‘દીકરીના નિહાપા લાગ્યા’, ભાજપ નેતા દિલપી સંઘાણીએ આવું ટ્વીટ કેમ કર્યું? | Dileep Sanghani

  • Gujarat
  • November 4, 2025
  • 0 Comments

Dileep Sanghani Tweet: ભાજપ નેતા અને સહકારી ક્ષેત્રના અગ્રણી દિલીપ સંઘાણીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X કરેલા ટ્વીટથી ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચ્યો છે. જેની ગુજરાતભરમાં ચર્ચા થવા લાગી છે. તેમણે લખ્યું છે કે દીકરીના નિહાપા લાગ્યા”. જો કે સંઘાણીએ કોઈ પણ જાતનો ખૂલાસો ન કરતું ટ્વીટ કર્યું હોવાથી લોકો પોત પોતાના મંતવ્યો રજૂ કરી રહ્યા છે. લોકો પાયલ ગોટીના સંદર્ભમાં પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. દિલીપ સંઘાણીએટ્વીટ અમરેલીની મુલાકાત બાદ કરી હોવાનું કહેવાઈ છે. 

હાલની રાજકીય પરિસ્થિતિમાં આ ટ્વીટ પર વિવિધ મંતવ્યો સામે આવી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ અને રાજકીય વિશ્લેષકો પણ આ પરિપ્રેક્ષ્યને લઈને વિવિધ અનુમાન લગાવી રહ્યા છે. દિલીપ સંઘાણીએ પોતાની ટ્વીટમાં સીધું નામ નથી લીધું, પરંતુ અમરેલીની પરિસ્થિતિ જોયા પછી તેમણે તેમની ભાવનાઓ રજુ કરી છે તેવું નિવેદન આપીને વધુ ચર્ચા જગાવી છે.

દિલીપ સંઘાણીનું ટ્વીટ ભાજપના અનુસંધાને હોઈ શકે

દિલીપ સંઘાણીની પોસ્ટ અંગે કોંગ્રેસના નેતા પ્રતાપ દૂધાતે કહ્યું કે દિલીપ સંઘાણીનું ટ્વીટ ભાજપના અનુસંધાને હોઈ શકે. જ્યારે પાટીદાર દીકરી પાયલ ગોટી પર અત્યાચાર થતો હતો, ત્યારે આ નરાધમો આ સ્થિતિને જોઈ રહ્યા હતા. આજની તારીખમાં પાયલ ગોટીને ન્યાય આપવામાં હાઇકોર્ટમાં બધી જ મેટ્રો ચાલુ છે. કુદરત છે! કોઈ દિવસ કોઈને છોડતો નથી, ને પ્રથમ દિવસે જ વાત કરી હતી. પાયલબેનને જેમણે હેરાન કર્યા તેમણે કુદરતે સજા આપવાનું ચાલુ કર્યું છે.  તાલુકા ભાજપ પ્રમુખ ચેતન ધાનાણી બાબતે પણ પ્રતાપ દુધાતે આ સાથે પોતાનું નિવેદન આપ્યું કે, આ ટ્વીટ એ પાયલ ગોટી પ્રકરણને લાગુ પડતી ટ્વિટ છે.

એક સોશિયલ મિડિયા યુઝર્સે લખ્યું એક અંધભક્ત તરીકે ખુબ દુ:ખ તો ત્યારે થયુ સાહેબ કે હજારો ગરીબ અને મા કે બાપ વિનાની દીકરીઓને પરણાવવા વારા ને બેસાડી રાખ્યોને એક દીકરીનો સંધ્યાકાળે વરઘોડો કાઢવા વારાને પ્રમોશન આપીને મંત્રી બનાવ્યો

શું છે પાયલ ગોટી મામલો?

પાયલ ગોટીનો કેસ ગુજરાતના અમરેલી જિલ્લામાં થયેલા એક નકલી પત્ર (ફોર્જરી લેટર)ના કેસ સાથે જોડાયેલો છે. આ કેસમાં સ્થાનિક ભાજપના ધારાસભ્ય કૌશિક વેકરિયાને નુકસાન પહોંચાડવા માટે એક નકલી પત્ર તૈયાર કરીને સોશિયલ મીડિયા પર ફેલાવવાનો આરોપ છે. આ પત્ર અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ કિશોર કાંપરિયાના લેટરહેડ, સહી અને સીલનો ઉપયોગ કરીને તૈયાર કરાયો હતો, જેમાં ધારાસભ્ય વિરુદ્ધ ગંભીર આરોપો લગાવાયા હતા. જે બાદ આરોપી તરીકે અડધી રાત્રે પોલીસે પાયલ ગોટીની ધરપકડ કરી હતી. જેનો પાટીદાર સમાજે ભારે વિરોધ કર્યો હતો.

આ પણ વાંચો:

Bihar Election: ભત્રીજા માટે ચૂંટણી પ્રચાર કરતાં કાકાને પતાવી દેવાયો, બિહારનો ચૂંટણીનો પ્રચાર લોહીયાળ બન્યો, કોણ છે આરોપી?

વિશ્વમાં સૌથી વધુ દારૂ ભારતમાં પીવાય છે, વિશ્વના ટોચના દેશોમાં વેચાણ ઘટ્યું, ભારતમાં વધ્યું! | Alcohol | India

દેશમાં થતાં અકસ્માતો માટે હવે નેતાઓ નહીં રોડ કોન્ટ્રાક્ટરો સીધા જવાબદાર ગણાશે!, લાખ્ખોનો દંડ ભરાવશે | Accident

Related Posts

Morbi Farmers Hunger Strike: મોરબીમાં ખેડૂતો આરપારની લડાઈના મૂડમાં, વળતર માટે ગુરુવારથી આમરણાંત ઉપવાસનું એલાન!
  • June 17, 2026

Morbi Farmers Hunger Strike: મોરબીના ખેડૂતો ફરી એકવાર અન્યાય સામે રસ્તા પર ઉતરી આવ્યા છે. જેતપર ગામે મળેલી એક મહત્વપૂર્ણ બેઠકમાં ખેડૂતોએ સરકારી દમન અને કોર્પોરેટ કંપનીઓની દાદાગીરી સામે ‘આંદોલન…

Continue reading
Ahmedabad Congress Protest: મોંઘવારી અને નીટ કૌભાંડ મુદ્દે કોંગ્રેસનો સરકાર સામે અનોખો વિરોધ!
  • June 17, 2026

Ahmedabad Congress Protest: અમદાવાદની ગલીઓ અને બજારોમાં આજે સામાન્ય જનતાનો અવાજ ગુંજ્યો હતો. વધતી જતી કમરતોડ મોંઘવારી અને તાજેતરમાં થયેલા નીટ (NEET) પેપર લીક કૌભાંડના વિરોધમાં અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Morbi Farmers Hunger Strike: મોરબીમાં ખેડૂતો આરપારની લડાઈના મૂડમાં, વળતર માટે ગુરુવારથી આમરણાંત ઉપવાસનું એલાન!

  • June 17, 2026
  • 1 views
Morbi Farmers Hunger Strike: મોરબીમાં ખેડૂતો આરપારની લડાઈના મૂડમાં, વળતર માટે ગુરુવારથી આમરણાંત ઉપવાસનું એલાન!

Ahmedabad Congress Protest: મોંઘવારી અને નીટ કૌભાંડ મુદ્દે કોંગ્રેસનો સરકાર સામે અનોખો વિરોધ!

  • June 17, 2026
  • 4 views
Ahmedabad Congress Protest: મોંઘવારી અને નીટ કૌભાંડ મુદ્દે કોંગ્રેસનો સરકાર સામે અનોખો વિરોધ!

Gujarat Farmers Protest: ૨૦૦૩નું ખેડૂત આંદોલન, મોદીની લાઠી છતાં વિજય

  • June 17, 2026
  • 10 views
Gujarat Farmers Protest: ૨૦૦૩નું ખેડૂત આંદોલન, મોદીની લાઠી છતાં વિજય

Ankita Bhandari Case: અંકિતા ભંડારી કેસના ‘વીઆઈપી’ વિવાદમાં નવો વળાંક, ભાજપના પૂર્વ ધારાસભ્યની ધરપકડ

  • June 16, 2026
  • 8 views
Ankita Bhandari Case: અંકિતા ભંડારી કેસના ‘વીઆઈપી’ વિવાદમાં નવો વળાંક, ભાજપના પૂર્વ ધારાસભ્યની ધરપકડ

Chhattisgarh School Prayer: શિક્ષણ કે ધાર્મિક એજન્ડા? છત્તીસગઢની શાળાઓમાં દિવસમાં ત્રણ વખત પ્રાર્થના ફરજિયાત

  • June 16, 2026
  • 6 views
Chhattisgarh School Prayer: શિક્ષણ કે ધાર્મિક એજન્ડા? છત્તીસગઢની શાળાઓમાં દિવસમાં ત્રણ વખત પ્રાર્થના ફરજિયાત

Akal Takht Bhagwant Mann: પંજાબમાં રાજકીય-ધાર્મિક ભૂકંપ, અકાલ તખ્તે મુખ્યમંત્રી ભગવંત માનને કહ્યા ‘ગુરુ દોષી’

  • June 16, 2026
  • 10 views
Akal Takht Bhagwant Mann: પંજાબમાં રાજકીય-ધાર્મિક ભૂકંપ, અકાલ તખ્તે મુખ્યમંત્રી ભગવંત માનને કહ્યા ‘ગુરુ દોષી’