Tejaswi Yadav: બિહારમાં રેવડી કલ્ચર જામ્યુ, તેજસ્વી યાદવે પણ દરેક મહિલાના ખાતામાં રૂ.30,000 નાખવાનો કર્યો શરતી વાયદો! 

  • India
  • November 4, 2025
  • 0 Comments

Tejaswi Yadav: બિહાર વિધાનસભા ચૂંટણીમાં રેવડી બજાર જામ્યું છે અને મતદારોને આકર્ષવા માટે રાજકીય પક્ષો અવનવી સ્કીમો લાવી રહયા છે ત્યારે NDA સરકારે અગાઉથીજ પ્રત્યેક મહિલાના ખાતામાં રૂ.10,000 નાખી દીધા છે, ત્યારે મહાગઠબંધનના મુખ્યમંત્રી પદના ઉમેદવાર તેજસ્વી યાદવે પણ પ્રત્યેક મહિલાના ખાતામાં રૂ.30,000 નાખવાનો વાયદો કર્યો છે.

જોકે,શરત માત્ર એટલી છે કે જો તેઓ જીતશે તોજ આ રકમ મહિલાના ખાતાઓમાં નાખશે. બિહારમાં પ્રથમ તબક્કાનો પ્રચાર પ્રસાર શાંત બને તે પહેલા રાજકીય પક્ષો મતદારોને આકર્ષવા માટે જુદીજુદી સ્કીમો લાવી રહયા છે આવા સમયે મહાગઠબંધનના મુખ્યમંત્રી પદના ઉમેદવાર તેજસ્વી યાદવે પણ મોટા વાયદા કર્યા છે. એક પ્રેસ કોન્ફરન્સમાં તેમણે દાવો કર્યો કે આ વખતે બિહારની જનતા જગૃત બની ગઈ છે અને પરિવર્તન ઈચ્છે છે.

તેજસ્વી યાદવે વચન આપ્યું કે જો તેમની સરકાર બનશે, તો તરત જ ‘માઇ-બહિન માન યોજના’ લાગુ કરી દેશે અને મકરસંક્રાંતિના દિવસે આગામી તા.14 જાન્યુઆરીએ અમે માતાઓ અને બહેનોના ખાતામાં આખા વર્ષના 30000 રૂપિયા એકસાથે જમા કરાવીશું.

જીવિકા દીદીઓ’ માટે જાહેરાત કરતા તેમણે કહ્યું કે, નીતિશ સરકારમાં તેમનું ખૂબ શોષણ થયું છે. તેમણે વચન આપ્યું કે, “જે ‘જીવિકા દીદી’ કોમ્યુનિટી મોબીલાઈઝર છે, તેમને અમે કાયમી કરીશું અને તેમનું માનદ વેતન 30000 રૂપિયા કરીશું. જે કેડર (અન્ય જીવિકા દીદીઓ) છે, તેમને પણ દર મહિને 2000 રૂપિયા આપવામાં આવશે.
આ ઉપરાંત, પાંચ લાખનો વીમો અને વ્યાજ માફી પણ આપવામાં આવશે.”

આ સાથે જ, તેજસ્વી યાદવે સરકારી કર્મચારીઓને આકર્ષવા માટે જૂની પેન્શન યોજના(Old Pension Scheme OPS) લાગુ કરવાનું પણ વચન આપ્યું હતું. તેમણે એ પણ કહ્યું કે પોલીસકર્મી, શિક્ષકો, આરોગ્યકર્મીઓ અને અન્ય કર્મચારીઓની ટ્રાન્સફર-પોસ્ટિંગ તેમના ગૃહ જિલ્લાથી 70 કિલોમીટરના દાયરામાં જ કરવામાં આવશે.

નોંધનીય છે કે તેજસ્વી યાદવે એ પણ વાયદો કર્યો હતો કે “જો તેમની સરકાર બનશે તો તેઓ 20 મહિનાની અંદર દરેક પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપશે તેઓના આ વાયદા ઉપર કેન્દ્રીય ગૃહમંત્રીએ કટાક્ષ કરતા કહ્યું કે આ ખોખલા વાયદા છે,અમિત શાહે તેજસ્વીના વાયદાનું ગણિત સમજાવતા કહ્યું કે, આ ઘોષણાને પૂરી કરવા માટે રૂ.12 લાખ કરોડ રૂપિયા જોઈએ, જે બિહારના બજેટથી ત્રણ ગણું વધારે છે. આવા સમયે સવાલ એ થાય છે કે તેજસ્વી આ પૈસા ક્યાંથી લાવશે? તેમણે કટાક્ષ કરતા કહ્યું કે, તેજસ્વીને ખબર છે કે તેમની સરકાર આવવાની નથી, એટલા માટે મનફાવે તેવી ઘોષણા કરી રહ્યા છે.

આ પણ વાંચો:

PM મોદી ‘અપમાન મંત્રાલય’ મંત્રાલય બનાવે: Priyanka Gandhi

UP: રાત્રે 11 વાગ્યે કર્યો ભાઈને ફોન, પતિની કરી ફરિયાદ, પછી જે પ્રિયંકા સાથે થયું…

‘દીકરીના નિહાપા લાગ્યા’, ભાજપ નેતા દિલપી સંઘાણીએ આવું ટ્વીટ કેમ કર્યું? | Dileep Sanghani

Bihar Election: ભત્રીજા માટે ચૂંટણી પ્રચાર કરતાં કાકાને પતાવી દેવાયો, બિહારનો ચૂંટણીનો પ્રચાર લોહીયાળ બન્યો, કોણ છે આરોપી?

વિશ્વમાં સૌથી વધુ દારૂ ભારતમાં પીવાય છે, વિશ્વના ટોચના દેશોમાં વેચાણ ઘટ્યું, ભારતમાં વધ્યું! | Alcohol | India

Related Posts

Udhayanidhi Stalin Sanatan Dharma: “રાવણ અને હિરણ્યકશ્યપના વંશજ”, બ્રિજભૂષણ શરણ સિંહનો ઉદયનિધિ સ્ટાલિન પર વળતો પ્રહાર
  • May 13, 2026

Udhayanidhi Stalin Sanatan Dharma: તમિલનાડુના દ્રવિડ મુન્નેત્ર કઝગમ (DMK) ના નેતા ઉદયનિધિ સ્ટાલિન દ્વારા સનાતન ધર્મ વિશે કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણી બાદ દેશભરમાં રાજકીય પારો ગરમાયો છે. આ મુદ્દે ભાજપના…

Continue reading
Congress Attacks BJP RSS: ‘RSS નો પાકિસ્તાન પ્રેમ ફરી સામે આવ્યો’, દત્તાત્રેય હોસબોલેના નિવેદન પર કોંગ્રેસનો ભાજપ-આરએસએસ પર આકરો પ્રહાર
  • May 13, 2026

Congress Attacks BJP RSS: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના સરકાર્યવાહ દત્તાત્રેય હોસબોલેએ તાજેતરમાં પાકિસ્તાન સાથેના સંબંધોને લઈને એક અત્યંત સૂચક નિવેદન આપ્યું છે, જેણે દેશના રાજકારણમાં ચર્ચા જગાવી છે. ‘પીટીઆઈ-વીડિયો’…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Udhayanidhi Stalin Sanatan Dharma: “રાવણ અને હિરણ્યકશ્યપના વંશજ”, બ્રિજભૂષણ શરણ સિંહનો ઉદયનિધિ સ્ટાલિન પર વળતો પ્રહાર

  • May 13, 2026
  • 2 views
Udhayanidhi Stalin Sanatan Dharma: “રાવણ અને હિરણ્યકશ્યપના વંશજ”, બ્રિજભૂષણ શરણ સિંહનો ઉદયનિધિ સ્ટાલિન પર વળતો પ્રહાર

Congress Attacks BJP RSS: ‘RSS નો પાકિસ્તાન પ્રેમ ફરી સામે આવ્યો’, દત્તાત્રેય હોસબોલેના નિવેદન પર કોંગ્રેસનો ભાજપ-આરએસએસ પર આકરો પ્રહાર

  • May 13, 2026
  • 5 views
Congress Attacks BJP RSS: ‘RSS નો પાકિસ્તાન પ્રેમ ફરી સામે આવ્યો’, દત્તાત્રેય હોસબોલેના નિવેદન પર કોંગ્રેસનો ભાજપ-આરએસએસ પર આકરો પ્રહાર

Arvind Kejriwal: ‘બાંગ્લાદેશ-નેપાળના Gen-Z સરકાર બદલી શકે, તો ભારતના યુવાનો પેપર લીક માફિયાને જેલ કેમ નહીં મોકલે?’ : કેજરીવાલ

  • May 13, 2026
  • 6 views
Arvind Kejriwal: ‘બાંગ્લાદેશ-નેપાળના Gen-Z સરકાર બદલી શકે, તો ભારતના યુવાનો પેપર લીક માફિયાને જેલ કેમ નહીં મોકલે?’ : કેજરીવાલ

Russia India Oil: “બધા દેશો ઘૂંટણિયે નથી પડતા”, ભારત પરના અમેરિકી દબાણ સામે રશિયન વિદેશ મંત્રીની ગર્જના

  • May 13, 2026
  • 3 views
Russia India Oil: “બધા દેશો ઘૂંટણિયે નથી પડતા”, ભારત પરના અમેરિકી દબાણ સામે રશિયન વિદેશ મંત્રીની ગર્જના

Mahuva Fake Mawa Raid: મહુવામાં ‘મોત’નો સામાન વેચતી ૪ ડેરીઓ ઝડપાઈ, ૧૧૮૯ કિલો અખાદ્ય માવો જમીનમાં દાટી દેવાયો!

  • May 13, 2026
  • 10 views
Mahuva Fake Mawa Raid: મહુવામાં ‘મોત’નો સામાન વેચતી ૪ ડેરીઓ ઝડપાઈ, ૧૧૮૯ કિલો અખાદ્ય માવો જમીનમાં દાટી દેવાયો!

Asaduddin Owaisi: ઓવૈસીનો મોદી સરકાર પર હુમલો, પેટ્રોલ-ડીઝલના ભાવવધારા માટે દેશભક્તિનો સહારો લેવાનો આરોપ

  • May 13, 2026
  • 13 views
Asaduddin Owaisi: ઓવૈસીનો મોદી સરકાર પર હુમલો, પેટ્રોલ-ડીઝલના ભાવવધારા માટે દેશભક્તિનો સહારો લેવાનો આરોપ