
Thunderstorm: The Gujarat Report ઉપર આ એપિસોડમાં વરીષ્ઠ પત્રકાર મયુર જાનીએ ગુજરાતમાં થયેલા કમોસમી વરસાદ અને નકલી ચલણી નોટોના કારોબાર પ્રકરણમાં ઝડપાયેલા પ્રદીપ ગુરુજી ઉપર વિસ્તુત છણાવટ કરી છે જે વિડીયો જોવાનું ચૂકશો નહિ, ગુજરાતના અનેક વિસ્તારોમાં થયેલા અચાનક કમોસમી વરસાદ (માવઠા) અને તેજ પવનને કારણે ખેડૂતોને ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. રાજ્યના અંદાજે ૧૨૧ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેનાથી રવિ પાક અને બાગાયતી પાકોને વ્યાપક અસર થઈ છે.
જ્યારે બીજા ખાસ બનાવમાં સુરતમાં સત્યમ યોગ ફાઉન્ડેશન (Satyam Yog Foundation) ના સંચાલક પ્રદીપ ગુરુજી (ઉર્ફે પ્રદીપ જોટાંગીયા) ની કરોડોની નકલી નોટોના રેકેટમાં ધરપકડ કરવામાં આવી છે, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે અમરાઈવાડી વિસ્તારમાંથી એક ફોર્ચ્યુનર કાર રોકી હતી, જેમાં ₹500 ના દરની ₹2 કરોડની નકલી નોટો મળી આવી હતી.
આ નકલી નોટો સુરત ખાતે આવેલા પ્રદીપ ગુરુજીના આશ્રમમાં છાપવામાં આવતી હતી. પોલીસ તપાસમાં સુરતના આશ્રમમાંથી પણ અંદાજે ₹80 લાખની નકલી નોટો અને છાપવા માટેનું મશીન મળી આવ્યું છે, પોલીસ કાર રોકે નહિ તે માટે ગાડી પર ‘ભારત સરકાર’ અને ‘આયુષ મંત્રાલય’ ના લખાણવાળી પ્લેટોનો ઉપયોગ કરતા હતા, ઉપરોકત બન્ને ઘટનાઓ મામલે સિનિયર પત્રકાર અને The Gujarat Reportના MD મયુર જાનીએ કરેલી વિસ્તુત છણાવટ અત્રે પ્રસ્તુત છે,જુઓ વિડીયો.
આ પણ વાંચો:
OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!







