
OIC: દુનિયામાં મુસલમાન દેશોએ નક્કી કર્યું કે આપણે બધા શિયા-સુન્નીના મતભેદ ભૂલી એક થઈ જઈએ તો દુનિયાભરમાં આપણું રાજ ચાલશે અને કોઈ આપણી સામે માથું ઊંચું કરવાની હિંમત નહિ કરે અને તેનો લીડર ઈરાન હતું જોકે,ઈસ્લામિક દેશો એકમંચ ઉપર આવે તો તાકાત વધી જાય તે હેતુસર “ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કો-ઓર્પોરેશન” નામનું 57 દેશોનું સંગઠન બન્યું જે નાટો ની જેમ કામ કરવા માંગતું હતુ.
જોકે,આ ઓર્ગેનાઈઝેશન ખરા સમયે જ હવે કાગળનો વાઘ સાબિત થતું દુનિયા જોઈ રહી છે. કારણ કે જ્યારે ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામૈની પર અમેરિકા અને ઈઝરાયેલે હુમલો કર્યો ત્યારે 57 દેશોએ ચુપચાપ તમાશો જોયો અને ઈસ્લામિક સંગઠન OIC ફક્ત આદર્શવાદી વાતો કરતું રહ્યું એટલુંજ નહિ ઈસ્લામિક દેશોના એરબેઝથી ઈરાન ઉપર હુમલા થયા આનાથી સાબિત થયું કે OICમાં વિદેશનીતિ કે ડિફેન્સ સ્ટ્રેટેજીની વાતો અને ટાઈમપાસ હતો.
ઈરાને 1979માં ઈસ્લામિક એકતાનો વિચાર આવ્યો અને તેને અમલમાં મુક્યો ઈરાનને ઈસ્લામિક વર્લ્ડનું લીડર બનવું હતું ઈસ્લામિક વર્લ્ડ એક એવી તાકાત બનાવવી હતી જે તાકાત સામે બિન ઈસ્લામિક રાષ્ટ્ર ટકી ન શકે, કોમ્યુનિઝમની જેમ ઈસ્લામિક યુનિટી માટે ઇરાને ઘણા પ્રયત્નો કર્યા.
આ જ ઈસ્લામિક કાર્ડથી ઈરાને પેલેસ્ટાઈન મુદ્દાને એક હથિયાર બનાવીને શિયા-સુન્ની મુસલમાન ભાઈઓને અલગ થતા બચાવવાનો પ્રયાસ કર્યો.ત્યારે દુનિયાને લાગતું હતું કે હવે ઈસ્લામિક સંગઠન મજબૂત બનશે પણ જ્યારે એ જ ઈરાન ઉપર ઈઝરાયેલ અને અમેરિકાએ હુમલા કરી ખામેની અને તેમના પરિવારની હત્યા કરી ત્યારે ઇરાનને બચાવવા કે સમર્થનમાં ન તો આરબ રાષ્ટ્ર ન તો શિયા સમુદાય આવ્યો ન તો સુન્ની સમુદાય. બધા જ ઈરાનનું પતન અત્યારે મૂંગા મોઢે જોઈ રહયા છે ઉલ્ટાના ઈસ્લામિક દેશોમાં સ્થિત અમેરિકન બેઝ ઉપરથી ઈરાન ઉપર હુમલા થતા રહયા અને ઇરાને પણ ઈસ્લામિક દેશો ઉપર હુમલા કરવા પડ્યા.
■ ઈસ્લામિક સંગઠનના રક્ષણ માટે “અણુબૉમ્બ” તૈયાર હોવાનો દાવો કરનાર પાકિસ્તાન ફરી જતા “એકતા”ની વાતો “ફાંકા” સાબિત થયા!
ઈરાને જ્યારે વૈશ્વિક સ્તરે ઈસ્લામિક સંગઠનને મજબૂત બનાવી ‘નાટો’ની જેમ દુનિયામાં શક્તિશાળી બનાવવાની તૈયારી કરી ત્યારે પાકિસ્તાને પોતાની ન્યુક્લિયર શક્તિને ઈસ્લામિક કન્ટ્રીના રક્ષક તરીકે ગણાવ્યું હતું. ઈરાની નેતા મોહસેન રઝાઈએ તો એટલે સુધી દાવો ઝીંકી દીધો હતો કે પાકિસ્તાનની ન્યુક્લિયર શક્તિ ઈરાન માટે ઢાલ બનશે પણ હાલ ઇરાનને ઢાલની જરૂર છે છતાં પાકિસ્તાન મદદ કરી રહ્યું નથી.ઉલ્ટાના પાકિસ્તાને તો પોતાના ઈસ્લામિક ભાઈ ઈરાનની મદદ કરવાને બદલે પોતાના નેશનલ ઈન્ટરેસ્ટને આગળ ધરીને હાથ ખંખેરી લીધા છે.
પાકિસ્તાન સેના અને સરકારની આ નીતિ સાબિત કરે છે તેના ન્યુક્લિયર હથિયાર ઈસ્લામિક જગતની રક્ષા માટે નહીં પણ ભારત વિરોધ ઉપયોગ માટે રાખ્યા છે.પાકિસ્તાન બે મોરચે ભેખડે ભરાયું છે એક તરફ ઈરાનને પણન્યુક્લિયર હથિયાર તેના રક્ષણ માટે છે તેમ કહેતું હતુ અને બીજી તરફ સાઉદી સાથે પણ કરાર કર્યો હતો કે સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન પર હુમલો ગણવો.જોકે, હવે ઇરાને જ સાઉદી ઉપર હુમલો કર્યો ત્યારે બે માંથી કોને મદદ કરવી? તે મુદ્દે ભેરવાયું છે અને હાથ ખંખેરી બે માંથી કોઈને મદદ નહિ કરી વચનમાંથી ફરી જતા ત્યાં પણ ઈજ્જત ગુમાવી છે અને વિશ્લેષકોના મતે અમેરિકા-ઈઝરાયેલે આ રીતે ઈસ્લામિક એકતાને તોડી નાખી છે જે ભવિષ્યમાં નડતરરૂપ બને.
આ પણ વાંચો:







