
Indore: મધ્યપ્રદેશ સ્થિત ઇન્દોર કે જેને સતત સાત વર્ષથી દેશના સૌથી સ્વચ્છ શહેરનો ખિતાબ મળ્યો છે,હવે ઇન્દોરનું ભગીરથપુરા દેશભરમાં દૂષિત પાણીથી સર્જાયેલા મૃત્યુકાંડથી બદનામ થઈ ગયું છે.નર્મદા નદીની પાઇપલાઇનમાં ડ્રેનેજનું પાણી ભળવાને કારણે પુરવઠાનું પાણી ગંદુ થઈ જતા સર્જાયેલી આ ગંભીર સમસ્યાએ 15 લોકોની જિંદગી છીનવી લીધી અને સરકાર માટે ચાર લોકોના મોત થયાની પીપુડી વગાડી રહ્યું છે.
અહીંના મુખ્યમંત્રી મોહન યાદવથી લઈ કૈલાશ વિજયવર્ગીય જે જેઓ મધ્ય પ્રદેશ સરકારમાં કેબિનેટ મંત્રી છે તેઓ પણ હવે વિવાદમાં આવ્યા છે
ખુદ ભાજપના નેતાઓ પણ આ મામલે સરકારને દોષ દઈ રહયા છે,ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા ઉમા ભારતીએ સરકાર અને વહીવટીતંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા તેમણે લખ્યું, આ ઘટના માટે માત્ર ઇન્દોરના મેયર જ નહીં, પરંતુ મધ્યપ્રદેશની સરકાર અને વહીવટીતંત્ર જવાબદાર છે.
સૌથી ચોંકાવનારી વાતતો એ છે કે સ્થાનિક રહેવાસીઓ ઘણા અઠવાડિયાથી ગંદા પાણી પુરવઠા અંગે ફરિયાદ કરી રહ્યા હતા, પરંતુ વહીવટીતંત્રે તેની ઉપર બિલકુલ ધ્યાન ન આપ્યું અને અવગણના કરી હતી.
ત્યારબાદ 29 ડિસેમ્બર, 2025 ના રોજ પરિસ્થિતિ વધુ વણસી ગઈ અને 100 થી વધુ લોકોને ઝાડા-ઉલટી-ડાયરિયાનો ભોગ બન્યા અને માત્ર છ દિવસમાંજ 15 લોકોના મોત થઈ ગયા જે ભયાનક ચિત્ર બહાર આવ્યું તે ખૂબજ ચોંકાવનારું હતું જો,લોકોની ફરિયાદનો તરતજ અમલ થયો હોતતો કદાચ તે કમનસીબ મૃત્યુ પામેલા લોકો પોતાના પરિવાર વચ્ચે હયાત હોત
નવાઈની વાત તો એ છે કે સરકારે હાઇકોર્ટમાં સ્ટેટસ રિપોર્ટ રજૂ કર્યો તેમાં જણાવાયું હતું કે દૂષિત પાણીને કારણે ઇન્દોરમાં ફક્ત ચાર મૃત્યુ થયા છે,જેની આગામી સુનાવણી 6 જાન્યુઆરીએ થશે.બીજી તરફ મૃતકોના પરિવારો અને હોસ્પિટલો દ્વારા 15 મૃત્યુની પૃષ્ટિ કરવામાં આવી છે.આ કમનસીબ અને ખૂબજ ગંભીર કહી શકાય તેવી ઘટના અંગે The Gujarat Reportના MD મયુર જાનીએ સ્થાનિક અગ્રણી જાણીતા પત્રકાર અરુણ દીક્ષિત સાથે ચર્ચા કરી હતી જે વિસ્તૃત છણાવટ અત્રે પ્રસ્તુત છે વિડીયો જોવાનું ચૂકશો નહિ.
The Gujarat Report | સાંપ્રત લોક હિતના વિષયોના સમાચાર અને સચોટ વિશ્લેષણ જુઓ માત્ર ધ ગુજરાત રિપોર્ટ પર
પ્રસ્તુત છે વિડીયો
આ પણ વાંચો:
Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!









