Iran War: આખરે ભારતે ખામેનીના નિધન પર શોક વ્યક્ત કર્યો! PM મોદીએ નહિ પણ વિદેશ સચિવે શોક વ્યક્ત કર્યો!

  • World
  • March 5, 2026
  • 0 Comments

Iran War: ખામેનીના નિધન પર ભારતે પહેલીવાર શોક વ્યક્ત કર્યો છે. વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ ઈરાની દૂતાવાસની મુલાકાત લીધી અને શોક પુસ્તિકા પર હસ્તાક્ષર કર્યા.ભારત સરકાર વતી, વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ આજે, 5 માર્ચે નવી દિલ્હી સ્થિત ઈરાની દૂતાવાસમાં એક શોક પુસ્તક પર હસ્તાક્ષર કર્યા અને ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીના નિધન પર શોક વ્યક્ત કર્યો. આજે યુએસ-ઇઝરાયલ-ઈરાન સંઘર્ષનો છઠ્ઠો દિવસ છે, અને ભારતે પહેલીવાર ખામેનીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

28 ફેબ્રુઆરીના રોજ અમેરિકા-ઇઝરાયલના મિસાઇલ હુમલામાં ખામેની સહિત તેમના પત્ની, પુત્રવધૂ અને પૌત્રી સહિત 40 કમાન્ડર માર્યા ગયા હતા,ઈરાને એક દિવસ પછી ખમેનીની સત્તાવાર રીતે મૃત્યુની જાહેરાત કરી હતી.ઈરાનના સર્વોચ્ચ નેતા ખામેનીના મૃત્યુ બાદ વિશ્વભરના દેશોએ શોક સંદેશાઓ મોકલી દુઃખ વ્યક્ત કર્યું હતું પણ ભારત ચૂપ રહ્યું હતું ત્યારબાદ વિપક્ષ તરફથી ભારે સવાલો ઉઠતા આખરે છ દિવસ બાદ ભારત તરફથી વિદેશ સચિવે શોક વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

ભારત સરકારનું આ પગલું અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે સરકારે છ દિવસ સુધી આ મુદ્દા પર કોઈ ટિપ્પણી કરી ન હતી પણ મિત્ર દેશ રહેલા ઈરાન માટે વિપક્ષ દ્વારા ખમેનીના નિધન ઉપર નરેન્દ્ર મોદીની ચૂપકીદી અંગે હંગામો કરી સવાલ પૂછતાં આખરે ભારતીય વિદેશ સચિવ વિક્રમ મિશ્રી હવે દિલ્હી સ્થિત ઈરાની દૂતાવાસ પહોંચ્યા હતા જ્યાં તેઓએ ખામેનીના નિધન ઉપર શોક વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

 

Related Posts

Masoud Pezeshkian Resignation: જ્યારે નિર્ણયો સેના જ લે છે તો અમારું શું કામ? ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાનનું રાજીનામું
  • June 1, 2026

Masoud Pezeshkian Resignation: ઈરાન અત્યારે બહારથી ભલે અમેરિકા જેવા શક્તિશાળી દેશ સામે મજબૂતીથી લડતું દેખાતું હોય, પરંતુ દેશની અંદર સત્તાના સર્વોચ્ચ સ્તરે ભયાનક બગાવત અને નારાજગી ફાટી નીકળી છે. ઈરાનની…

Continue reading
Bangladesh US Trade Deal Controversy: શાંતિના નોબેલ વિજેતાનો અસલી ચહેરો, ૧૮ મહિનામાં બાંગ્લાદેશને અમેરિકાના હાથે વેચીને યુનુસે પોતાના તમામ ભ્રષ્ટાચારના કેસો કરાવ્યા માફ
  • May 27, 2026

Bangladesh US Trade Deal Controversy: બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારના પતન બાદ વચગાળાની સરકારના વડા બનેલા નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા પ્રોફેસર મોહમ્મદ યુનુસનો અસલી ચહેરો હવે દુનિયા સામે ખુલ્લો પડી ગયો…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

CBSE OSM Controversy: પોર્ટલ ઠપ્પ, પેમેન્ટ ફેલ અને પરિણામોમાં લોચા! NDA ના પોતાના જ મતદારો હવે માંગી રહ્યા છે ભ્રષ્ટ શિક્ષણ મંત્રીનું રાજીનામું

  • June 4, 2026
  • 5 views
CBSE OSM Controversy: પોર્ટલ ઠપ્પ, પેમેન્ટ ફેલ અને પરિણામોમાં લોચા! NDA ના પોતાના જ મતદારો હવે માંગી રહ્યા છે ભ્રષ્ટ શિક્ષણ મંત્રીનું રાજીનામું

Dudhsagar Dairy SNF Price Scam: દૂધનાં ભાવ તો વધ્યા પણ ડેરીમાં પશુપાલકોનું શોષણ કેવું છે?

  • June 4, 2026
  • 7 views
Dudhsagar Dairy SNF Price Scam: દૂધનાં ભાવ તો વધ્યા પણ ડેરીમાં પશુપાલકોનું શોષણ કેવું છે?

Yogi Adityanath Cow Politics: ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાની માંગ પર યોગી આદિત્યનાથની ટિપ્પણી ‘પાખંડપૂર્ણ’

  • June 4, 2026
  • 10 views
Yogi Adityanath Cow Politics: ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાની માંગ પર યોગી આદિત્યનાથની ટિપ્પણી ‘પાખંડપૂર્ણ’

Malviya Nagar Fire Tragedy Delhi: દિલ્હીના માલવીય નગરમાં ભીષણ આગનો તાંડવ, ૬ રૂમની પરવાનગી વાળા બિલ્ડિંગમાં ૨૦ ઓરડા કોના આશીર્વાદથી ખડકાયા?

  • June 4, 2026
  • 6 views
Malviya Nagar Fire Tragedy Delhi: દિલ્હીના માલવીય નગરમાં ભીષણ આગનો તાંડવ, ૬ રૂમની પરવાનગી વાળા બિલ્ડિંગમાં ૨૦ ઓરડા કોના આશીર્વાદથી ખડકાયા?

Ghatlodia Contaminated Water: સ્માર્ટ સિટીના નામે ઘાટલોડિયાની જનતાને પિવડાવ્યું ગટરનું પાણી, ૧૦૦૦ થી વધુ લોકો બીમાર

  • June 4, 2026
  • 10 views
Ghatlodia Contaminated Water: સ્માર્ટ સિટીના નામે ઘાટલોડિયાની જનતાને પિવડાવ્યું ગટરનું પાણી, ૧૦૦૦ થી વધુ લોકો બીમાર

Abhishek Mishra Mathura Arrest: શિક્ષિતોને શિકાર બનાવતો આઈઆઈટી પાસઆઉટ ‘બાબા’ ગિરફ્તાર! પ્રસાદના નામે નશો કરાવી આશ્રમમાં ખેલાતો બળાત્કારનો ખેલ

  • June 4, 2026
  • 10 views
Abhishek Mishra Mathura Arrest: શિક્ષિતોને શિકાર બનાવતો આઈઆઈટી પાસઆઉટ ‘બાબા’ ગિરફ્તાર! પ્રસાદના નામે નશો કરાવી આશ્રમમાં ખેલાતો બળાત્કારનો ખેલ