Iran Protest: ઈરાનમાં અશાંતિ ; ઇન્ટરનેટ સેવાઓ બંધ,હજારો લોકો રસ્તાઓ પર ઉતર્યા! ટ્રમ્પે કહ્યું,જનતાનો અવાજ કોઈ દબાવી શકે નહીં!

  • World
  • January 9, 2026
  • 0 Comments

Iran Protest: ઈરાનમાં મોંઘવારી સહિતના મુદ્દે લોકો રસ્તા ઉપર ઉતર્યા છે અને બળવો ફાટી નીકળતા અશાંતિનો માહોલ છે,ઠેરઠેર આગચંપીના બનાવો બની રહયા છે. ઇરાનના 50 શહેરોમાં મોંઘવારી અને દેશની કરન્સીના ઘટી રહેલા ભાવને લઈને મોટા પાયે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે.

પ્રદર્શનો દરમિયાન હિંસામાં અત્યાર સુધીમાં 39 લોકોના મોત થયા છે પરિણામે ટેલિફોન-ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે.
દરમિયાન જગત જમાદાર ટ્રમ્પ ઇરાનની જનતાના સમર્થનમાં આવ્યા છે અને કહ્યું છે કે ‘લોકોને વિરોધ કરવાનો હક્ક છે,જો કોઈ જનતાનો અવાજ દબાવવાનો પ્રયાસ કરશે તો છોડીશું નહિ!’

ઈરાનમાં બે અઠવાડિયાથી મોંઘવારી અને દેશની કરન્સી તળિયે જતા વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા છે.ઈરાનના દેશનિકાલ કરાયેલા ક્રાઉન પ્રિન્સ રેઝા પહલવીએ લોકોને પોતાના ઘરની બહાર આવીને ઇસ્લામિક શાસન વિરુદ્ધ પ્રદર્શન કરવાની અપીલ કરી ત્યારે વિરોધ પ્રદર્શનો વધુ તીવ્ર બન્યા.

રેઝા પહલવીની અપીલ બાદ, મોટી સંખ્યામાં લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા.આ દરમિયાન, ઈરાની સરકારે રસ્તાઓ ઉપર ઉતરેલા લોકોને હઠવવા સુરક્ષા દળો તૈનાત કર્યા છે.અહેવાલ છે કે ઈરાનના ઓછામાં ઓછા 50 શહેરોમાં મોટા પાયે વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. લોકો રસ્તાઓ પર ઉતરી રહ્યા છે અને ઈરાની શાસન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે.

સૌથી નોંધપાત્ર વાત એ છે કે પ્રદર્શનો દરમિયાન રેઝા પહલવીના સમર્થનમાં સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે, જ્યારે અત્યાર સુધી શાહના સમર્થનમાં સૂત્રોચ્ચાર કરવા પર મૃત્યુદંડની સજા હતી. અમેરિકા સ્થિત હ્યુમન રાઇટ્સ એક્ટિવિસ્ટ્સ ન્યૂઝ એજન્સી અનુસાર, પ્રદર્શનો દરમિયાન થયેલી હિંસામાં અત્યાર સુધીમાં 39 લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે 2,260 થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે.બીજી તરફ ટ્રમ્પે ઈરાની લોકોનું ખુલ્લું સમર્થન કર્યું છે અને કહ્યું કે જો તેમનો અવાજ દબાવવાનો કોઈ પ્રયાસ કરવામાં આવશે તો અમે તેમને છોડીશું નહીં.

આ પણ વાંચો:

Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!

Narendramodi: પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યામાં પિતા વિઠ્ઠલ પંડ્યાએ નરેન્દ્ર મોદીને કેમ જવાબદાર ગણાવ્યા? 22 વર્ષ બાદ ફરી સળવળાટ!

Haryana: ભારતમાં બાંગ્લાદેશ-નેપાળ જેવા આંદોલનની જરૂર,નેતાઓને જાહેરમાં માર મારવો જોઈએ! ચૌટાલાના નિવેદનથી હંગામો

Social Media: ભાજપના નેતા ડો.ભરત કાનાબારે The Gujarat Report ઉપર કહ્યું:બાળકો માટે સોશ્યલ મીડિયા ઉપર પ્રતિબંધ ક્યારે?

 

Related Posts

Indian Visa Challenges: ભારતીયો માટે વિદેશી વિઝા મેળવવું કેમ બન્યું છે વધુ મુશ્કેલ? બદલાતી વૈશ્વિક ધારણા અને વધતી શંકા
  • June 27, 2026

Indian Visa Challenges: વિદેશી વિઝા મેળવવા એ હવે ભારતીય પ્રવાસીઓ માટે માત્ર કાગળની પ્રક્રિયા નથી, પરંતુ એક માનસિક આઘાત સમાન બની ગઈ છે. જ્યારે આપણે વિદેશ યાત્રાનું સપનું જોઈએ છીએ,…

Continue reading
Air India Flight 182: 40 વર્ષ બાદ કેનેડાની જાસૂસી સંસ્થાની મોટી કબૂલાત, એર ઈન્ડિયા બોમ્બ વિસ્ફોટ પાછળ ખાલિસ્તાની તત્વોની ભૂમિકા સ્વીકારી
  • June 27, 2026

Air India Flight 182: કેનેડાની ધરતી પરથી ચાલતા આતંકવાદી નેટવર્ક અને ત્યાની સરકારોની વોટબેંકની રાજનીતિ વચ્ચે એક મોટો વળાંક આવ્યો છે. કેનેડાની જાસૂસી સંસ્થા કેનેડિયન સિક્યુરિટી ઈન્ટેલિજન્સ સર્વિસ (CSIS) એ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Madras High Court: ઇસ્લામ ધર્મ અપનાવનારાઓને પછાત વર્ગનો દરજ્જો નહીં મળે – મદ્રાસ હાઈકોર્ટ

  • June 27, 2026
  • 5 views
Madras High Court: ઇસ્લામ ધર્મ અપનાવનારાઓને પછાત વર્ગનો દરજ્જો નહીં મળે – મદ્રાસ હાઈકોર્ટ

Venkat Narayana Appointment Controversy: વિજયની ફિલ્મના નિર્માતા વેંકટ નારાયણને દિલ્હીમાં તમિલનાડુના વિશેષ પ્રતિનિધિ બનાવાતા રાજકીય વિવાદ

  • June 27, 2026
  • 6 views
Venkat Narayana Appointment Controversy: વિજયની ફિલ્મના નિર્માતા વેંકટ નારાયણને દિલ્હીમાં તમિલનાડુના વિશેષ પ્રતિનિધિ બનાવાતા રાજકીય વિવાદ

Indian Visa Challenges: ભારતીયો માટે વિદેશી વિઝા મેળવવું કેમ બન્યું છે વધુ મુશ્કેલ? બદલાતી વૈશ્વિક ધારણા અને વધતી શંકા

  • June 27, 2026
  • 7 views
Indian Visa Challenges: ભારતીયો માટે વિદેશી વિઝા મેળવવું કેમ બન્યું છે વધુ મુશ્કેલ? બદલાતી વૈશ્વિક ધારણા અને વધતી શંકા

Bihar Caste Politics: બિહારની લોકશાહી કે જાતિવાદની પ્રયોગશાળા? દરેક ઘટનાને જાતીય રંગ આપવાની હીન રાજનીતિ

  • June 27, 2026
  • 10 views
Bihar Caste Politics: બિહારની લોકશાહી કે જાતિવાદની પ્રયોગશાળા? દરેક ઘટનાને જાતીય રંગ આપવાની હીન રાજનીતિ

Maharashtra RTI Rules Protest: ભ્રષ્ટાચારીઓને બચાવવા RTI ને નબળું પાડવાનો ખેલ? મહારાષ્ટ્રના નવા નિયમો સામે જનતામાં રોષ

  • June 27, 2026
  • 13 views
Maharashtra RTI Rules Protest: ભ્રષ્ટાચારીઓને બચાવવા RTI ને નબળું પાડવાનો ખેલ? મહારાષ્ટ્રના નવા નિયમો સામે જનતામાં રોષ

Air India Flight 182: 40 વર્ષ બાદ કેનેડાની જાસૂસી સંસ્થાની મોટી કબૂલાત, એર ઈન્ડિયા બોમ્બ વિસ્ફોટ પાછળ ખાલિસ્તાની તત્વોની ભૂમિકા સ્વીકારી

  • June 27, 2026
  • 11 views
Air India Flight 182: 40 વર્ષ બાદ કેનેડાની જાસૂસી સંસ્થાની મોટી કબૂલાત, એર ઈન્ડિયા બોમ્બ વિસ્ફોટ પાછળ ખાલિસ્તાની તત્વોની ભૂમિકા સ્વીકારી