
PM Modi: રાજકારણમાં નેતાઓ જેનો વિરોધ કરતા હોય તેની પાર્ટીમાં ક્યારે ભળી જાય તે કહેવાય નહિ અગાઉ આવાજ એક નેતા કે જેઓનું નામ ગોરધન ઝડફિયા છે તેઓએ એક સમયે નરેન્દ્ર મોદી પર 1 લાખ કરોડ રૂપિયાના ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો અને આજ ગોરધન ઝડફિયા બાદમાં ભાજપમાં જોડાઈ ગયા હતા. આજે તેઓ ભાજપના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે કાર્યરત છે.
2011માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સામે ગોરધન ઝડફિયાએ 17 જેટલા કૌભાંડોમાં કુલ 1 લાખ કરોડ રૂપિયાના ભ્રષ્ટાચારનો ગંભીર આરોપ લગાવ્યો હતો. આ વિરોધ પ્રદર્શન માટે તેમણે ગાંધીનગરમાં 51 કલાકના ઉપવાસ પણ કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે ઝડફીયાને વર્ષ 2002ના રમખાણો બાદ મોદી મંત્રીમંડળમાંથી પડતા મૂકાયા પછી તેઓ ભાજપથી દૂર થઈ ગયા હતા ત્યારબાદ તેમણે ‘મહાગુજરાત જનતા પાર્ટી’ (MJP) બનાવી હતી, જે બાદમાં કેશુભાઈ પટેલની ‘ગુજરાત પરિવર્તન પાર્ટી’ (GPP) માં ભળી ગઈ હતી, લોકસભા ચૂંટણી 2014 પહેલા, તેમણે પોતાની પાર્ટી GPP નું ભાજપમાં વિલીનીકરણ કર્યું અને નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવા માટે સમર્થન જાહેર કર્યું હતું.
હાલમાં તેઓ ભાજપમાં મહત્વનું સ્થાન ધરાવે છે. માર્ચ 2026 માં તેઓ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તૈયારીઓ માટેની બેઠકોમાં ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે, આમ ગોરધન ઝડફિયા એક સમયે જેની ઉપર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા હતા તે જ પાર્ટીમાં હાલ ઈમાનદારી પૂર્વક ફરજ બજાવી રહયા છે.
આ મુદ્દા ઉપર વરીષ્ઠ પત્રકાર દિલીપ પટેલે વિસ્તુત છણાવટ કરી છે જે અત્રે પ્રસ્તુત છે,જુઓ વિડીયો.
આ પણ વાંચો:
OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!








