Delhi bomb blast: દિલ્હી કાર બોમ્બ બ્લાસ્ટમાં માર્યો ગયેલો શખ્સ ડૉ.ઉમર હોવાનો DNA રિપોર્ટેમાં ખુલાસો,મોટા આતંકી હુમલાને અંજામ આપવાનો ઈરાદો હતો!

  • India
  • November 13, 2025
  • 0 Comments

Delhi bomb blast: દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા કાર બોમ્બ વિસ્ફોટમાં કારમાં માર્યો ગયેલો ઈસમ કાશ્મીરી ડૉક્ટર ઉમર ઉન નબી હોવાનું DNA રિપોર્ટમાં ખુલ્યુ છે,સાથે જ તે જૈશ-એ-મોહમ્મદના લોજિસ્ટિક્સ મોડ્યુલ સાથે સંકળાયેલો હોવાની વાત પણ સામે આવી છે.

ગત તા.10 નવેમ્બરના રોજ દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પાસે થયેલા કાર બોમ્બ વિસ્ફોટ પાછળનું રહસ્ય આખરે ડીએનએ પરીક્ષણ બાદ ખુલ્યું છે. તપાસ એજન્સીઓએ પુષ્ટિ કરી છે,કે કારમાં વિસ્ફોટ દરમિયાન માર્યો ગયેલો ગુનેગાર કાશ્મીરનો ડૉ. ઉમર ઉન નબી હતો.શરૂઆતની પ્રાથમિક તપાસમાં જ ડૉ. ઉમર શંકાના ઘેરામાં હતો જેણે આ ઘટનાના 10 દિવસ પહેલા વિસ્ફોટમાં વપરાયેલી સફેદ હ્યુન્ડાઇ i20 કાર ખરીદી હતી.

કાર વિસ્ફોટ બાદ કારની નજીક તેમના મૃતદેહના અવશેષો મળી આવ્યા હતા, પરંતુ ઓળખ શક્ય નહોતી આખરે પુલવામામાં તેમના પરિવાર પાસેથી એકત્રિત કરાયેલા નમૂનાઓના આધારે DNA પરીક્ષણ બાદ તે વ્યક્તિ ડૉ. ઉમર હોવાની પુષ્ટિ થઈ છે અને તે જ હુમલાખોર હોવાનું સામે આવ્યું છે.

તપાસમાં જાણવા મળ્યું કે ઉમર ફરીદાબાદ, લખનૌ અને દક્ષિણ કાશ્મીર વચ્ચે કાર્યરત જૈશ-એ-મોહમ્મદ (JeM) લોજિસ્ટિક્સ મોડ્યુલ સાથે સંકળાયેલો હતો. આ મોડ્યુલમાં આશરે 9 થી 10 સભ્યો હતા, જેમાં 5 થી 6 ડોકટરોનો સમાવેશ થતો હતો. આ ડોકટરોએ રાસાયણિક પદાર્થો અને વિસ્ફોટક સામગ્રી મેળવવા માટે તેમની વ્યાવસાયિક ઓળખનો ઉપયોગ કર્યો હતો.

9 નવેમ્બરના રોજ એટલે કે વિસ્ફોટના બરાબર એક દિવસ પહેલા, પોલીસે ફરીદાબાદના એક વેરહાઉસમાંથી 2,900 કિલો એમોનિયમ નાઈટ્રેટ જપ્ત કર્યું હતું તેના થોડા સમય પછી ડૉ. ઉમર ગુમ થઈ ગયા હતા તેઓને પોલીસ શોધી રહી હતી.દરમિયાન, છેલ્લે ધૌજ ગામ નજીક જોવામાં આવ્યા હતા. તેમણે પોતાના પાંચ મોબાઈલ ફોન બંધ કરી દીધા હતાતપાસ દરમિયાન ડો. ઉમર તા. 30 ઓક્ટોબરથી યુનિવર્સિટી ડ્યુટી પર હાજર થયા ન હોવાનું જણાયું હતું.

આ આતંકવાદી નેટવર્ક સાથે જોડાયેલા અન્ય ઘણા વ્યક્તિઓની પણ અટકાયત કરવામાં આવી છે. ફરીદાબાદમાં ધરપકડ કરાયેલ ડૉ. શાહીન શાહિદ, ભારતમાં જૈશ-એ-મોહમ્મદની મહિલા પાંખ, જમાત-ઉલ-મોમિનીનના વડા હોવાનો આરોપ છે. ડૉ. મુઝમ્મિલ અહેમદ અને ડૉ. તજામુલ અહેમદ મલિકની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. તપાસ એજન્સીઓએ દક્ષિણ કાશ્મીરમાં જમાત-એ-ઇસ્લામીના કાર્યકરોના ઠેકાણાઓ પર દરોડા પાડ્યા છે, ખાસ કરીને મૌલવી ઇરફાનની ધરપકડ પછી, જેના પર ત્રણ ડૉક્ટરોને કટ્ટરપંથી બનાવવાનો આરોપ છે.પોલીસ તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે ઉમર અને ડૉ. મુઝમ્મિલ બંને તુર્કી ગયા હતા, જ્યાં તેમના હેન્ડલર્સે તેમને સૂચનાઓ આપી હતી. તેમના પાસપોર્ટ તુર્કીની મુસાફરીનો પુરાવો દર્શાવે છે, તેઓ ચોક્કસ ટેલિગ્રામ જૂથોમાં જોડાયા પછી ત્યાં ગયા હતા.

આ હેન્ડલર્સે ડૉક્ટર મોડ્યુલને ભારતમાં ફેલાવવા અને ભીડવાળા વિસ્તારોને નિશાન બનાવવા સૂચના આપી હતી.આ ડોકટરોને બે ટેલિગ્રામ ગ્રુપ દ્વારા કટ્ટરપંથી બનાવવામાં આવ્યા હતા, જેમાંથી એક પાકિસ્તાન સ્થિત જૈશ હેન્ડલર ઉમર દ્વારા સંચાલિત હતું. અધિકારીઓ માને છે કે 2008ના મુંબઈ હુમલા જેવો જ મોટો હુમલો કરવાનો તેઓનો ઈરાદો હતો.

કાશ્મીરના પુલવામાના કોઇલ ગામમાં રહેતા ઉમરનો પરિવાર આઘાતમાં છે.એક સંબંધીએ કહ્યું,”તે ખૂબ જ શાંત અને અંતર્મુખી હતો. તે પોતાનો મોટાભાગનો સમય પુસ્તકો વાંચવામાં વિતાવતો હતો અને કોઈની સાથે વધારે વાત કરતો નહોતો.જોકે, પોલીસ સૂત્રો કહે છે કે છેલ્લા કેટલાક મહિનાઓથી તેનું વર્તન બદલાઈ ગયું હતું. તે વારંવાર ફરીદાબાદ અને દિલ્હી વચ્ચે મુસાફરી કરતો હતો અને રામલીલા મેદાન અને સુનેહરી મસ્જિદ નજીકની મસ્જિદોમાં જોવા મળતો હતો.સીસીટીવી ફૂટેજમાં પણ તે વિસ્ફોટ પહેલા બપોરે 3 વાગ્યે આજ મસ્જિદ પાસે પોતાની કાર પાર્ક કરતો અને પછી સાંજે લાલ કિલ્લા તરફ જતો દેખાય છે.

હાલમાં,દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલ, જમ્મુ અને કાશ્મીર પોલીસ અને ઉત્તર પ્રદેશ એટીએસ સહિત એજન્સીઓ ફરીદાબાદ મોડ્યુલ સાથે જોડાયેલા અન્ય શંકાસ્પદોની શોધ કરી રહી છે. સુરક્ષા એજન્સીઓએ રાજધાની અને અન્ય મોટા શહેરોમાં હાઇ એલર્ટ જારી કર્યું છે.

Related Posts

Share Market Crash: યુદ્ધની અસર વચ્ચે શેરબજારમાં ભયાનક કડાકો,સેન્સેક્સ 2200 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ ₹9 લાખ કરોડ ગુમાવ્યા!
  • March 9, 2026

Share Market Crash: ઈરાન-ઈઝરાયલ યુદ્ધ અને ક્રૂડ ઓઈલના ભાવ $117 ને વટાવી જવાથી શેરબજારમાં હાહાકાર મચી ગયો છે અને સેન્સેક્સ 2,200 પોઈન્ટ અને નિફ્ટી 700 થી વધુ પોઈન્ટ ગગડી જતાં…

Continue reading
UP NEWS: શંકરાચાર્ય વિરુદ્ધ ફરિયાદ કરનાર આશુતોષ બ્રહ્મચારી પર ચાલતી ટ્રેનમાં હુમલો; ટોયલેટમાં છુપાઈ જતા જીવ બચ્યો!
  • March 8, 2026

■આશુતોષ બ્રહ્મચારીનું નાક કાપી લાવનારને રૂ.એક લાખ રૂપિયા ઈનામની થઈ હતી જાહેરાત?! UP NEWS: સમગ્ર દેશભરમાં ભારે ચકચાર જગાવનાર શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સામે યૌન શોષણની ફરિયાદ કરનાર આશુતોષ બ્રહ્મચારી પર…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Narendramodi: શુ ભારતની મોદી સરકાર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સંચાલિત છે? જુઓ ખાસ વિશ્લેષણ

  • March 9, 2026
  • 2 views
Narendramodi: શુ ભારતની મોદી સરકાર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સંચાલિત છે? જુઓ ખાસ વિશ્લેષણ

Iran War: ઈરાનના 30 તેલ ડેપો પર ઇઝરાયલી હુમલાઓથી અમેરિકા નારાજ: ઈરાનીઓ સરકારના સમર્થનમાં થઈ જવાનો ડર!

  • March 9, 2026
  • 4 views
Iran War: ઈરાનના 30 તેલ ડેપો પર ઇઝરાયલી હુમલાઓથી અમેરિકા નારાજ: ઈરાનીઓ સરકારના સમર્થનમાં થઈ જવાનો ડર!

Share Market Crash: યુદ્ધની અસર વચ્ચે શેરબજારમાં ભયાનક કડાકો,સેન્સેક્સ 2200 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ ₹9 લાખ કરોડ ગુમાવ્યા!

  • March 9, 2026
  • 5 views
Share Market Crash: યુદ્ધની અસર વચ્ચે શેરબજારમાં ભયાનક કડાકો,સેન્સેક્સ 2200 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ ₹9 લાખ કરોડ ગુમાવ્યા!

Trump: US નેવીના કાફલા પર ઈરાનનો ભારે બોમ્બમારો ; ઈઝરાયેલ ઉપર જોરદાર એટેક! બહેરીનમાં USની ડિફેન્સ સિસ્ટમ ખોટવાતા રહેણાંક વિસ્તારમાં ભારે તબાહી!

  • March 9, 2026
  • 9 views
Trump: US નેવીના કાફલા પર ઈરાનનો ભારે બોમ્બમારો ; ઈઝરાયેલ ઉપર જોરદાર એટેક! બહેરીનમાં USની ડિફેન્સ સિસ્ટમ ખોટવાતા રહેણાંક વિસ્તારમાં ભારે તબાહી!

Iran War: ઈરાનમાં નવા સુપ્રીમ લીડર જાહેર! સાઉદી માંથી અમેરિકનોને પરત ફરવા આદેશ! યુદ્ધ લાંબુ ચાલે તેવા એંધાણ! દુનિયાનું અર્થતંત્ર ખોરવાશે!

  • March 9, 2026
  • 9 views
Iran War: ઈરાનમાં નવા સુપ્રીમ લીડર જાહેર!  સાઉદી માંથી અમેરિકનોને પરત ફરવા આદેશ! યુદ્ધ લાંબુ ચાલે તેવા એંધાણ! દુનિયાનું અર્થતંત્ર ખોરવાશે!

IND vs NZ : T20 વર્લ્ડ કપમાં ભારતે ત્રીજી વખત વિશ્વ વિજેતાનો ખિતાબ હાંસલ કરી ઇતિહાસ સર્જ્યો !

  • March 9, 2026
  • 5 views
IND vs NZ : T20 વર્લ્ડ કપમાં ભારતે ત્રીજી વખત વિશ્વ વિજેતાનો ખિતાબ હાંસલ કરી ઇતિહાસ સર્જ્યો !