
GOI-IES: દુનિયામાં એક એવો દેશ છે જેણે ભારતીય વિદ્યાર્થીઓ માટે પોતાના દેશમાં મફતમાં અભ્યાસ અને ઉપરથી લાખ્ખોના સ્ટાઈપેન્ડ માટેની ઓફર કરી છે,આ દેશની સરકાર ભારતના વિદ્યાર્થીઓને માત્ર રહેવા અને જમવાની સુવિધાઓ સાથે લાખો રૂપિયાનું સ્ટાઈપેન્ડ જ નથી આપતી, પરંતુ ટ્યુશન-મુક્ત શિક્ષણ પણ આપે છે.
યુરોપ સ્થિત આયર્લેન્ડ સરકારે આંતરરાષ્ટ્રીય શિક્ષણ શિષ્યવૃત્તિ (GOI-IES) કાર્યક્રમ હેઠક આ ઓફર કરી છે, ‘આયર્લેન્ડ સરકાર આંતરરાષ્ટ્રીય શિક્ષણ શિષ્યવૃત્તિ’ (GOI-IES) કાર્યક્રમ હેઠળ આ ઓફર કરી રહી છે,આ માટે તા. 29 જાન્યુઆરીથી અરજી કરવાની પ્રક્રિયા શરૂ થશે. આ શિષ્યવૃત્તિ ભારતીય વિદ્યાર્થીઓને કોઈપણ તણાવ વિના મફતમાં અભ્યાસ કરવાની મંજૂરી આપશે.
મહત્વનું છે કે GOI-IES ને આઇરિશ સરકાર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે જેમાં ઘણી આઇરિશ યુનિવર્સિટીઓ ભાગીદાર છે,સરકારની ઉચ્ચ શિક્ષણ સત્તામંડળ (HEA) આ શિષ્યવૃત્તિ કાર્યક્રમનું સંચાલન કરે છે,આ શિષ્યવૃત્તિ દ્વારા, વિદ્યાર્થીઓ આયર્લેન્ડમાં માસ્ટર, અનુસ્નાતક ડિપ્લોમા અને પીએચડી કાર્યક્રમોને અનુસરી શકશે.
● શિષ્યવૃત્તિ હેઠળ શું આવરી લેવામાં આવશે?
આઇરિશ સરકાર દ્વારા શિષ્યવૃત્તિ દર વર્ષે 60 વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. તે એક વર્ષના અભ્યાસના ખર્ચને આવરી લે છે. શિષ્યવૃત્તિ મેળવનારા વિદ્યાર્થીઓને 10,000 યુરો (આશરે ₹10.50 લાખ) મળે છે. વધુમાં, તેઓ જે યુનિવર્સિટીમાં જાય છે ત્યાંની ટ્યુશન ફી માફ કરવામાં આવે છે. ફી માફી પછી, વિદ્યાર્થીઓ સ્ટાઇપેન્ડ દ્વારા તેમના દૈનિક ખર્ચને આવરી શકે છે.
અરજી કરવાની અંતિમ તારીખ 12 માર્ચ, 2026 છે જેના પરિણામો જૂન 2026 માં જાહેર કરવામાં આવશે.
● શિષ્યવૃત્તિની શરતો શું હોય છે?
શિષ્યવૃત્તિ માટે લાયક બનવા માટે, વિદ્યાર્થીઓએ પહેલા આઇરિશ યુનિવર્સિટીમાં પ્રવેશ માટે અરજી કરવી પડશે. તેમને યુનિવર્સિટી તરફથી પ્રવેશ ઓફર લેટર પ્રાપ્ત કરવો પડશે, વિદ્યાર્થીઓએ ફક્ત તે આઇરિશ યુનિવર્સિટીઓમાં જ અરજી કરવી પડશે જે GOI-IES નો હિસ્સો હોય છે. જેઓએ અગાઉ આ શિષ્યવૃત્તિ મેળવી છે તેઓ ફરીથી અરજી કરી શકશે નહીં,વિદ્યાર્થીઓએ GOI-IES પોર્ટલ દ્વારા શિષ્યવૃત્તિ માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે.
દરેક વિદ્યાર્થીને ફક્ત એક જ વાર અરજી કરવાની છૂટ છે. વિદ્યાર્થીઓએ ઓછામાં ઓછા બે સંદર્ભ પત્રો પણ અપલોડ કરવાના રહેશે, તેમણે તેમનો પ્રવેશ ઓફર લેટર પણ અપલોડ કરવાનો રહેશે,દરેક વિદ્યાર્થીની અરજીનું મૂલ્યાંકન તેમના શૈક્ષણિક પ્રદર્શન, વાતચીત કૌશલ્ય અને અભ્યાસેતર પ્રવૃત્તિઓના આધારે કરવામાં આવશે,આમ ઉપરોકત શરતોને આધારે શિષ્યવૃત્તિ મળતા પ્રવેશ મળી શકશે જેમાં મફતમાં અભ્યાસની તક મળે છે.
આ પણ વાંચો:
Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા









