Parliament session: ભારતમાં સંસદનું ચોમાસુ સત્ર ચાલુ, મોદી વિદેશમાં કેમ ભાગ્યા?

Monsoon session of the Indian Parliament: જવાબદારી અને જવાબો આપવાની પરંપરાને રહેંશી નાંખનાર નરેન્દ્ર દામોદરદાસ મોદી આજે વધુ એકવાર સંસદમાં સવાલોના જવાબ આપવાને બદલે ભાગી ગયા હતાં. છેલ્લાં  11 વર્ષોમાં લગભગ 21 વખત મોદી સંસદના સત્ર દરમિયાન વિદેશ પ્રવાસે ઉપડ્યા છે અને હવે એમાં 22મી વખતનો ઉમેરો થશે. ઉલ્લેખનિય છે કે, સંસદમાં ઓપરેશન સિંદુર વિશે ચર્ચા થવાની છે ત્યારે મોદી આ રીતે ભાગી જાય તે એક રીતે તો સંસદનું અપમાન જ ગણાય.

ભારતમાં સંસદનું મોનસૂન સત્ર 21 જુલાઈ, 2025થી શરૂ થયું છે, જે 21 ઓગસ્ટ સુધી ચાલવાનું છે. આ સત્ર દરમિયાન વિપક્ષે ઓપરેશન સિંદૂર, રાફેલ વિવાદ અને બિહારની મતદાર યાદીમાં સુધારણા જેવા ગંભીર મુદ્દાઓ ઉઠાવ્યા છે. પરંતુ આ મહત્વના સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 23 જુલાઈથી 26 જુલાઈ, 2025 દરમિયાન યુનાઇટેડ કિંગડમ (UK) અને માલદીવની વિદેશ યાત્રા પર પહોંચી ગયા છે.

સંસદનું અપમાન?

વિપક્ષનો આરોપ છે કે આજે સત્રના પહેલા દિવસે જ મોદી કોઈ પણ સવાલોનો જવાબ આપ્યા વગર નીકળી ગયા. તેમણે ઓપરેશન સિંદૂરને વિજય ઉત્સવની જેમ ઉજવવાની વાત કરતાં જ વિપક્ષોએ હોબાળો મચાવી દીધો હતો. જેથી મોદી તેમના સવાલોના જવાબ પણ આપવા રહ્યા ન હતા. લોકો આ ઘટનાને સંસદનું અપમાન ગણાવી રહ્યા છે.

 ત્યારે આ મુદ્દે કોંગ્રેસે તીવ્ર વાંધો ઉઠાવ્યો છે. કોંગ્રેસના નેતા પ્રમોદ તિવારીએ પૂછ્યું, “જ્યારે સંસદનું સત્ર ચાલી રહ્યું હોય, ત્યારે વડાપ્રધાને વિદેશ જવાની શું જરૂર હતી?” આ ઉપરાંત, X પરની કેટલીક પોસ્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે મોદી સંસદમાં ઓછું હાજર રહે છે અને જ્યારે જવાબ આપવાનો સમય આવે છે, ત્યારે તેઓ “પાતળી ગલી”માંથી નીકળી જાય છે.

રાહુલ ગાંધીના આરોપ

આ મામલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ સવાલો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે સરકારના મંત્રીઓને સંસદમાં બોલવાનો સમય આપવામાં આવે છે. અમને બોલવા દેવામાં આવતાં નથી. તેઓએ કહ્યું મોદી ગણતરીની સેકન્ડોમાં જ મોદી સંસદમાંથી નીકળી ગઈ છે.

વિપક્ષો આ મુદ્દાઓ પર માગી રહ્યા છે જવાબો

ઓપરેશન સિંદૂર

22 એપ્રિલ, 2025ના પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતીય સેનાએ પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા હતા. આ ઓપરેશનને મોદીએ “વિજયોત્સવ” ગણાવ્યો હતો, પરંતુ વિપક્ષનો આક્ષેપ છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 24 વખત દાવો કર્યો કે તેમણે ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ કરાવ્યો, જે શિમલા કરારનું ઉલ્લંઘન છે. વિપક્ષ માંગ કરે છે કે મોદીએ આ અંગે સંસદમાં જવાબ આપવો જોઈએ.

રાફેલ વિવાદ

રાફેલ ફાઈટર જેટની ખરીદી અંગેના વિવાદો ફરી ચર્ચામાં છે. દાવો કરવામાં આવ્યો છે કે આ મુદ્દે સરકાર સંસદમાં ચર્ચા ટાળી રહી છે.

બિહાર મતદાર યાદી

બિહારમાં વિધાનસભા ચૂંટણી પહેલા ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલી “સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન” (SIR) ને વિપક્ષે ગેરબંધારણીય ગણાવી છે. તેમનો આરોપ છે કે આ પ્રક્રિયા દ્વારા ગરીબ અને હાંસિયામાં ધકેલાયેલા લોકોના મતાધિકારને નબળો પાડવામાં આવી રહ્યો છે.

કોંગ્રેસના નેતા જયરામ રમેશે મોદી પર કટાક્ષ કરતાં કહ્યું, “48 કલાક પછી, સુપર પ્રીમિયમ ફ્રીક્વન્ટ ફ્લાયર ફરી એક વિદેશ યાત્રા શરૂ કરશે, જ્યારે મણિપુરના લોકોને વધુ નિરાશા થશે.” આ ઉપરાંત સોશિયલ મિડિયામાં ચર્ચાઓ થઈ રહી છે કે મોદી સંસદમાં જવાબ આપવાને બદલે “લોકોને તુચ્છ પ્રાણીઓ” ગણે છે, જે લોકતંત્રનું અપમાન છે.

સરકારે આ આરોપોનો જવાબ આપતાં કહ્યું છે કે તે ઓપરેશન સિંદૂર સહિતના મુદ્દાઓ પર ચર્ચા માટે તૈયાર છે. કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ જણાવ્યું કે સરકાર કોઈપણ વિષયથી બચી રહી નથી, પરંતુ વિપક્ષે સંસદની કાર્યવાહીમાં સહયોગ આપવો જોઈએ. ભાજપના સાંસદ બિપ્લબ કુમાર દેબે કોંગ્રેસ પર આરોપ લગાવ્યો કે તે હંગામો કરીને સંસદની કાર્યવાહીમાં અડચણ ઊભી કરે છે અને પછી દાવો કરે છે કે તેમને બોલવાની તક આપવામાં નથી આવતી.

જુઓ વીડિયોમાં વધુ ચર્ચા

 

પણ વાંચો:

UP: દિયરની રૂમમાંથી આશાવર્કરની અર્ધ નગ્ન લાશ મળી, રેપની આશંકા, પતિના ગંભીર આરોપ, વાંચો

Banda: ગર્ભપાતની દવા ન લઈ આપતાં પત્નીનો આપઘાત, પરિવારે હત્યાનો આરોપ લગાવ્યો, જાણો ચોકાવનારો કિસ્સો

ભાજપ સરકાર સુધરી જાય, નહીં તો જૈનોને સુધારતા આવડે છે: Muni Ativirji Maharaj

UP Crime: ભૂવાને ઘરમાં લાવતાં પહેલા વિચાર જો, વિધિના નામે નવપરણિતાને પીંખી નાખી, વાંચો વધુ

UP Police: બિચારા પોલીસકર્મીઓને કાવડિયાઓ માટે ખાવાનો બંદોબસ્ત કરવો પડ્યો!

Iqra Hassan: સાંસદ ઈકરા હસન કુંવારી, ચાહે તો મારી સાથે લગ્ન કરે, બસ અવૈસી મને જીજા કહે, કરણી સેના ઉપાધ્યક્ષ વિવાદમાં ફસાયા

Saiyaara: સૈયારાનું એ દ્રશ્ય, જે દર્શકોના રુવાડા ઉભા કરી દે છે અને થિયેટરમાં ખેંચી જાય છે

Related Posts

Iran War: જાણીતા વાસ્તુશાસ્ત્રી કુલદીપ સલુજાએ ઈરાન યુદ્ધ મામલે કરેલી ભવિષ્યવાણી જોવા માટે જુઓ, આ વિડીયો
  • March 12, 2026

Iran War: ઈરાન અને અમેરિકા-ઇઝરાયેલ વચ્ચેની યુદ્ધની સ્થિતિ હાલ અત્યંત ગંભીર અને સ્ફોટક તબક્કામાં છે, 12 માર્ચ, 2026 સુધીના તાજા અહેવાલો અનુસાર સમગ્ર વિશ્વમાં આર્થિક કટોકટી સર્જાઈ છે ગેસ-તેલની અછત…

Continue reading
PM Modi: ‘સીંદરી બળે પણ વળ ન જાય’ ‘તાનાશાહો’ ઈરાનની ‘રણનીતિ’ સામે ફેઈલ! છતાં તંગડી ઊંચી રાખી રહ્યા છે! જુઓ ખાસ વિશ્લેષણ
  • March 11, 2026

PM Modi: ઈરાન ઉપર હુમલો કરી બહાદુરી બતાવનાર ઈઝરાયેલ અને અમેરિકાના તાનશાહ ઇરાનની રણનીતિ જોઈ હવે બરાબરના ડરી ગયા છે કારણ કે તેલમાંથી આરબો રૂપિયા કમાઈને શસ્ત્રો રાખનાર ઇરાને યુદ્ધમાં…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Kutch: ધોળાવીરા ખાતે જુના સ્થાનિક ગાઈડને સાઇટ પરથી દૂર કરાતા વિવાદ! ન્યાય માટે રજુઆત

  • March 12, 2026
  • 3 views
Kutch: ધોળાવીરા ખાતે જુના સ્થાનિક ગાઈડને સાઇટ પરથી દૂર કરાતા વિવાદ! ન્યાય માટે રજુઆત

Donald Trump: આખરે, ટ્રમ્પે હથિયાર હેઠા મુક્યા! કહ્યું કે અમેરિકા હવે ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’નો માર્ગ ખોલી નહિ શકે! દુનિયાભરમાં ટેન્શન

  • March 12, 2026
  • 6 views
Donald Trump: આખરે, ટ્રમ્પે હથિયાર હેઠા મુક્યા! કહ્યું કે અમેરિકા હવે ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’નો માર્ગ ખોલી નહિ શકે! દુનિયાભરમાં ટેન્શન

Rahul Gandhi: “નરેન્દ્ર ભી ગાયબ, સિલિન્ડર ભી ગાયબ”: LPG સિલિન્ડર મામલે વિપક્ષનો જોરદાર હંગામો! ઈરાન યુદ્ધે ભારતના રાજકારણને દઝાડયું!

  • March 12, 2026
  • 10 views
Rahul Gandhi: “નરેન્દ્ર ભી ગાયબ, સિલિન્ડર ભી ગાયબ”: LPG સિલિન્ડર મામલે વિપક્ષનો જોરદાર હંગામો! ઈરાન યુદ્ધે ભારતના રાજકારણને દઝાડયું!

Modi: “બહુત હુઈ મહેંગાઈ કી માર, અબકી બાર મોદી સરકાર”જેવા સૂત્રો બોલી સત્તા પર બિરાજમાન BJP હવે વચનો ભૂલી ગયુ!

  • March 12, 2026
  • 16 views
Modi: “બહુત હુઈ મહેંગાઈ કી માર, અબકી બાર મોદી સરકાર”જેવા સૂત્રો બોલી સત્તા પર બિરાજમાન BJP હવે વચનો ભૂલી ગયુ!

Iran War: જાણીતા વાસ્તુશાસ્ત્રી કુલદીપ સલુજાએ ઈરાન યુદ્ધ મામલે કરેલી ભવિષ્યવાણી જોવા માટે જુઓ, આ વિડીયો

  • March 12, 2026
  • 16 views
Iran War: જાણીતા વાસ્તુશાસ્ત્રી કુલદીપ સલુજાએ ઈરાન યુદ્ધ મામલે કરેલી ભવિષ્યવાણી જોવા માટે જુઓ, આ વિડીયો

Iran War: ભારત જતા જહાજ પર ભૂલથી હુમલો કર્યાની IRGCની કબૂલાત! બે ભારતીયોના મોત! ભારતની ચેતવણી છતાં ઈરાન અડગ: “અમારી મંજૂરી વગર પ્રવેશ નહિ મળે!”

  • March 12, 2026
  • 10 views
Iran War: ભારત જતા જહાજ પર ભૂલથી હુમલો કર્યાની IRGCની કબૂલાત! બે ભારતીયોના મોત! ભારતની ચેતવણી છતાં ઈરાન અડગ: “અમારી મંજૂરી વગર પ્રવેશ નહિ મળે!”