બિહારના પરિણામો મામલે પ્રશાંત કિશોર શરત હાર્યા! શુ હવે,વચન મુજબ ‘રાજકારણ’ છોડી દેશે?

  • India
  • November 14, 2025
  • 0 Comments

BIHAR ELECTION | બિહાર વિધાનસભા ચૂંટણીમાં પ્રાથમિક પરિણામોમાં ફરી NDAની સરકાર બહુમત તરફ આગળ વધી રહી છે.

આ પરિણામોએ રાજકીય વ્યૂહનીતિકાર ગણાતા પ્રશાંત કિશોર માટે ઝટકા સમાન માનવામાં આવે છે,કારણકે તેમની પાર્ટીનું પ્રદર્શન નિરાશાજનક જણાયું છે સાથે સાથે તેમણે JDUની બેઠકો વિશે કરેલી ભવિષ્યવાણી પણ ખોટી સાબિત થઈ ગઈ છે અને જો પોતે ખોટા પડશે તો રાજકીય સન્યાસ લેવાની કરેલી જાહેરાત સામે હવે કોમેન્ટ ઉઠી રહી છે શું તેઓ રાજકારણ છોડી પોતાનું વચન પાળશે ખરા?

મહત્ત્વનું છે કે પ્રશાંત કિશોરે ચૂંટણી પ્રચાર દરમિયાન દાવો કર્યો હતો કે આ ચૂંટણીમાં JDU 25થી વધુ બેઠકો નહીં જીતે અને જો જીતશે તો ‘તેઓ રાજકારણ છોડી દેશે!’ હવે વલણો સ્પષ્ટ સંકેત આપે છે કે JDU 25 બેઠકોના આંકડાને વટાવી ચૂક્યું છે અને તે પ્રશાંત કિશોરની આગાહી કરતાં ત્રણ ગણી વધુ બેઠકો જીતવા તરફ આગળ વધી રહ્યું છે ત્યારે હવે

પ્રશાંત કિશોર રાજકારણ છોડી પોતાનું વચન પાળશે ખરા?

તેઓ ઘણા ઇન્ટરવ્યૂમાં પણ આ મુજબ જાહેરાત કરી ચૂક્યા છે કે ‘જો JDU 25થી વધુ બેઠકો જીતશે, તો તેઓ રાજકારણ છોડી દેશે.’ હવે એ જોવાનું એ રહેશે કે પ્રશાંત કિશોર પોતાની શરત હાર્યા પછી રાજકારણમાંથી સન્યાસ  લે છે કે પછી શુ બહાનું કાઢશે.

બિહાર માટે એક રાજકીય વ્યૂહરચનાકાર તરીકે સફળ કારકિર્દી બાદ રાજકારણમાં પ્રવેશનાર પ્રશાંત કિશોર માટે આ ચૂંટણી પરિણામ એક મોટો વ્યક્તિગત પડકાર બની રહેવા પામી છે અને તેમના અંદાજની વિપરીત પરિણામો આવી રહયા છે ત્યારે આ વાત ચર્ચાનો વિષય બની છે.

અત્રે ઉલ્લેખનીય છે કે પ્રશાંત કિશોરને ભારતીય રાજનીતિના ચાણક્ય માનવામાં આવે છે. ચૂંટણી વખતે પાસાં ગોઠવવામાં એ માહેર છે. અત્યારસુધી પ્રશાંત કિશોર કિંગમેકરની ભૂમિકામાં રહ્યા હતા, પણ આ વખતે બિહારની ચૂંટણીની તમામ સીટોમાં પોતાના ઉમેદવારોને લડાવીને કિંગ બનવાના સપના જોયા છે.

અહીં મુખ્ય લડાઈ ભલે NDA અને મહાગઠબંધન વચ્ચે રહી પણ આ વખતે પ્રશાંત કિશોરની ત્રીજી પાર્ટી જનસુરાજ પણ જંગમાં છે એટલે રસાકસી જામી  છે પણ આનાથી કોનો ફાયદો થશે?તેતો સાંજ સુધીમાં સ્પષ્ટ થઈ જશે.

જોકે એક વાત સ્પષ્ટ થઈ રહી છે જેમાં પ્રશાંત કિશોરે પોતાની જ પાર્ટી માટે કરેલી ભવિષ્યવાણી સાચી પડતી દેખાય છે ,તેઓએ પોતાની પાર્ટી માટે પરિણામો અંગે કહ્યું હતું કે જનસુરાજ પાર્ટી કાં તો અર્શ પર હશે અથવા ફર્શ પર હશે, એટલે કાં તો 100 સીટ મળશે ને કાં તો 10 સીટ પણ નહિ મળે. ત્યારે હાલ એવું લાગી રહ્યું છે કે પીકે અર્શ પર નહિ પણ ફર્શ પર જ રહી શકે છે.

આ પણ વાંચો:

Amreli:રાજ્ય સરકારના સહાય પેકેજથી ભાજપમાં ભડકો, વરિષ્ઠ નેતાએ આપી દીધું રાજીનામું

Rajasthan: રાજસ્થાનમાં ભારતીય સેનાની મિસાઈલ લક્ષ ચુકી ગઈ અને ભદરિયા ગામની સીમમાં પડી!મોટી જાનહાની ટળી

chhotaudepur: “મને ડરાવી-ધમકાવીને ભાજપમાં જોડવાની કોશિશ કરી” AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો મોટો ખુલાસો

Kirti Patel: કીર્તિ પટેલ સામે PASA હેઠળ કાર્યવાહી , વડોદરા જેલમાં ધકેલાઈ, ખંડણી અને ધમકીના 9 કેસો

Related Posts

Defence Forces Vision 2047: વિઝન 2047થી વિશ્વસ્તરીય સેના બનશે કે ફક્ત કાગળ પર જ રહેશે યોજના?
  • August 3, 2026

Defence Forces Vision 2047: ભારતે વર્ષ 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. આ લક્ષ્યને ધ્યાનમાં રાખીને 10 માર્ચે જાહેર કરાયેલ ‘ડિફેન્સ ફોર્સેઝ વિઝન 2047: ભવિષ્ય માટે તૈયાર…

Continue reading
CJP Protest FIR: CJP પ્રદર્શન કેસમાં મોટો ખુલાસો, સરકારની જાહેરાતથી આપમેળે FIR બંધ થતી નથી
  • August 3, 2026

CJP Protest FIR: CJP ના નેતૃત્વમાં દેશના વિવિધ ભાગોમાં થયેલા વિદ્યાર્થી અને યુવા પ્રદર્શનો બાદ અનેક રાજ્યોમાં નોંધાયેલી FIRને લઈને નવી કાનૂની અને વહીવટી પ્રક્રિયા શરૂ થઈ છે. દિલ્હી, બિહાર,…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Defence Forces Vision 2047: વિઝન 2047થી વિશ્વસ્તરીય સેના બનશે કે ફક્ત કાગળ પર જ રહેશે યોજના?

  • August 3, 2026
  • 3 views
Defence Forces Vision 2047: વિઝન 2047થી વિશ્વસ્તરીય સેના બનશે કે ફક્ત કાગળ પર જ રહેશે યોજના?

CJP Protest FIR: CJP પ્રદર્શન કેસમાં મોટો ખુલાસો, સરકારની જાહેરાતથી આપમેળે FIR બંધ થતી નથી

  • August 3, 2026
  • 6 views
CJP Protest FIR: CJP પ્રદર્શન કેસમાં મોટો ખુલાસો, સરકારની જાહેરાતથી આપમેળે FIR બંધ થતી નથી

CVoter Snap Poll: પેપર લીક મુદ્દે મોદી સરકારથી અડધાથી વધુ લોકો અસંતોષી, યુવાનોમાં વધી રહી છે નારાજગી

  • August 3, 2026
  • 10 views
CVoter Snap Poll: પેપર લીક મુદ્દે મોદી સરકારથી અડધાથી વધુ લોકો અસંતોષી, યુવાનોમાં વધી રહી છે નારાજગી

Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

  • August 2, 2026
  • 11 views
Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

  • August 2, 2026
  • 13 views
Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

  • August 2, 2026
  • 13 views
Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો