Tejaswi Yadav: બિહારમાં રેવડી કલ્ચર જામ્યુ, તેજસ્વી યાદવે પણ દરેક મહિલાના ખાતામાં રૂ.30,000 નાખવાનો કર્યો શરતી વાયદો! 

  • India
  • November 4, 2025
  • 0 Comments

Tejaswi Yadav: બિહાર વિધાનસભા ચૂંટણીમાં રેવડી બજાર જામ્યું છે અને મતદારોને આકર્ષવા માટે રાજકીય પક્ષો અવનવી સ્કીમો લાવી રહયા છે ત્યારે NDA સરકારે અગાઉથીજ પ્રત્યેક મહિલાના ખાતામાં રૂ.10,000 નાખી દીધા છે, ત્યારે મહાગઠબંધનના મુખ્યમંત્રી પદના ઉમેદવાર તેજસ્વી યાદવે પણ પ્રત્યેક મહિલાના ખાતામાં રૂ.30,000 નાખવાનો વાયદો કર્યો છે.

જોકે,શરત માત્ર એટલી છે કે જો તેઓ જીતશે તોજ આ રકમ મહિલાના ખાતાઓમાં નાખશે. બિહારમાં પ્રથમ તબક્કાનો પ્રચાર પ્રસાર શાંત બને તે પહેલા રાજકીય પક્ષો મતદારોને આકર્ષવા માટે જુદીજુદી સ્કીમો લાવી રહયા છે આવા સમયે મહાગઠબંધનના મુખ્યમંત્રી પદના ઉમેદવાર તેજસ્વી યાદવે પણ મોટા વાયદા કર્યા છે. એક પ્રેસ કોન્ફરન્સમાં તેમણે દાવો કર્યો કે આ વખતે બિહારની જનતા જગૃત બની ગઈ છે અને પરિવર્તન ઈચ્છે છે.

તેજસ્વી યાદવે વચન આપ્યું કે જો તેમની સરકાર બનશે, તો તરત જ ‘માઇ-બહિન માન યોજના’ લાગુ કરી દેશે અને મકરસંક્રાંતિના દિવસે આગામી તા.14 જાન્યુઆરીએ અમે માતાઓ અને બહેનોના ખાતામાં આખા વર્ષના 30000 રૂપિયા એકસાથે જમા કરાવીશું.

જીવિકા દીદીઓ’ માટે જાહેરાત કરતા તેમણે કહ્યું કે, નીતિશ સરકારમાં તેમનું ખૂબ શોષણ થયું છે. તેમણે વચન આપ્યું કે, “જે ‘જીવિકા દીદી’ કોમ્યુનિટી મોબીલાઈઝર છે, તેમને અમે કાયમી કરીશું અને તેમનું માનદ વેતન 30000 રૂપિયા કરીશું. જે કેડર (અન્ય જીવિકા દીદીઓ) છે, તેમને પણ દર મહિને 2000 રૂપિયા આપવામાં આવશે.
આ ઉપરાંત, પાંચ લાખનો વીમો અને વ્યાજ માફી પણ આપવામાં આવશે.”

આ સાથે જ, તેજસ્વી યાદવે સરકારી કર્મચારીઓને આકર્ષવા માટે જૂની પેન્શન યોજના(Old Pension Scheme OPS) લાગુ કરવાનું પણ વચન આપ્યું હતું. તેમણે એ પણ કહ્યું કે પોલીસકર્મી, શિક્ષકો, આરોગ્યકર્મીઓ અને અન્ય કર્મચારીઓની ટ્રાન્સફર-પોસ્ટિંગ તેમના ગૃહ જિલ્લાથી 70 કિલોમીટરના દાયરામાં જ કરવામાં આવશે.

નોંધનીય છે કે તેજસ્વી યાદવે એ પણ વાયદો કર્યો હતો કે “જો તેમની સરકાર બનશે તો તેઓ 20 મહિનાની અંદર દરેક પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપશે તેઓના આ વાયદા ઉપર કેન્દ્રીય ગૃહમંત્રીએ કટાક્ષ કરતા કહ્યું કે આ ખોખલા વાયદા છે,અમિત શાહે તેજસ્વીના વાયદાનું ગણિત સમજાવતા કહ્યું કે, આ ઘોષણાને પૂરી કરવા માટે રૂ.12 લાખ કરોડ રૂપિયા જોઈએ, જે બિહારના બજેટથી ત્રણ ગણું વધારે છે. આવા સમયે સવાલ એ થાય છે કે તેજસ્વી આ પૈસા ક્યાંથી લાવશે? તેમણે કટાક્ષ કરતા કહ્યું કે, તેજસ્વીને ખબર છે કે તેમની સરકાર આવવાની નથી, એટલા માટે મનફાવે તેવી ઘોષણા કરી રહ્યા છે.

આ પણ વાંચો:

PM મોદી ‘અપમાન મંત્રાલય’ મંત્રાલય બનાવે: Priyanka Gandhi

UP: રાત્રે 11 વાગ્યે કર્યો ભાઈને ફોન, પતિની કરી ફરિયાદ, પછી જે પ્રિયંકા સાથે થયું…

‘દીકરીના નિહાપા લાગ્યા’, ભાજપ નેતા દિલપી સંઘાણીએ આવું ટ્વીટ કેમ કર્યું? | Dileep Sanghani

Bihar Election: ભત્રીજા માટે ચૂંટણી પ્રચાર કરતાં કાકાને પતાવી દેવાયો, બિહારનો ચૂંટણીનો પ્રચાર લોહીયાળ બન્યો, કોણ છે આરોપી?

વિશ્વમાં સૌથી વધુ દારૂ ભારતમાં પીવાય છે, વિશ્વના ટોચના દેશોમાં વેચાણ ઘટ્યું, ભારતમાં વધ્યું! | Alcohol | India

Related Posts

Madras High Court: ઇસ્લામ ધર્મ અપનાવનારાઓને પછાત વર્ગનો દરજ્જો નહીં મળે – મદ્રાસ હાઈકોર્ટ
  • June 27, 2026

Madras High Court: તમિલનાડુની રાજનીતિમાં લાંબા સમયથી ચાલી આવતી ધર્મ અને અનામતની ખેંચતાણ પર મદ્રાસ હાઈકોર્ટે એક અત્યંત મહત્વનો અને કડક ચુકાદો આપ્યો છે. મદુરાઈ પીઠે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે…

Continue reading
Venkat Narayana Appointment Controversy: વિજયની ફિલ્મના નિર્માતા વેંકટ નારાયણને દિલ્હીમાં તમિલનાડુના વિશેષ પ્રતિનિધિ બનાવાતા રાજકીય વિવાદ
  • June 27, 2026

Venkat Narayana Appointment Controversy: તમિલનાડુના રાજકારણમાં અત્યારે એક મોટો ભૂકંપ આવ્યો છે. મુખ્યમંત્રી સી. જોસેફ વિજયની સરકારે દિલ્હીમાં રાજ્યના ‘વિશેષ પ્રતિનિધિ’ તરીકે વેંકટ નારાયણ કે. ની નિમણૂક કરીને એક નવો વિવાદ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Madras High Court: ઇસ્લામ ધર્મ અપનાવનારાઓને પછાત વર્ગનો દરજ્જો નહીં મળે – મદ્રાસ હાઈકોર્ટ

  • June 27, 2026
  • 3 views
Madras High Court: ઇસ્લામ ધર્મ અપનાવનારાઓને પછાત વર્ગનો દરજ્જો નહીં મળે – મદ્રાસ હાઈકોર્ટ

Venkat Narayana Appointment Controversy: વિજયની ફિલ્મના નિર્માતા વેંકટ નારાયણને દિલ્હીમાં તમિલનાડુના વિશેષ પ્રતિનિધિ બનાવાતા રાજકીય વિવાદ

  • June 27, 2026
  • 5 views
Venkat Narayana Appointment Controversy: વિજયની ફિલ્મના નિર્માતા વેંકટ નારાયણને દિલ્હીમાં તમિલનાડુના વિશેષ પ્રતિનિધિ બનાવાતા રાજકીય વિવાદ

Indian Visa Challenges: ભારતીયો માટે વિદેશી વિઝા મેળવવું કેમ બન્યું છે વધુ મુશ્કેલ? બદલાતી વૈશ્વિક ધારણા અને વધતી શંકા

  • June 27, 2026
  • 6 views
Indian Visa Challenges: ભારતીયો માટે વિદેશી વિઝા મેળવવું કેમ બન્યું છે વધુ મુશ્કેલ? બદલાતી વૈશ્વિક ધારણા અને વધતી શંકા

Bihar Caste Politics: બિહારની લોકશાહી કે જાતિવાદની પ્રયોગશાળા? દરેક ઘટનાને જાતીય રંગ આપવાની હીન રાજનીતિ

  • June 27, 2026
  • 9 views
Bihar Caste Politics: બિહારની લોકશાહી કે જાતિવાદની પ્રયોગશાળા? દરેક ઘટનાને જાતીય રંગ આપવાની હીન રાજનીતિ

Maharashtra RTI Rules Protest: ભ્રષ્ટાચારીઓને બચાવવા RTI ને નબળું પાડવાનો ખેલ? મહારાષ્ટ્રના નવા નિયમો સામે જનતામાં રોષ

  • June 27, 2026
  • 10 views
Maharashtra RTI Rules Protest: ભ્રષ્ટાચારીઓને બચાવવા RTI ને નબળું પાડવાનો ખેલ? મહારાષ્ટ્રના નવા નિયમો સામે જનતામાં રોષ

Air India Flight 182: 40 વર્ષ બાદ કેનેડાની જાસૂસી સંસ્થાની મોટી કબૂલાત, એર ઈન્ડિયા બોમ્બ વિસ્ફોટ પાછળ ખાલિસ્તાની તત્વોની ભૂમિકા સ્વીકારી

  • June 27, 2026
  • 10 views
Air India Flight 182: 40 વર્ષ બાદ કેનેડાની જાસૂસી સંસ્થાની મોટી કબૂલાત, એર ઈન્ડિયા બોમ્બ વિસ્ફોટ પાછળ ખાલિસ્તાની તત્વોની ભૂમિકા સ્વીકારી