Bangladesh: યુનુસે પાકિસ્તાન બાદ હવે તુર્કીને પણ ભારતનો હિસ્સો પોતાનો દર્શાવતો નકશો ગિફ્ટ કર્યો!

  • World
  • November 4, 2025
  • 0 Comments

Bangladesh: બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર એવા મોહમ્મદ યૂનુસે પાકિસ્તાન બાદ હવે તુર્કીને પણ ભારતના પૂર્વોત્તર ક્ષેત્રને બાંગ્લાદેશના હિસ્સા તરીકે દર્શાવતું નકશા રૂપી પેઈટિંગ ગિફ્ટ કર્યું છે.

આ અગાઉ પણ યૂનુસે પાકિસ્તાનના વરિષ્ઠ સૈન્ય અધિકારી જનરલ સાહિર શમશાદ મિર્ઝાને પણ આ જ પ્રકારનું વિવાદાસ્પદ નકશો ધરાવતું પેઈટિંગ ગિફ્ટ કર્યું હતું જેની સામે ભારતે નારાજગી વ્યક્ત કરી હતી હવે,ફરીવાર તુર્કીના સંસદીય પ્રતિનિધિમંડળને પણ આવુજ નકશો ધરાવતું પેઈટિંગ આપી વિવાદ ઊભો કર્યો છે. તુર્કીના પ્રતિનિધિમંડળને સોંપવામાં આવેલા દસ્તાવેજોમાં ભારત સાથે યુદ્ધ અને ત્યારબાદની યોજનાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ભારતના દુશ્મન દેશ પાકિસ્તાન અને તુર્કીની બાંગ્લાદેશની મુલાકાતો ઉપરથી લાગી રહ્યું છે કે યૂનુસ સરકાર બાંગ્લાદેશની ધરતીનો ઉપયોગ ભારત વિરુદ્ધ કરવાના પ્રયાસોમાં લાગ્યા છે.

મોહમ્મદ યૂનુસ બાંગ્લાદેશની વચગાળાની સરકારના જ્યારથી મુખ્ય સલાહકાર બન્યા છે, ત્યારથી તેઓ ભારત વિરુદ્ધ નિવેદનો અને ભારતના દુશ્મન દેશને સમર્થન આપવાનું અને આડકતરી રીતે ભારતને ટાર્ગેટ કરવાનું કામ કરી રહ્યા છે,ત્યારે પાકિસ્તાનની બાંગ્લાદેશની મુલાકાત બાદ હવે પાકિસ્તાનનું ખાસ મિત્ર તુર્કી પણ બાંગ્લાદેશ મુલાકાતે ગયું અને ભારત વિરોધી પ્રવતિ શરૂ કરી ભારતના વિસ્તારને જાણી જોઈને બાંગ્લાદેશનો વિસ્તાર ગણાવી હવે બાંગ્લાદેશ, પાકિસ્તાન,તુર્કી એક થઈ રહ્યાનું સપાટી ઉપર આવી રહ્યુ છે.

ત્યારે બાંગ્લાદેશના મોહમ્મદ યૂનુસનો શુ ઈરાદો છે તે સ્પષ્ટ થઈ રહ્યું છે દરમિયાન પાકિસ્તાન બાદ તુર્કીને પણ વિવાદીત નકશો આપી ઉશ્કેરણીજનક કાર્ય કરતા ફરી વિવાદ ઉભો થયો છે.

આ પણ વાંચો:

CBI Raid: ED પછી CBIના ભૂપેશ બઘેલના ઘરે દરોડા, સમર્થકો ગુસ્સે, કાર્યવાહી વિરુદ્ધ સૂત્રોચ્ચાર

દિવ્ય ભાસ્કરના ડિજિટલ હેડ મનીષ મહેતા નીચે રેલો?, દીર્ઘાયુ વ્યાસે વટાણા વેરી દીધા? | Dirghayu Vyas

PM મોદી ‘અપમાન મંત્રાલય’ મંત્રાલય બનાવે: Priyanka Gandhi

Bihar Election: ભત્રીજા માટે ચૂંટણી પ્રચાર કરતાં કાકાને પતાવી દેવાયો, બિહારનો ચૂંટણીનો પ્રચાર લોહીયાળ બન્યો, કોણ છે આરોપી?

વિશ્વમાં સૌથી વધુ દારૂ ભારતમાં પીવાય છે, વિશ્વના ટોચના દેશોમાં વેચાણ ઘટ્યું, ભારતમાં વધ્યું! | Alcohol | India

Related Posts

Liberal World Order Crisis: લિબરલ વર્લ્ડ ઓર્ડરના પતનની પાછળની અસલી કહાની
  • June 15, 2026

Liberal World Order Crisis: લિબરલ વર્લ્ડ ઓર્ડર કે જેને આપણે આધુનિક સંસ્કારી દુનિયાનો પાયો માની રહ્યા હતા, તે આજે પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ રહ્યું છે. આ નિષ્ફળતા માત્ર નીતિગત…

Continue reading
Pakistan Economic Survey and Budget: પાકિસ્તાનનો આર્થિક સર્વે સ્થિરતાની વાત કરે છે, પરંતુ બજેટે વિકાસના નબળા પાયાને ઉજાગર કર્યો
  • June 15, 2026

Pakistan Economic Survey and Budget: પાકિસ્તાનના નાણા મંત્રાલય દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલા આર્થિક સર્વેક્ષણ અને આગામી નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ના બજેટ દસ્તાવેજો એક વિચિત્ર અને ચિંતાજનક આર્થિક ચિત્ર રજૂ કરે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ankita Bhandari Case: અંકિતા ભંડારી કેસના ‘વીઆઈપી’ વિવાદમાં નવો વળાંક, ભાજપના પૂર્વ ધારાસભ્યની ધરપકડ

  • June 16, 2026
  • 4 views
Ankita Bhandari Case: અંકિતા ભંડારી કેસના ‘વીઆઈપી’ વિવાદમાં નવો વળાંક, ભાજપના પૂર્વ ધારાસભ્યની ધરપકડ

Chhattisgarh School Prayer: શિક્ષણ કે ધાર્મિક એજન્ડા? છત્તીસગઢની શાળાઓમાં દિવસમાં ત્રણ વખત પ્રાર્થના ફરજિયાત

  • June 16, 2026
  • 4 views
Chhattisgarh School Prayer: શિક્ષણ કે ધાર્મિક એજન્ડા? છત્તીસગઢની શાળાઓમાં દિવસમાં ત્રણ વખત પ્રાર્થના ફરજિયાત

Akal Takht Bhagwant Mann: પંજાબમાં રાજકીય-ધાર્મિક ભૂકંપ, અકાલ તખ્તે મુખ્યમંત્રી ભગવંત માનને કહ્યા ‘ગુરુ દોષી’

  • June 16, 2026
  • 10 views
Akal Takht Bhagwant Mann: પંજાબમાં રાજકીય-ધાર્મિક ભૂકંપ, અકાલ તખ્તે મુખ્યમંત્રી ભગવંત માનને કહ્યા ‘ગુરુ દોષી’

NEET re exam Telegram ban: પરીક્ષા માફિયાઓ સામે કાર્યવાહી કે ડિજિટલ નિયંત્રણ? ૨૨ જૂન સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ

  • June 16, 2026
  • 12 views
NEET re exam Telegram ban: પરીક્ષા માફિયાઓ સામે કાર્યવાહી કે ડિજિટલ નિયંત્રણ? ૨૨ જૂન સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ

Tribal Identity Crisis: આદિવાસી અનામત પર કોનો હક? સંસ્કૃતિ છોડ્યા પછી પણ બેવડો લાભ લેનારાઓ સામે આક્રોશ!

  • June 16, 2026
  • 12 views
Tribal Identity Crisis: આદિવાસી અનામત પર કોનો હક? સંસ્કૃતિ છોડ્યા પછી પણ બેવડો લાભ લેનારાઓ સામે આક્રોશ!

BJP Alliance Strategy: વાજપેયી-અડવાણીના સહારે ઊભેલા પ્રાદેશિક દિગ્ગજો આજે મોદી-શાહની ભાજપ સામે કેમ બેકફૂટ પર આવ્યા?

  • June 16, 2026
  • 8 views
BJP Alliance Strategy: વાજપેયી-અડવાણીના સહારે ઊભેલા પ્રાદેશિક દિગ્ગજો આજે મોદી-શાહની ભાજપ સામે કેમ બેકફૂટ પર આવ્યા?