
Modi: ઈરાનના સુપ્રિમ લીડર આયતોલ્લા ખામેનેઈના મોત અંગે મોદી સરકારના મૌન પર હવે વિપક્ષ દ્વારા સવાલો ઉઠાવવામાં આવી રહયા છે,ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લા અલી ખામેનેઈની ટાર્ગેટેડ હત્યાના મામલે મોદી સરકારની ચુપકીદી સામે સવાલો થઈ રહયા છે.
વિશ્લેષકોના મતે સરકારનું આ મૌન કોઈ તટસ્થતા નથી, પરંતુ જવાબદારીમાંથી પીછેહઠ છે,ભારતની વિદેશ નીતિની દિશા અને વિશ્વસનીયતા પર ગંભીર પ્રશ્નો ઊભા કરે છે,ભારત સરકારે ન તો આ હત્યાની નિંદા કરી છે અને ન તો ઈરાનની સંપ્રભુતાના ઉલ્લંઘન પર કોઈ સ્પષ્ટ પ્રતિક્રિયા આપી છે.
તેમણે નોંધ્યું કે અમેરિકન પ્રમુખ અને ઈઝરાયલ દ્વારા કરાયેલા આ હુમલાઓ બાદ પીએમ મોદીએ ઉલટાનું ઈરાન દ્વારા યુએઈ પર કરવામાં આવેલી જવાબી કાર્યવાહીની ટીકા કરી તેઓ જોર્ડનના રાજા સાથે વાત કરે છે પણ પોતાના મિત્ર રહેલા ઈરાન માટે એક શબ્દ બોલી શકતા નથી,કોઈ પણ ઔપચારિક યુદ્ધની જાહેરાત વિના કોઈ રાષ્ટ્રીય અધ્યક્ષની હત્યા કરવી એ સંયુક્ત રાષ્ટ્રના ચાર્ટરનું ઉલ્લંઘન છે અને જો ભારત જેવો લોકશાહી દેશ આના પર વાંધો ન ઉઠાવે તો આંતરરાષ્ટ્રીય ધોરણો જોખમાશે તેમ મોટાભાગના વિશ્લેષકો માની રહયા છે.
આ મામલે જ્યારે વરિષ્ઠ પત્રકાર મયુર જાનીએ પૂર્વ મંત્રી યશવંત સિન્હા સાથે વાત કરી તેઓનો મત જાણવાનો પ્રયાસ કર્યો ત્યારે તેઓએ પણ આજ વાતનું સમર્થન કરી વિસ્તુત છણાવટ કરી હતી જે જોવાનું ચૂકશો નહિ,પ્રસ્તુત છે વિડીયો.









