
PM Modi: દેશમાં આજકાલ વડાપ્રધાન મોદી સામે ચરિત્ર સંબંધી ગંભીર આરોપ લાગી રહયા છે જેમાં તાજેતરમાં મધુ કિશ્વરે પીએમ મોદીના અંગત ચરિત્ર અને મહિલાઓ સાથેના તેમના સંબંધો વિશે ગંભીર આરોપો લગાવ્યા છે જેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે તેવે સમયે ગુજરાતમાં 31 માર્ચ 2026ના રોજ ગાંધીનગરના કોબા ખાતે ‘સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’ના લોકાર્પણ પ્રસંગે જૈનાચાર્ય પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજે ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચારિત્ર્યવાન અને નિષ્ઠાવાન ગણાવ્યા હતા.
જૈનાચાર્યે જણાવ્યું કે વડાપ્રધાન મોદી એક ચારિત્ર્યવાન અને નિષ્ઠાવાન નેતૃત્વ પૂરું પાડી રહ્યા છે તેમણે ઉમેર્યું કે “આજે આ દેશનું સદ્દભાગ્ય અને જનતાનું સૌભાગ્ય છે કે તેમને આવા વડાપ્રધાન મળ્યા છે” તેમણે મોદીની પ્રશંસા કરતા કહ્યું કે તેમણે હંમેશા દેશને વિવિધ સમસ્યાઓથી બચાવ્યો છે અને રાષ્ટ્રના વિકાસ માટે અભૂતપૂર્વ કાર્યો કર્યા છે.
આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ જૈન સંસ્કૃતિ અને ભારતીય વિરાસતને સમર્પિત આ ભવ્ય મ્યુઝિયમનું ઉદ્ઘાટન કરી આચાર્યશ્રીના આશીર્વાદ પણ મેળવ્યા હતા હવે આ વિશ્લેષકો આ મામલામાં એવો તર્ક વહેતો કરી રહયા છે કે ‘નરેન્દ્ર મોદી ચારિત્ર્યવાન છે!’ એવું સર્ટિફિકેટ અત્યારે લેવાની જરૂર કેમ પડી? અત્યારસુધી વિકાસ કે 56 ઇંચની છાતી કે મજબૂત નેતા,વિશ્વગુરુ અથવા લોકપ્રિય નેતા વગરે કહેવાતું હતું પણ અહીં મોદી ચારિત્ર્યવાન નેતા છે એવું જૈનાચાર્યએ કેમ કહેવું પડ્યું? આ મુદ્દે વિસ્તુત છણાવટ કરી રહ્યા છે વરિષ્ઠ પત્રકાર મયુર જાની અને મેહુલ વ્યાસ આ ખાસ ચર્ચા જોવાનું ચૂકશો નહિ,જુઓ વિડીયો.
આ પણ વાંચો:
OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!







