Junagadh: ગોરક્ષનાથ શિખર પર તોડફોડ મામલે બે આરોપીની ધરપકડ, મંદિરનો પૂજારી જ નિકળ્યો માસ્ટરમાઇન્ડ

  • Gujarat
  • October 14, 2025
  • 0 Comments

Junagadh:ગુજરાતના ભાવિકોની આસ્થાનું કેન્દ્ર ગિરનાર પર્વત પર 5,500 પગથિયાં નજીક આવેલા ગુરુ ગૌરક્ષનાથ મંદિરમાં તા. 4 ઓક્ટોબરની રાત્રે થયેલી તોડફોડ અને મૂર્તિ ચોરીની ચોંકાવનારી ઘટનાનો પર્દાફાશ થયો છે. આ મામલે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે અને પોલીસે ચોંકાવનારા ખુલાસા પણ કર્યા છે.

ગોરક્ષનાથ શિખર પર તોડફોડ મામલે બે આરોપીની ધરપકડ

આ ઘૃણાસ્પદ કૃત્યનો માસ્ટરમાઇન્ડ મંદિરનો જ પગારદાર પૂજારી કિશોર કુકરેજા નીકળ્યો, જેણે કમાણી વધારવા અને લાઇમલાઇટમાં આવવાના લોભમાં આ ષડયંત્ર રચ્યું હતું. પોલીસે કિશોર અને તેના સાથી રમેશ ભટ્ટની ધરપકડ કરી, જેઓને હાલ રીમાન્ડ માટે લેવામાં આવ્યા છે.

પોલીસે કર્યા આ ખુલાસા

આ મામલે જૂનાગઢ એસપી સુબોધ ઓડેદરાએ જણાવ્યું, “આ ગંભીર ઘટના બાદ રેન્જ આઇજીની સૂચનાથી ડીવાયએસપી, એલસીબી, એસઓજી સહિત 10 ટીમો અને નેટ્રા ટીમને કામે લગાડી તપાસ હાથ ધરી. 156 સીસીટીવી ફૂટેજ, 500 થી વધુ સીડીઆર અને 170 રોપ-વે મુસાફરોની પૂછપરછ કરી.” તપાસમાં શંકા ઊભી થતાં એફએસએલની મદદથી ડેમો કરાયો, જેમાં સાબિત થયું કે 50 કિલોની મૂર્તિ તૂટેલા કાચમાંથી બહાર કાઢવી અશક્ય હતી. આથી આંદરજના વ્યક્તિઓ પર શંકા કેન્દ્રિત થઈ.

આરોપીએ કરી કબૂલાત

પૂછપરછમાં રમેશ ભટ્ટે કબૂલ્યું કે તા. 4 ઓક્ટોબરની સાંજે આરતી પછી કિશોરે કહ્યું, “આપણે એક કાંડ કરવાનો છે.” સાંજે 7: 30 વાગ્યે કિશોરે લોખંડના પાઇપથી મંદિરના સાઇડ કાચ તોડ્યા, તાળું માર્યું અને રાત્રે 9:30 વાગે ખોલીને બંનેએ મૂર્તિને પર્વતની નીચે જંગલમાં ફેંકી દીધી. કિશોર મૂળ મહારાષ્ટ્રના છે અને અઢી વર્ષથી જૂનાગઢમાં છે, જ્યારે રમેશ ત્રણ મહિના પહેલાં સેવાદાર હતો અને હવે ફોટોગ્રાફર છે.પોલીસ તપાસમાં ખુલ્યું કે કિશોર દાનના પૈસામાંથી કટકી કરતો હતો. તેના કહેવા મુજબ, આ કાંડથી ભાવિકો વધશે, લાઇમલાઇટ મળશે અને કમાણીમાં વધારો થશે. આ ઘટના પછી બીજા દિવસે સાધુ-સંતો અને વહીવટીઓની હાજરીમાં મૂર્તિનું પુનઃસ્થાપન કરાયું. આ ઘટનાથી ગિરનારની આસ્થા પર આઘાત લાગ્યો છે, પોલીસ વધુ તપાસ કરી રહી છે.

આ પણ વાંચો:

Gujarat News:  કેવડીયામાં રાજાઓનું ભવ્ય ઐતિહાસિક મ્યુઝિયમ બનાવવાની કવાયત શરૂ! સરદાર પટેલની પ્રતિમા બન્યા બાદ ઉઠી હતી માંગ

Dahod માં 55 ગધેડાની ચોરીની ફરિયાદ, પોલીસ પણ ચોંકી ગઈ!

Vadodara: બે લક્ઝરી બસ વચ્ચે ભયંકર અકસ્માત, બે મુસાફરોના મોત

Botad: હડદડમાં ભારે હિંસા બાદ AAP નેતાઓ સહિત 85 લોકો સામે નામજોગ FIR, જુઓ

Botad: હવે રિપોર્ટીંગ કરવું પણ ગુનો છે? BS9ની મહિલા પત્રકાર સાથે પોલીસનું ગેરવર્તન

ગુજરાત પ્રવાસ પેકેજ

Related Posts

Election: SIRમાં ગોલમાલ કરનારાઓ જેલ જવાથી ફફડ્યા! હજારો ફોર્મ-7 પરત ખેંચાયા!
  • February 3, 2026

Election: ગુજરાતમાં SIRની કામગીરી પહેલેથીજ વિવાદમાં રહી હતી અને ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર થયા બાદ હવે ફાઈનલ મતદાર યાદી માટે તૈયારી વચ્ચે ચોક્કસ મતદારના નામ રદ કરવાના ઇરાદે ગુજરાતમાંથી 14.11…

Continue reading
Civil hospital: કૂતરાની જેમ ચાર પગે ચાલીને ભસતા યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ નોર્મલ થઈ જતા તબીબો ગોથે ચડ્યા! વાંચો
  • February 1, 2026

Civil hospital: ઉત્તર ગુજરાતમાં એક યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો ત્યારબાદ યુવકને હડકવાના કોઈ લક્ષણ નહિ જણાતા યુવક એકદમ સ્વસ્થ હોવાનું તબીબોએ જણાવ્યું હતું.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Modi: નરેન્દ્ર મોદી ખરેખર ચીન અને ટ્રમ્પ સામે સીધો સંઘર્ષ ટાળે છે? રાહુલના નિવેદનો સામે આટલો હોબાળો કેમ? જુઓ ખાસ ચર્ચા

  • February 3, 2026
  • 3 views
Modi: નરેન્દ્ર મોદી ખરેખર ચીન અને ટ્રમ્પ સામે સીધો સંઘર્ષ ટાળે છે? રાહુલના નિવેદનો સામે આટલો હોબાળો કેમ? જુઓ ખાસ ચર્ચા

Surendranagar: શુ ધારાસભ્યો માટે ગુજરાતમાં કાયદા અલગ છે ? ઉઠ્યા સવાલ ! જાણો આખો મામલો શુ છે?

  • February 3, 2026
  • 4 views
Surendranagar: શુ ધારાસભ્યો માટે ગુજરાતમાં કાયદા અલગ છે ? ઉઠ્યા સવાલ ! જાણો આખો મામલો શુ છે?

Anna Hazare: ગુજરાત ‘કૌભાંડોની ભૂમિ’ છે, રાજ્યમાં દૂધ કરતાં વધુ દારૂ વહે છે!:અન્ના હજારે એવું શું કામ બોલ્યા હતા? જાણો, આખો મામલો

  • February 3, 2026
  • 5 views
Anna Hazare: ગુજરાત ‘કૌભાંડોની ભૂમિ’ છે, રાજ્યમાં દૂધ કરતાં વધુ દારૂ વહે છે!:અન્ના હજારે એવું શું કામ બોલ્યા હતા? જાણો, આખો મામલો

Election: SIRમાં ગોલમાલ કરનારાઓ જેલ જવાથી ફફડ્યા! હજારો ફોર્મ-7 પરત ખેંચાયા!

  • February 3, 2026
  • 7 views
Election: SIRમાં ગોલમાલ કરનારાઓ જેલ જવાથી ફફડ્યા! હજારો ફોર્મ-7 પરત ખેંચાયા!

Tariff: ડોનાલ્ડ ટ્રમ્પે ટેરીફ ઘટાડયાની જાહેરાત કરી પણ PM મોદીનું ‘અકળ’ મૌનનું સસ્પેન્સ યથાવત ! જાણો,તેલના વેપારનો ખેલ!

  • February 3, 2026
  • 6 views
Tariff: ડોનાલ્ડ ટ્રમ્પે ટેરીફ ઘટાડયાની જાહેરાત કરી પણ PM મોદીનું ‘અકળ’ મૌનનું સસ્પેન્સ યથાવત ! જાણો,તેલના વેપારનો ખેલ!

Breaking News: ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પરનો 25 ટકા ટેરીફ ઘટાડી 18 ટકા કર્યો! ટ્રમ્પની સત્તાવાર જાહેરાત

  • February 2, 2026
  • 8 views
Breaking News: ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પરનો 25 ટકા ટેરીફ ઘટાડી 18 ટકા કર્યો! ટ્રમ્પની સત્તાવાર જાહેરાત