PM મોદીના રીલ્સથી કમાણી’ નિવેદન પર રાહુલનો સણસણતો જવાબ: ‘રીલ્સ 21મી સદીનું વ્યસન, યુવાનોને રોજગારની જરૂર છે!’

  • India
  • November 6, 2025
  • 0 Comments

તાજેતરમાં  PM નરેન્દ્ર મોદીએ બિહારમાં યોજાયેલી એક  જાહેર સભામાં યુવાનોને સંબોધતા આપેલા નિવેદનથી દેશના રાજકારણમાં એક નવો વિવાદ છેડાયો છે. PM મોદીએ તેમની સરકારની સિદ્ધિ ગણાવતા કહ્યું હતું કે, “અમે યુવાનોને સસ્તો ડેટા પૂરો પાડ્યો છે, જેના કારણે યુવાનો રીલ્સ બનાવીને પોતાની ક્રિએટિવિટી દર્શાવી રહ્યા છે અને પૈસા કમાઈ રહ્યા છે.” જો કે આ નિવેદનને લઈ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી મોદી પર જબરજસ્ત નિશાન સાધ્યું છે. 

રાહુલ ગાંધીનો આકરો પ્રહાર: ‘રીલ્સ એ 21મી સદીનું વ્યસન’

વડાપ્રધાનના આ નિવેદન પર કોંગ્રેસના નેતા  રાહુલ ગાંધીએ આકરી પ્રતિક્રિયા આપી છે.  રાહુલ ગાંધીએ વડાપ્રધાનના ઈરાદા પર સવાલ ઉઠાવતા કહ્યું કે, “રીલ્સ એ 21મી સદીનું વ્યસન છે.”

તેમણે આરોપ લગાવ્યો કે, જ્યારે યુવાનો રીલ્સ જુએ છે, ત્યારે તેના પૈસા ભારતના મોટા ઉદ્યોગપતિઓ, ખાસ કરીને અદાણી, અંબાણી અને જિયોના ખિસ્સામાં જાય છે. રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું, “જે પહેલા દારૂ અને ડ્રગ્સ સાથે થતું હતું, તે હવે રીલ્સ સાથે થઈ રહ્યું છે. રીલ્સ માત્ર યુવાનોનો સમય બગાડી રહી છે અને તેમને વ્યસની બનાવી રહી છે.”

યુવાનોને રીલ્સ નહીં, રોજગારની જરૂર આપો

રાહુલ ગાંધીએ સ્પષ્ટપણે કહ્યું કે, બિહારના યુવાનોને રીલ્સ (મનોરંજન) નહીં, પરંતુ  રોજગારની તાતી જરૂર છે. બેરોજગારીના મુદ્દાને ઉઠાવતા તેમણે સરકાર પર યુવાનોનું ધ્યાન વાસ્તવિક સમસ્યાઓથી ભટકાવવાનો આક્ષેપ કર્યો.

રીલ્સથી કમાણીનું વાસ્તવિક ચિત્ર શું છે?

વડાપ્રધાનના નિવેદનને ટેક્નોલોજીના સકારાત્મક ઉપયોગ અને આત્મનિર્ભરતાના દૃષ્ટિકોણથી જોવામાં આવે છે, જ્યારે રાહુલ ગાંધીના નિવેદનને બેરોજગારીના ગંભીર મુદ્દાને ઉજાગર કરવાના રાજકીય પ્રયાસ તરીકે જોવામાં આવે છે. બંને પક્ષો યુવાનોને આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ તેમના એજન્ડા અલગ-અલગ છે.

બિહાર જેવા રાજ્યમાં જ્યાં યુવાનોની વસ્તી ખૂબ મોટી છે અને બેરોજગારી એક મોટો પડકાર છે, ત્યાં આ ‘રીલ્સ vs રોજગાર’નો વિવાદ આગામી ચૂંટણીઓમાં એક મુખ્ય મુદ્દો બની શકે છે. સત્તાધારી પક્ષ જ્યાં ડિજિટલ માધ્યમોના ફાયદા ગણાવી રહ્યું છે, ત્યાં વિપક્ષ યુવાનોની વાસ્તવિક આર્થિક જરૂરિયાતો પર ભાર મૂકી રહ્યું છે.

આ પણ વાંચો:

 

Bihar: ડેપ્યુટી CM અને BJP ઉમેદવાર વિજયકુમાર સિંહા સામે ચપ્પલો ફેંકાયા, લોકો ઉશ્કેરાતા ભાગવું પડ્યું!

Bihar Election: ‘તમારો વોટ પડી ગયો છે’, બિહારમાં મતદાન કર્યા વગર મતદારોને બહાર કાઢ્યા

Related Posts

CJP Digital Movement Censorship: ડિજિટલ યુગમાં સેન્સરશીપ સામે અસંમતિનો અવાજ, કોકરોચ જનતા પાર્ટીના ઉદયે સત્તા સામે સર્જ્યો મોટો બંધારણીય પડકાર
  • May 25, 2026

CJP Digital Movement Censorship: ડિજિટલ સ્પેસના નવા અને અસલી શાસક વર્ગ તરીકે ઉભરેલી ‘ઝેન ઝી’ (Gen Z) પેઢીએ સોશિયલ મીડિયા પર ફરી એકવાર પોતાનું જબરજસ્ત પ્રભુત્વ સાબિત કરી બતાવ્યું છે.…

Continue reading
Prof K Nageshwar FIR: પ્રો. કે નાગેશ્વર વિરુદ્ધ FIR બાદ રાજકીય તોફાન, ભાજપથી લઈને બીઆરએસ સુધી અનેક નેતાઓએ ઉઠાવ્યા સવાલ
  • May 25, 2026

Prof K Nageshwar FIR: પ્રતિષ્ઠિત વરિષ્ઠ પત્રકાર, પૂર્વ એમએલસી (MLC) અને જાણીતા રાજકીય વિશ્લેષક પ્રોફેસર કે નાગેશ્વર વિરુદ્ધ આંધ્રપ્રદેશમાં એક પછી એક અનેક પોલીસ ફરિયાદો (FIR) દાખલ થતાં દેશના રાજકારણમાં…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Kondh Village Farmers Protest: 800 પોલીસ મોકલી અટકાયત કરી, કોંઢ ગામની ઘટના, મુખ્ય પ્રધાને ચર્ચા કરી અને ફરી ગયા

  • May 25, 2026
  • 2 views
Kondh Village Farmers Protest: 800 પોલીસ મોકલી અટકાયત કરી, કોંઢ ગામની ઘટના, મુખ્ય પ્રધાને ચર્ચા કરી અને ફરી ગયા

CJP Digital Movement Censorship: ડિજિટલ યુગમાં સેન્સરશીપ સામે અસંમતિનો અવાજ, કોકરોચ જનતા પાર્ટીના ઉદયે સત્તા સામે સર્જ્યો મોટો બંધારણીય પડકાર

  • May 25, 2026
  • 2 views
CJP Digital Movement Censorship: ડિજિટલ યુગમાં સેન્સરશીપ સામે અસંમતિનો અવાજ, કોકરોચ જનતા પાર્ટીના ઉદયે સત્તા સામે સર્જ્યો મોટો બંધારણીય પડકાર

Prof K Nageshwar FIR: પ્રો. કે નાગેશ્વર વિરુદ્ધ FIR બાદ રાજકીય તોફાન, ભાજપથી લઈને બીઆરએસ સુધી અનેક નેતાઓએ ઉઠાવ્યા સવાલ

  • May 25, 2026
  • 5 views
Prof K Nageshwar FIR: પ્રો. કે નાગેશ્વર વિરુદ્ધ FIR બાદ રાજકીય તોફાન, ભાજપથી લઈને બીઆરએસ સુધી અનેક નેતાઓએ ઉઠાવ્યા સવાલ

RBI India Outbound Travel: શું પીએમ મોદીની અપીલ બાદ ભારતીયોએ વિદેશ પ્રવાસો પર મૂક્યો કાપ?: આરબીઆઈના આંકડામાં થયો મોટો ખુલાસો, બે મહિનામાં કરોડો ડોલરનો ખર્ચ ઘટ્યો

  • May 25, 2026
  • 6 views
RBI India Outbound Travel: શું પીએમ મોદીની અપીલ બાદ ભારતીયોએ વિદેશ પ્રવાસો પર મૂક્યો કાપ?: આરબીઆઈના આંકડામાં થયો મોટો ખુલાસો, બે મહિનામાં કરોડો ડોલરનો ખર્ચ ઘટ્યો

Jairam Ramesh: અમેરિકા સામે વડાપ્રધાન મોદીની શરણાગતિ? $૫૦૦ અબજની આયાતના ખુલાસા પર જયરામ રમેશના પીએમ મોદીને ૫ સવાલ

  • May 25, 2026
  • 6 views
Jairam Ramesh: અમેરિકા સામે વડાપ્રધાન મોદીની શરણાગતિ? $૫૦૦ અબજની આયાતના ખુલાસા પર જયરામ રમેશના પીએમ મોદીને ૫ સવાલ

Dwarka Green Energy Farmers Protest: સરકાર વચનથી ફરી ગઈ, દ્વારકામાં ખેતરો વીંધી નાખ્યા

  • May 25, 2026
  • 5 views
Dwarka Green Energy Farmers Protest: સરકાર વચનથી ફરી ગઈ, દ્વારકામાં ખેતરો વીંધી નાખ્યા