Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

■ ઈરાનના વિદેશ મંત્રીએ કહ્યું આ ભારતીય નેવીના ગેસ્ટ શિપ ઉપર કાયરતાપૂર્ણ હુમલો

■ અમેરિકન સબમરીન શુ પહેલેથીજ ભારતીય સમુદ્રમાં હતી? ઇરાનના આ યુદ્ધ જહાજનો વિશાખા પટ્ટનમથી પીછો થયો હતો ? જાણો મામલો શુ હતો? વિશ્લેષકો શુ કહે છે?

Narendramodi: ભારતમાં વિશાખાપટ્ટનમમાં આયોજિત આંતરરાષ્ટ્રીય ફ્લીટ રિવ્યૂ 2026માં આ ઈરાની જહાજે ભાગ લીધો હતો.
આ નૌકાદળ કવાયત “MILAN 2026” માં ભાગ લેવા ભારતે આમંત્રિત કરેલું ઈરાની નૌકાદળના યુદ્ધ જહાજ “IRIS Dena” ને અમેરિકાએ તોડી પાડ્યું જેનાથી વિશ્વમાં આડકતરી રીતે ભારતની છબી ખરડાઈ છે અને ઈરાન પણ ભારતની અમેરિકા તરફી નીતિને કારણે ચોંકી ગયું છે.

આ ઘટના બાદ ઇરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ ટ્વિટર પર લખ્યું, “ભારતીય નેવીના ગેસ્ટ શિપ તરીકે આશરે 130 ખલાસીઓને લઈ જતી ફ્રિગેટ દેના શિપને આંતરરાષ્ટ્રીય જળક્ષેત્રમાં ચેતવણી આપ્યા વિના નિશાન બનાવવામાં આવી હતી. અમેરિકાને ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે.”

શ્રીલંકાના દરિયાકાંઠે હિંદ મહાસાગરમાં ઈરાની નૌકાદળના યુદ્ધ જહાજ “IRIS Dena” ને અમેરિકાની સબમરીને ટોર્પિડો કરીને ઊંડા સમુદ્રમાં ડૂબાડી દીધું જેમાં 80ના મોત થઈ ગયા અહેવાલ છે,અમેરિકાએ હુમલાનો વીડિયો પણ જાહેર કર્યો છે,જોકે, શ્રીલંકાના અધિકારીઓએ માનવતાના ધોરણે “IRIS Dena” ના 32 ક્રૂ સભ્યોને બચાવ્યા હતા પરંતુ 148 અન્ય ખલાસીઓ ગુમ થઈ ગયા છે જેઓની બચવાની આશા નહિવત છે.

યુએસ સંરક્ષણ સચિવ પીટ હેગસેથે સબમરીન હુમલાની પુષ્ટિ કરતા કહ્યું છે કે અમેરિકા વિશ્વમાં ગમે ત્યાં હુમલો કરી શકે છે. હેગસેથે કહ્યું કે ઈરાની જહાજ આંતરરાષ્ટ્રીય પાણીમાં પોતાને સુરક્ષિત માનતું હતું, પરંતુ યુએસ ટોર્પિડોએ તેનો ત્યાંજ નાશ કરી દીધો છે.
હવે આ ઘટના બાદ ભારતની અમેરિકા તરફી નીતિ અંગેના સવાલો ઉભા થયા એક એવી વાત પણ ચર્ચામાં આવી છે કે અમેરિકન સબમરીને ભારતની જળસીમાનો ઉપયોગ કર્યો તો તેને પરમિશન કોણે આપી? વિશાખા પટ્ટનમ ખાતે પણ આ સબમરીનની હાજરી હોવાની ચર્ચા અને ઈરાની જહાજનો પીછો કરવો વગરે ત્યારબાદ જેવું આ ઈરાની યુદ્ધ જહાજ આંતરરાષ્ટ્રીય જળસીમામાં પ્રવેશ્યું કે તરત તેનો નાશ કરવામાં આવ્યો.

હવે જે જહાજ મિત્ર ભારતની મહેમાન ગતિએ આવ્યું હોય અને પરત ફરતી વેળાએ તેની ઉપર હુમલો થાય અને તેમાંય અમેરિકા હોય ત્યારે ભારતની નીતિ ઉપર અનેક સવાલો ઉઠવા પામ્યા છે અને મોદી શા માટે આટલી હદ સુધી અમેરિકાના પ્રભાવમાં છે અને તેની પાછળનું શુ કારણ હોય શકે તેવા સવાલોના ઘેરામાં આ મામલે સિનિયર પત્રકારો મયુર જાની તેમજ અરુણ દીક્ષિત અને મેહુલ વ્યાસે વિસ્તુત છણાવટ કરી છે જે અત્રે પ્રસ્તુત છે જુઓ વિડીયો.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

 

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

Modi: દોસ્ત ઈરાનના સુપ્રીમો ખામેનેઈના મોત અંગે મોદીના ભેદી મૌન સામે ઉઠ્યા સવાલ,જાણો પૂર્વ મંત્રી યશવંત સિન્હાએ શુ કહ્યુ!
  • March 4, 2026

Modi: ઈરાનના સુપ્રિમ લીડર આયતોલ્લા ખામેનેઈના મોત અંગે મોદી સરકારના મૌન પર હવે વિપક્ષ દ્વારા સવાલો ઉઠાવવામાં આવી રહયા છે,ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લા અલી ખામેનેઈની ટાર્ગેટેડ હત્યાના મામલે મોદી સરકારની…

Continue reading
Iran War: ઈરાન ઉપર હુમલો કેટલો વ્યાજબી? નિર્દોષ ભૂલકાં સ્કૂલે ગયા પછી પાછાજ ન આવ્યા! ઈરાનથી આટલી ઈર્ષા કેમ?જાણો વિશ્લેષકો શુ કહે છે?
  • March 3, 2026

Iran War: ઈરાન ઉપર એક તરફી હુમલો થયાનું વિશ્વભરના લોકો કહી રહયા છે કારણકે જે પરમાણુ મામલે વાટાઘાટો કરવા તૈયાર હતા છતાં હુમલો થયો તે વાત સૌને વધારે પડતી લાગી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

  • March 5, 2026
  • 6 views
Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

  • March 5, 2026
  • 4 views
Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

Iran: ઈરાનની ઈઝરાયેલને ધમકી,”હવે ન્યુક્લિયર પ્લાન્ટ ઉડાવશું!

  • March 5, 2026
  • 4 views
Iran: ઈરાનની ઈઝરાયેલને ધમકી,”હવે ન્યુક્લિયર પ્લાન્ટ ઉડાવશું!

China: ઈરાન એક પણ ગોળી ચલાવ્યા વિના અમેરિકાને પરાસ્ત કરી શકે છે! ચીની પ્રોફેસરે બતાવી ગજબની યુક્તિ! જાણીને હેરાન થઈ જશો!

  • March 5, 2026
  • 6 views
China: ઈરાન એક પણ ગોળી ચલાવ્યા વિના અમેરિકાને પરાસ્ત કરી શકે છે! ચીની પ્રોફેસરે બતાવી ગજબની યુક્તિ! જાણીને હેરાન થઈ જશો!

Trump: ઈરાને ચીન-રશિયાને દોસ્ત માન્યા!ભારત માટે નારાજ! કુલ 1145ના મોત

  • March 5, 2026
  • 10 views
Trump: ઈરાને ચીન-રશિયાને દોસ્ત માન્યા!ભારત માટે નારાજ! કુલ 1145ના મોત

Adani: કચ્છમાં અદાણીને જંગલો આપતા CM ભૂપેન્દ્ર પટેલ, જુઓ ખાસ વિશ્લેષણ

  • March 4, 2026
  • 4 views
Adani: કચ્છમાં અદાણીને જંગલો આપતા CM ભૂપેન્દ્ર પટેલ, જુઓ ખાસ વિશ્લેષણ