
Iran war: ઈરાન હવે તેની પ્રતિ-હુમલા વ્યૂહરચના બદલી રહ્યું હોય તેવું લાગે છે. જ્યારે તે અગાઉ મોટા, એક સાથે હુમલાઓ દ્વારા તાકાત દર્શાવતું હતું, ત્યારે હવે તે સસ્તા ડ્રોનનો ઉપયોગ કરીને સતત દબાણની વ્યૂહરચનાનો ઉપયોગ કરી રહ્યું છે. ઉદ્દેશ્ય સ્પષ્ટ છે કે દુશ્મનની ખર્ચાળ હવાઈ સંરક્ષણ પ્રણાલીઓને ખતમ કરવી, તેના શસ્ત્રોના ભંડારને ખાલી કરવો અને સમગ્ર પ્રદેશમાં ભયનું વાતાવરણ જાળવી રાખવું.
■25 થી વધુ ચરણોમાં હુમલા
અહેવાલ મુજબ, અમેરિકા અને ઇઝરાયલી કાર્યવાહી બાદ, ઈરાને 25 થી વધુ ચરણમાં બેલિસ્ટિક મિસાઇલો અને ડ્રોનનો ઉપયોગ કરીને બદલો લેવા માટે હુમલાઓ શરૂ કર્યા. આ હુમલાઓમાં ફક્ત ઇઝરાયલ જ નહીં પરંતુ ઘણા ખાડી દેશોને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા.ઈરાનના સર્વોચ્ચ નેતા, આયાતુલ્લાહ અલી ખામેનીની હત્યા પછી સંઘર્ષ વધુ વધ્યો આ સંઘર્ષ હવે મધ્ય પૂર્વના ઘણા દેશોમાં પહોંચી ગયો છે.
■ ઇરાનના હુમલાઓથી પ્રભાવિત દેશો
●ઇઝરાયલ
●યુએઈ
●બહેરીન
●કુવૈત
●કતાર
●સાઉદી અરેબિયા
●ઓમાન
કુલ મળીને, ઓછામાં ઓછા 11 દેશો આ યુદ્ધથી સીધા પ્રભાવિત થયા છે એટલુંજ નહિ પણ તેલ અને ગેસના પુરવઠા પર પણ અસર પડી છે, જેના કારણે વિશ્વભરના બજારો ખોરવાઈ ગયા છે.
■ સસ્તા ડ્રોન મોટી અસર કરી રહ્યા છે?
ઈરાન જે ડ્રોનનો સૌથી વધુ ઉપયોગ કરી રહ્યું છે તે શાહેદ-136 છે, આ ડ્રોન સસ્તું છે, જેની કિંમત લગભગ $20,000 છે, અને તેનું ઉત્પાદન ખૂબ જ સરળ છે,તેને એકસાથે મોટી સંખ્યામાં લોન્ચ કરી શકાય છે.આ હુમલાનો સામનો કરવા માટે ઉપયોગમાં લેવાતી અમેરિકન પેટ્રિઅટ મિસાઇલ સિસ્ટમનો ખર્ચ પ્રતિ ઇન્ટરસેપ્ટર આશરે $4 મિલિયન છે.
■વ્યૂહરચના સ્પષ્ટ છે
●દુશ્મનને દરેક નાના ડ્રોનને તોડી પાડવા માટે મોંઘા શસ્ત્રો તૈનાત કરવા પડશે.
●હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ સતત થાકી જાય ત્યાં સુધી સક્રિય રહેવી જોઈએ.
●લોકોમાં ભય અને અસ્થિરતા પ્રવર્તવી જોઈએ.
ઈરાનને આકાશ પર વિજય મેળવવાની જરૂર નથી, તેને ફક્ત દુશ્મન માટે હવાઈ સંરક્ષણનો ખર્ચ મોંઘો પડે અને થાકી જાય તે દિશામાં વ્યૂહાત્મક કામ કરવાનો છે અને તે રીતે ઇરાને હુમલાઓ કરવા અને ખાળવા ઉપર ધ્યાન આપ્યું છે.
■ હવે ‘એકવારનો હુમલો’ નહીં, પણ ‘લાંબા અને થકવી નાખનારા યુદ્ધ’ની ઇરાનની રણનીતિ
ગયા વર્ષના 12 દિવસના યુદ્ધ દરમિયાન, ઈરાને મોટા અને એક સાથે હુમલાઓ શરૂ કર્યા અને તેમાંથી શીખી આ વખતે ઇરાને વ્યૂહરચના બદલી નાખી છે. તે હવે નાના નાના હુમલાઓની શ્રેણી શરૂ કરી રહ્યું છે, જેને એક ભૂતપૂર્વ ઇઝરાયલી અધિકારીએ “ઝરમર વરસાદ” તરીકે વર્ણવ્યું, જેનો અર્થ હળવો પરંતુ સતત વરસાદ ચાલુજ રહે છે.આનાથી હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ પર દબાણ ચાલુ રહે છે અને લોકોને આશ્રયસ્થાનોની નજીક રહેવાની ફરજ પડે છે, જેનાથી સામાન્ય જીવન ખોરવાઈ જાય છે અને લાંબા ગાળે સિસ્ટમ પર અસર પડે છે.
નાગરિક વિસ્તારોને નિશાન બનાવવુ કે ફક્ત લશ્કરી ઠેકાણા જ નિશાન બનાવવા કરતા હુમલાખોરોની કમ્મર તોડવા
બંદરો,વિમાનમથકો,હોટેલો,તેલ સુવિધાઓમાં અવરોધ અને હુમલા કરવા ઉપર ધ્યાન આપવુંઇરાને નક્કી કર્યું છે.આનાથી ખાડી દેશો ઉપર રાજનીતિક દબાણ આવે અને અમેરિકા-ઈઝરાયેલના હુમલા રોકવા માંગ ઉભી થાય.
■ વિદેશ મંત્રીનું નિવેદન
ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ કહ્યું કે અગાઉ જ નક્કી કરેલી વ્યૂહ રચના મુજબ લશ્કરી એકમોને પહેલેથીજ સૂચનાઓ આપવામાં આવી છે તેઓ સ્વતંત્ર રીતે કાર્ય કરી રહ્યા છે.આ નિવેદન સૂચવે છે કે જો ટોચના નેતૃત્વ પર હુમલો કરવામાં આવે તો પણ જે રીતે અગાઉથી સમજાવવામાં આવ્યું છે તે મુજબ સેનાની ટુકડીઓ પોતાની રીતે કોઈના આદેશ વગર બદલો લેવાનું ચાલુ રાખશે અને યુદ્ધ અટકી જાય તેવી સ્થિતિ ઉભી ન થાય તે માટે ટ્રેનિંગ મુજબ પોતાના સ્વતંત્ર નિર્ણય મુજબ મુકાબલો કરી શકે.
રણનીતિ શું છે?
નિષ્ણાતોના મતે, ઈરાનની રણનીતિ સસ્તા ડ્રોનથી સતત દબાણ જાળવી રાખવું, પાછળથી મોંઘી મિસાઈલો બચાવવી, દુશ્મનની આર્થિક અને રાજકીય શક્તિને નબળી પાડવી અને ખાડી દેશો વચ્ચે ફાચર નાખવો.હવે પછી આ એક “સહન યુદ્ધ” બની રહેવાનું છે, જ્યાં જે સૌથી લાંબો સમય ચાલશે તે જીતશે, માટે જ ઇરાને આ તૈયારીઓ કરી લીધી છે કે યુદ્ધ લંબાયતો પણ કોઈ ફર્ક ન પડે.
■ ઇરાનને જરૂર લાગશે તો જ શક્તિશાળી મિસાઈલનો ઉપયોગ કરશે
હવે અમેરિકા અને ગલ્ફ દેશો પણ ઈરાનના સસ્તા ડ્રોનનો સામનો કરવા માટે સસ્તા વિકલ્પો શોધી શકે છે, જો ઈરાનને લાગે છે કે તેની લોન્ચ સિસ્ટમ જોખમમાં છે, તો તે વધુ શક્તિશાળી મિસાઈલોનો ઉપયોગ કરી શકે છે.રિયાધમાં યુએસ દૂતાવાસ પર તાજેતરમાં થયેલા ડ્રોન હુમલાથી તણાવ વધુ વધ્યો છે.ઈરાન હવે મોટા વિસ્ફોટોને બદલે લાંબી, કઠોર વ્યૂહરચના અપનાવી રહ્યું છે. સસ્તા ડ્રોન આ નવી વ્યૂહરચનાનો આધાર બની ગયા છે. આ યુદ્ધ હવે ફક્ત મિસાઈલોની જ નહીં, પણ ધીરજ, પૈસા અને રાજકીય ઇચ્છાશક્તિની પણ કસોટી બની રહ્યું છે.
■ઇરાને આર્થિક ફટકો મારવા’હોર્મુઝ સ્ટ્રેટ’ બંધ કર્યો જે પણ યુદ્ધની રણનીતિનો ભાગ છે.
ઈરાને હોર્મુઝની ખાડીનો તેલ પુરવઠો બંધ કરતાં દુનિયાની આર્થિક કટોકટી ઉભી થઇ છે અને 1 બેરલ કાચા તેલનો ભાવ 60 ડોલરથી આગળ વધીને 100 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચવા આવ્યો છે.
■ ટ્રમ્પનો દાવો ખોટો પડ્યો કે હોર્મુઝ રૂટ ખૂલ્લો છે,હાલ આ માર્ગ ઇરાનના કબ્જા હેઠળ સંપૂર્ણ બંધ છે.
ઇરાને દુનિયાનો સૌથી મહત્વનો હોર્મુઝ રૂટ બંધ કરી દીધો છે. જેના કારણે ભારતીય ધ્વજવાળા 37 જહાજો અને તેમાં સવાર 1,109 ભારતીય નાવિકો હાલમાં ફારસની ખાડી અને ઓમાનની ખાડીમાં ફસાયેલા છે.આ પહેલા ટ્રમ્પે એવો દાવો કર્યો હતો કે હોર્મુઝ રૂટ ખુલ્લો જ છે અને જહાજ ત્યાંથી પસાર થઈ રહયા છે પણ ભારત સહિતના દેશોના જહાજ ત્યાં ફસાયેલા છે કારણકે ઇરાને અહીંથી પસાર થનાર જહાજને ચેતવણી આપી છે કે જો કોઈ જહાજ અહીંથી પસાર થવાની કોશિશ કરશે તો ફૂંકી મારવામાં આવશે.આમ આ માર્ગ હાલ ઇરાનના કબ્જા હેઠળ બંધ છે.આમ,ઇરાને રણનીતિ બદલતા મહાસત્તાઓ ની મુંઝવણ વધી છે.






