
Narendramodi: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇઝરાયલની મુલાકાતે ગયા ત્યારે ઇઝરાયલી સંસદ, નેસેટને સંબોધિત કર્યું.
જ્યાં મોદીને નેસેટ મેડલથી સન્માનિત કરાયા.
આ પહેલી વાર છે જ્યારે કોઈ ભારતીય પ્રધાનમંત્રીએ નેસેટમાં ભાષણ આપ્યું હોય,તેમના ભાષણ દરમિયાન, પીએમ મોદીએ ભારત અને ઇઝરાયલ વચ્ચેના લાંબા સમયથી ચાલતા સાંસ્કૃતિક અને ઐતિહાસિક સંબંધો પર વાત કરી. તેમણે યુહૂદી સમુદાય માટે ભારત મધર લેન્ડ અને ઇઝરાયેલ ફાધર લેંડની પણ વાત કરી સાથેજ તા.7 ઓક્ટોબરના રોજ ઇઝરાયલ ઉપરના હુમલા અને 26/11 ના મુંબઈ હુમલાનો ઉલ્લેખ કરીને મોદીએ આતંકવાદી હુમલાઓને વખોડી આવા હુમલાઓને “બર્બર” ગણાવતા કહ્યું, “અમે ઇઝરાયલના દુઃખમાં તેમની સાથે છીએ. નિર્દોષ નાગરિકોની હત્યા કોઈપણ સંજોગોમાં અસ્વીકાર્ય છે.” નેતન્યાહૂની હાજરીમાં, મોદીએ ઇબ્રાહિમ કરારની પણ પ્રશંસા કરી.પીએમ મોદીએ ઇઝરાયલી સંસદમાં મોદી કરેલા ભાષણ પર વિશ્લેષકોની પ્રતિક્રિયા શુ છે?વરિષ્ઠ પત્રકારો મયુર જાની તેમજ અરુણ દીક્ષિત તેમજ મેહુલ વ્યાસે શુ કહ્યું જાણો ખાસ ચર્ચા.







