Indore: ઇન્દોર સરકારના હત્યારા તંત્રએ 15 માનવ જીંદગીઓ છીનવી લીધી! લોકો ફરિયાદ કરતા રહ્યા પણ કોઈએ ન સાંભળ્યું! ચોંકાવનારો ખુલાસો

Indore: મધ્યપ્રદેશ સ્થિત ઇન્દોર કે જેને સતત સાત વર્ષથી દેશના સૌથી સ્વચ્છ શહેરનો ખિતાબ મળ્યો છે,હવે ઇન્દોરનું ભગીરથપુરા દેશભરમાં દૂષિત પાણીથી સર્જાયેલા મૃત્યુકાંડથી બદનામ થઈ ગયું છે.નર્મદા નદીની પાઇપલાઇનમાં ડ્રેનેજનું પાણી ભળવાને કારણે પુરવઠાનું પાણી ગંદુ થઈ જતા સર્જાયેલી આ ગંભીર સમસ્યાએ 15 લોકોની જિંદગી છીનવી લીધી અને સરકાર માટે ચાર લોકોના મોત થયાની પીપુડી વગાડી રહ્યું છે.

અહીંના મુખ્યમંત્રી મોહન યાદવથી લઈ કૈલાશ વિજયવર્ગીય જે જેઓ મધ્ય પ્રદેશ સરકારમાં કેબિનેટ મંત્રી છે તેઓ પણ હવે વિવાદમાં આવ્યા છે

ખુદ ભાજપના નેતાઓ પણ આ મામલે સરકારને દોષ દઈ રહયા છે,ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા ઉમા ભારતીએ સરકાર અને વહીવટીતંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા તેમણે લખ્યું, આ ઘટના માટે માત્ર ઇન્દોરના મેયર જ નહીં, પરંતુ મધ્યપ્રદેશની સરકાર અને વહીવટીતંત્ર જવાબદાર છે.

સૌથી ચોંકાવનારી વાતતો એ છે કે સ્થાનિક રહેવાસીઓ ઘણા અઠવાડિયાથી ગંદા પાણી પુરવઠા અંગે ફરિયાદ કરી રહ્યા હતા, પરંતુ વહીવટીતંત્રે તેની ઉપર બિલકુલ ધ્યાન ન આપ્યું અને અવગણના કરી હતી.

ત્યારબાદ 29 ડિસેમ્બર, 2025 ના રોજ પરિસ્થિતિ વધુ વણસી ગઈ અને 100 થી વધુ લોકોને ઝાડા-ઉલટી-ડાયરિયાનો ભોગ બન્યા અને માત્ર છ દિવસમાંજ 15 લોકોના મોત થઈ ગયા જે ભયાનક ચિત્ર બહાર આવ્યું તે ખૂબજ ચોંકાવનારું હતું જો,લોકોની ફરિયાદનો તરતજ અમલ થયો હોતતો કદાચ તે કમનસીબ મૃત્યુ પામેલા લોકો પોતાના પરિવાર વચ્ચે હયાત હોત

નવાઈની વાત તો એ છે કે સરકારે હાઇકોર્ટમાં સ્ટેટસ રિપોર્ટ રજૂ કર્યો તેમાં જણાવાયું હતું કે દૂષિત પાણીને કારણે ઇન્દોરમાં ફક્ત ચાર મૃત્યુ થયા છે,જેની આગામી સુનાવણી 6 જાન્યુઆરીએ થશે.બીજી તરફ મૃતકોના પરિવારો અને હોસ્પિટલો દ્વારા 15 મૃત્યુની પૃષ્ટિ કરવામાં આવી છે.આ કમનસીબ અને ખૂબજ ગંભીર કહી શકાય તેવી ઘટના અંગે The Gujarat Reportના MD મયુર જાનીએ સ્થાનિક અગ્રણી જાણીતા પત્રકાર અરુણ દીક્ષિત સાથે ચર્ચા કરી હતી જે વિસ્તૃત છણાવટ અત્રે પ્રસ્તુત છે વિડીયો જોવાનું ચૂકશો નહિ.

The Gujarat Report | સાંપ્રત લોક હિતના વિષયોના સમાચાર અને સચોટ વિશ્લેષણ જુઓ માત્ર ધ ગુજરાત રિપોર્ટ પર
પ્રસ્તુત છે વિડીયો

આ પણ વાંચો:

Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!

Narendramodi: પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યામાં પિતા વિઠ્ઠલ પંડ્યાએ નરેન્દ્ર મોદીને કેમ જવાબદાર ગણાવ્યા? 22 વર્ષ બાદ ફરી સળવળાટ!

Haryana: ભારતમાં બાંગ્લાદેશ-નેપાળ જેવા આંદોલનની જરૂર,નેતાઓને જાહેરમાં માર મારવો જોઈએ! ચૌટાલાના નિવેદનથી હંગામો

Social Media: ભાજપના નેતા ડો.ભરત કાનાબારે The Gujarat Report ઉપર કહ્યું:બાળકો માટે સોશ્યલ મીડિયા ઉપર પ્રતિબંધ ક્યારે?

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

PM Modi: ‘સીંદરી બળે પણ વળ ન જાય’ ‘તાનાશાહો’ ઈરાનની ‘રણનીતિ’ સામે ફેઈલ! છતાં તંગડી ઊંચી રાખી રહ્યા છે! જુઓ ખાસ વિશ્લેષણ
  • March 11, 2026

PM Modi: ઈરાન ઉપર હુમલો કરી બહાદુરી બતાવનાર ઈઝરાયેલ અને અમેરિકાના તાનશાહ ઇરાનની રણનીતિ જોઈ હવે બરાબરના ડરી ગયા છે કારણ કે તેલમાંથી આરબો રૂપિયા કમાઈને શસ્ત્રો રાખનાર ઇરાને યુદ્ધમાં…

Continue reading
Modi: વિશ્વની મહાસત્તાઓમાં વર્ચસ્વની હોડ વચ્ચે ભારત ફરી ગુલામીના માર્ગે? યુદ્ધની સ્થિતિમાં મોદી બંગાળ કબ્જે કરવા નીકળ્યા!!
  • March 10, 2026

Modi: ઈરાન-ઇઝરાયેલ યુદ્ધનો માહોલ હવે ધીરે ધીરે ગંભીર બનતો જઈ રહ્યો છે, ખાડી દેશોમાં તણાવ છે, કતારના LNG પ્લાન્ટ પર હુમલા બાદ ભારત માટે ગેસ અને ક્રૂડ ઓઈલની આયાત પર…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Iran War: શુ ઈરાન દુનિયાને વધુ એક મોટો ઝટકો આપશે? જો એવું થયુંતો દુનિયા 20મી સદીમાં ધકેલાઈ જશે!! ટ્રમ્પ ફફડ્યા!

  • March 11, 2026
  • 3 views
Iran War: શુ ઈરાન દુનિયાને વધુ એક મોટો ઝટકો આપશે? જો એવું થયુંતો દુનિયા 20મી સદીમાં ધકેલાઈ જશે!! ટ્રમ્પ ફફડ્યા!

Farmer: ભાવનગરના મહુવામાં નિરમા લિમિટેડ વિરુદ્ધ ખેડૂત આંદોલનમાં ખેડૂતોએ ગજબની એકતા બતાવી હતી! જાણો, આજથી 15 વર્ષ પહેલાં શુ બન્યું હતું?

  • March 11, 2026
  • 6 views
Farmer: ભાવનગરના મહુવામાં નિરમા લિમિટેડ વિરુદ્ધ ખેડૂત આંદોલનમાં ખેડૂતોએ ગજબની એકતા બતાવી હતી! જાણો, આજથી 15 વર્ષ પહેલાં શુ બન્યું હતું?

PM Modi: ‘સીંદરી બળે પણ વળ ન જાય’ ‘તાનાશાહો’ ઈરાનની ‘રણનીતિ’ સામે ફેઈલ! છતાં તંગડી ઊંચી રાખી રહ્યા છે! જુઓ ખાસ વિશ્લેષણ

  • March 11, 2026
  • 7 views
PM Modi: ‘સીંદરી બળે પણ વળ ન જાય’ ‘તાનાશાહો’ ઈરાનની ‘રણનીતિ’ સામે ફેઈલ! છતાં તંગડી ઊંચી રાખી રહ્યા છે! જુઓ ખાસ વિશ્લેષણ

Trump: “સાપે છછૂંદર ગળ્યા જેવો ઘાટ” અમેરિકા બરાબરનું ભેરવાયું! સમગ્ર વિશ્વમાં મંદીનો માહોલ! ઈરાનની રણનીતિની મોટી જીત!

  • March 11, 2026
  • 12 views
Trump: “સાપે છછૂંદર ગળ્યા જેવો ઘાટ” અમેરિકા બરાબરનું ભેરવાયું! સમગ્ર વિશ્વમાં મંદીનો માહોલ! ઈરાનની રણનીતિની મોટી જીત!

Nuclear testing: ઈરાન પરમાણુ બોમ્બ બનાવવા માટે સક્ષમ છે! IAEA ચીફના દાવાથી ખળભળાટ! શુ ઇરાને ભૂગર્ભ પરીક્ષણ કર્યું?

  • March 11, 2026
  • 22 views
Nuclear testing: ઈરાન પરમાણુ બોમ્બ બનાવવા માટે સક્ષમ છે! IAEA ચીફના દાવાથી ખળભળાટ! શુ ઇરાને ભૂગર્ભ પરીક્ષણ કર્યું?

Donald Trump: અમેરિકામાં રિલાયન્સ 300 અબજ ડોલરના રોકાણ સાથે તેલ રિફાઇનરી ખોલશે!ટ્રમ્પની જાહેરાત

  • March 11, 2026
  • 14 views
Donald Trump: અમેરિકામાં રિલાયન્સ 300 અબજ ડોલરના રોકાણ સાથે તેલ રિફાઇનરી ખોલશે!ટ્રમ્પની જાહેરાત