બિહારના પરિણામો મામલે પ્રશાંત કિશોર શરત હાર્યા! શુ હવે,વચન મુજબ ‘રાજકારણ’ છોડી દેશે?

  • India
  • November 14, 2025
  • 0 Comments

BIHAR ELECTION | બિહાર વિધાનસભા ચૂંટણીમાં પ્રાથમિક પરિણામોમાં ફરી NDAની સરકાર બહુમત તરફ આગળ વધી રહી છે.

આ પરિણામોએ રાજકીય વ્યૂહનીતિકાર ગણાતા પ્રશાંત કિશોર માટે ઝટકા સમાન માનવામાં આવે છે,કારણકે તેમની પાર્ટીનું પ્રદર્શન નિરાશાજનક જણાયું છે સાથે સાથે તેમણે JDUની બેઠકો વિશે કરેલી ભવિષ્યવાણી પણ ખોટી સાબિત થઈ ગઈ છે અને જો પોતે ખોટા પડશે તો રાજકીય સન્યાસ લેવાની કરેલી જાહેરાત સામે હવે કોમેન્ટ ઉઠી રહી છે શું તેઓ રાજકારણ છોડી પોતાનું વચન પાળશે ખરા?

મહત્ત્વનું છે કે પ્રશાંત કિશોરે ચૂંટણી પ્રચાર દરમિયાન દાવો કર્યો હતો કે આ ચૂંટણીમાં JDU 25થી વધુ બેઠકો નહીં જીતે અને જો જીતશે તો ‘તેઓ રાજકારણ છોડી દેશે!’ હવે વલણો સ્પષ્ટ સંકેત આપે છે કે JDU 25 બેઠકોના આંકડાને વટાવી ચૂક્યું છે અને તે પ્રશાંત કિશોરની આગાહી કરતાં ત્રણ ગણી વધુ બેઠકો જીતવા તરફ આગળ વધી રહ્યું છે ત્યારે હવે

પ્રશાંત કિશોર રાજકારણ છોડી પોતાનું વચન પાળશે ખરા?

તેઓ ઘણા ઇન્ટરવ્યૂમાં પણ આ મુજબ જાહેરાત કરી ચૂક્યા છે કે ‘જો JDU 25થી વધુ બેઠકો જીતશે, તો તેઓ રાજકારણ છોડી દેશે.’ હવે એ જોવાનું એ રહેશે કે પ્રશાંત કિશોર પોતાની શરત હાર્યા પછી રાજકારણમાંથી સન્યાસ  લે છે કે પછી શુ બહાનું કાઢશે.

બિહાર માટે એક રાજકીય વ્યૂહરચનાકાર તરીકે સફળ કારકિર્દી બાદ રાજકારણમાં પ્રવેશનાર પ્રશાંત કિશોર માટે આ ચૂંટણી પરિણામ એક મોટો વ્યક્તિગત પડકાર બની રહેવા પામી છે અને તેમના અંદાજની વિપરીત પરિણામો આવી રહયા છે ત્યારે આ વાત ચર્ચાનો વિષય બની છે.

અત્રે ઉલ્લેખનીય છે કે પ્રશાંત કિશોરને ભારતીય રાજનીતિના ચાણક્ય માનવામાં આવે છે. ચૂંટણી વખતે પાસાં ગોઠવવામાં એ માહેર છે. અત્યારસુધી પ્રશાંત કિશોર કિંગમેકરની ભૂમિકામાં રહ્યા હતા, પણ આ વખતે બિહારની ચૂંટણીની તમામ સીટોમાં પોતાના ઉમેદવારોને લડાવીને કિંગ બનવાના સપના જોયા છે.

અહીં મુખ્ય લડાઈ ભલે NDA અને મહાગઠબંધન વચ્ચે રહી પણ આ વખતે પ્રશાંત કિશોરની ત્રીજી પાર્ટી જનસુરાજ પણ જંગમાં છે એટલે રસાકસી જામી  છે પણ આનાથી કોનો ફાયદો થશે?તેતો સાંજ સુધીમાં સ્પષ્ટ થઈ જશે.

જોકે એક વાત સ્પષ્ટ થઈ રહી છે જેમાં પ્રશાંત કિશોરે પોતાની જ પાર્ટી માટે કરેલી ભવિષ્યવાણી સાચી પડતી દેખાય છે ,તેઓએ પોતાની પાર્ટી માટે પરિણામો અંગે કહ્યું હતું કે જનસુરાજ પાર્ટી કાં તો અર્શ પર હશે અથવા ફર્શ પર હશે, એટલે કાં તો 100 સીટ મળશે ને કાં તો 10 સીટ પણ નહિ મળે. ત્યારે હાલ એવું લાગી રહ્યું છે કે પીકે અર્શ પર નહિ પણ ફર્શ પર જ રહી શકે છે.

આ પણ વાંચો:

Amreli:રાજ્ય સરકારના સહાય પેકેજથી ભાજપમાં ભડકો, વરિષ્ઠ નેતાએ આપી દીધું રાજીનામું

Rajasthan: રાજસ્થાનમાં ભારતીય સેનાની મિસાઈલ લક્ષ ચુકી ગઈ અને ભદરિયા ગામની સીમમાં પડી!મોટી જાનહાની ટળી

chhotaudepur: “મને ડરાવી-ધમકાવીને ભાજપમાં જોડવાની કોશિશ કરી” AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો મોટો ખુલાસો

Kirti Patel: કીર્તિ પટેલ સામે PASA હેઠળ કાર્યવાહી , વડોદરા જેલમાં ધકેલાઈ, ખંડણી અને ધમકીના 9 કેસો

Related Posts

Mumbai: મહારાષ્ટ્રમાં ટેક્સી-રીક્ષા ચાલકોએ મરાઠીમાંજ વાત કરવાનો ‘ફતવો’ જાહેર!
  • April 9, 2026

Mumbai: આપણો દેશ વિવિધ પ્રાદેશિક ભાષાઓ,પહેરવેશ અને ભિન્ન ભિન્ન સંસ્કૃતિથી ભરેલો છે પણ ક્યાંય સાંભળવામાં આવ્યુ નથી કે જે તે પ્રદેશની ભાષા બોલવા ફરજ પાડી શકાય,પણ મહારાષ્ટ્ર માં આ વાત…

Continue reading
Election: આસામ, કેરળ અને પુડુચેરીમાં કુલ 296 બેઠકો પર આજે મતદાન, મતદારોમાં ભારે ઉત્સાહ
  • April 9, 2026

Election: દેશમાં આજે એટલે કે તા. 9 એપ્રિલ, 2026 ના રોજ દેશના બે રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની કુલ 296 બેઠકો પર મતદાન યોજાઈ રહ્યું છે આજે સવારે 7 વાગ્યાથી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Adani: ખેડૂતોએ અદાણીની ચા પીવાનો ઇન્કાર કર્યો! વીજ લાઈનનો કર્યો વિરોધ,જુઓ વિડીયો

  • April 11, 2026
  • 3 views
Adani: ખેડૂતોએ અદાણીની ચા પીવાનો ઇન્કાર કર્યો! વીજ લાઈનનો કર્યો વિરોધ,જુઓ વિડીયો

IRGC: ઈરાનમાં IRGC અને અરાઘચી વચ્ચે વૈચારિક મતભેદ ઉભા થયા, IRGCને કેટલીક શરતો માન્ય નથી! વાટાઘાટો સફળ નહિ રહે!

  • April 11, 2026
  • 3 views
IRGC: ઈરાનમાં IRGC અને અરાઘચી વચ્ચે વૈચારિક મતભેદ ઉભા થયા, IRGCને  કેટલીક શરતો માન્ય નથી! વાટાઘાટો સફળ નહિ રહે!

BJP: ભાજપના 70 % જુના જોગીઓ કપાતા પક્ષમાં અસંતોષનો માહોલ! હવે આગામી જીતનું ચિત્ર કેવું હશે? જુઓ,ખાસ ચર્ચા

  • April 11, 2026
  • 4 views
BJP: ભાજપના 70 % જુના જોગીઓ કપાતા પક્ષમાં અસંતોષનો માહોલ! હવે આગામી જીતનું ચિત્ર કેવું હશે? જુઓ,ખાસ ચર્ચા

Hormuz: “બકરું કાઢતા ઉંટ પેઠું!”હવેથી હોર્મુઝ માર્ગથી પસાર થનારા જહાજો પાસેથી ઈરાન ટ્રાન્ઝિટ ફી વસૂલ કરશે!

  • April 11, 2026
  • 5 views
Hormuz: “બકરું કાઢતા ઉંટ પેઠું!”હવેથી હોર્મુઝ માર્ગથી પસાર થનારા જહાજો પાસેથી ઈરાન ટ્રાન્ઝિટ ફી વસૂલ કરશે!

Pakistan: આખરે ઇરાનનું પ્રતિનિધિ મંડળ પાકિસ્તાન પહોંચ્યું! આજની બેઠક ઉપર સૌની નજર

  • April 11, 2026
  • 5 views
Pakistan: આખરે ઇરાનનું પ્રતિનિધિ મંડળ પાકિસ્તાન પહોંચ્યું! આજની બેઠક ઉપર સૌની નજર

Gujarat Politics: ભાજપે રણનીતિ બદલી! નવા ઉત્સાહી-ફ્રેશ-યંગ ચહેરાઓને ટીકીટ આપી!જુના જોગીઓને પાર્ટીની સેવાનો મોકો અપાયો!

  • April 11, 2026
  • 11 views
Gujarat Politics: ભાજપે રણનીતિ બદલી! નવા ઉત્સાહી-ફ્રેશ-યંગ ચહેરાઓને ટીકીટ આપી!જુના જોગીઓને પાર્ટીની સેવાનો મોકો અપાયો!