્દાફાશ
  • June 26, 2026

Gujarat Fake Blood Plasma Racket: ગુજરાતમાંથી એક અત્યંત ચોંકાવનારી અને માનવતાને લાંછન લગાડે તેવી ઘટના સામે આવી છે, જ્યાં કૅન્સર અને હીમોફીલિયા જેવા જીવલેણ રોગોની સારવાર માટે વપરાતા ‘પીળા બ્લડ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UP Brahmin Politics: ઉત્તર પ્રદેશમાં બદલાતા રાજકીય સમીકરણો, શું બ્રાહ્મણ વોટ બેંકમાં સેંધ મારી શકશે સમાજવાદી પાર્ટી?

  • June 28, 2026
  • 4 views
UP Brahmin Politics: ઉત્તર પ્રદેશમાં બદલાતા રાજકીય સમીકરણો, શું બ્રાહ્મણ વોટ બેંકમાં સેંધ મારી શકશે સમાજવાદી પાર્ટી?

Bet Dwarka Temple Treasure Controversy: આ કયો મોરલો કળા કરી જાય છે ભાઈ? રામ પછી હવે કાનુડાના ઘેર ધાડ!

  • June 28, 2026
  • 6 views
Bet Dwarka Temple Treasure Controversy: આ કયો મોરલો કળા કરી જાય છે ભાઈ? રામ પછી હવે કાનુડાના ઘેર ધાડ!

Ayodhya Ram Mandir Donation Theft: VHP-BJP-RSSનું મંદિર ષડયંત્ર, ડો. તોગડિયાને હટાવનારાનું ખરું સત્ય

  • June 28, 2026
  • 10 views
Ayodhya Ram Mandir Donation Theft: VHP-BJP-RSSનું મંદિર ષડયંત્ર, ડો. તોગડિયાને હટાવનારાનું ખરું સત્ય

Madras High Court: ઇસ્લામ ધર્મ અપનાવનારાઓને પછાત વર્ગનો દરજ્જો નહીં મળે – મદ્રાસ હાઈકોર્ટ

  • June 27, 2026
  • 6 views
Madras High Court: ઇસ્લામ ધર્મ અપનાવનારાઓને પછાત વર્ગનો દરજ્જો નહીં મળે – મદ્રાસ હાઈકોર્ટ

Venkat Narayana Appointment Controversy: વિજયની ફિલ્મના નિર્માતા વેંકટ નારાયણને દિલ્હીમાં તમિલનાડુના વિશેષ પ્રતિનિધિ બનાવાતા રાજકીય વિવાદ

  • June 27, 2026
  • 7 views
Venkat Narayana Appointment Controversy: વિજયની ફિલ્મના નિર્માતા વેંકટ નારાયણને દિલ્હીમાં તમિલનાડુના વિશેષ પ્રતિનિધિ બનાવાતા રાજકીય વિવાદ

Indian Visa Challenges: ભારતીયો માટે વિદેશી વિઝા મેળવવું કેમ બન્યું છે વધુ મુશ્કેલ? બદલાતી વૈશ્વિક ધારણા અને વધતી શંકા

  • June 27, 2026
  • 9 views
Indian Visa Challenges: ભારતીયો માટે વિદેશી વિઝા મેળવવું કેમ બન્યું છે વધુ મુશ્કેલ? બદલાતી વૈશ્વિક ધારણા અને વધતી શંકા