
Election: ગુજરાતમાં SIRની કામગીરી પહેલેથીજ વિવાદમાં રહી હતી અને ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર થયા બાદ હવે ફાઈનલ મતદાર યાદી માટે તૈયારી વચ્ચે ચોક્કસ મતદારના નામ રદ કરવાના ઇરાદે ગુજરાતમાંથી 14.11 લાખ ફોર્મ-7 ભરાતા તે વાતનો પરપોટો ફૂટી જતા વિપક્ષ દ્વારા પુરાવા સહિત ચૂંટણી પંચને રજુઆત કરી જવાબ માંગતા ચૂંટણી પંચ બરાબરનું ભેરવાયું હતું એટલુંજ નહિ શાસક પક્ષને મતદારનું નામ રદ કરવાના ઈરાદે ફોર્મ-7 ભરનારે પુરાવા રજૂ કરવા અને જો માહિતી ખોટી હશે તો પોલીસ ફરિયાદ કરવાની ચીમકી અપાઈ હતી જેમાં એક વર્ષની જેલ અને એક લાખના દંડ પણની જોગવાઈ હોય ભારે ફફડાટ ફેલાયો હતો સાથેજ આ મામલો સુપ્રીમ કોર્ટમાં લઈ જવાની તૈયારી થતાં ચર્ચા છે કે મુખ્ય ચૂંટણી અધિકારીએ દિલ્હી જઈને આખી વાત જણાવી હોવાનું કહેવાય છે કારણકે
મોટાભાગના ફોર્મ-7 ખોટા નામે ફોર્મ ભરાયાં હતાં જેમાં ખુદ ભાજપના નેતા-કાર્યકરો સામેલ હોવાની વાત હોય આખરે તેઓએ પીછેહઠ કરવામાં શાણપણ દાખવ્યું હતું અને એફિડેવિટ કરીને પીછેહટ કરવી પડી હતી પરિણામે વાંધાઓની સંખ્યામાં રાતોરાત ઘટાડો નોંધાયો હતો.
આમ, આ આખા મામલામાં ચૂંટણી પંચે સલાહ આપીને શાસક પક્ષનો સમજણ પૂર્વક બચાવ કરી લીધો હોવાનું માનવામાં આવી રહ્યું છે,મહત્વનું છે કે રાજ્યમાં એકપણ વિધાનસભા બેઠક એવી નહી હોય જ્યાં ફોર્મ-7 ભરાયાં ન હોય,પરિણામે ભારે હોબાળો થયો હતો અને વિપક્ષ દ્વારા ચૂંટણી પંચને રજુઆત અને બીજા તબક્કામાં લીગલ પ્રોસેસ ચાલુ કરવાની વાત વચ્ચે ખુદ ભાજપના નેતા અને કાર્યકરોએ જ વાંધા પરત લેવા પડ્યા હોવાની વાત ચર્ચાઈ રહી છે.
મતલબ સાફ છે પહેલા રાજ્ય ચૂંટણી પંચને 14.11 લાખ ફોર્મ-7 મળ્યાં હતા જે સામે વિરોધ થતાં હવે,આ સંખ્યા અચાનક ઘટીને 1.83 લાખ થઈ ગઈ છે,આમ,લાખ્ખો ફોર્મ ભરાયા અને પરત પણ ખેંચાઈ ગયા આ વાત ભારે ચર્ચાનો વિષય બની છે.
આ પણ વાંચો:
Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા









