
Islamabad: અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ રોકવા માટે ઇસ્લામાબાદમાં તા.10મી એપ્રિલ શુક્રવારે અમેરિકા અને ઈરાનની બેઠક મળવાની હતી પણ ઈરાને લેબનોન હુમલા સામે વિરોધ કરીને બેઠકમાં હાજરી આપવાનો ઇન્કાર કરતા બેઠક રદ થઈ હતી અને તા. 11 એપ્રિલે એટલે કે આજે નક્કી કરવામાં આવી છે,જોકે,ઈરાન આજેપણ બેઠકમાં હાજરી આપશે કે કેમ? તે હજુપણ સ્પષ્ટ નથી કેમકે ઈરાની ડેલિગેશન હજુ સુધી પાકિસ્તાન પહોંચ્યું નથી.
બીજી તરફ આ બેઠક પહેલાજ પાકિસ્તાની રક્ષામંત્રી ખ્વાજા આસીફના ઇઝરાયેલ વિરોધી વિવાદાસ્પદ નિવેદનથી વિવાદ થયો છે અને ઇઝરાયેલે પાકિસ્તાનને વળતી ટ્વીટ કરીને આડેહાથ લેતા મધ્યસ્થી તરીકે પાકિસ્તાનની વિશ્વસનીયતા પર પણ સવાલો ઉભા થયા છે. હવે આખા વિશ્વની નજર આજની બેઠક પર છે.
સીઝ ફાયર ડિકલેર થયા બાદ લેબનોન પર ઈઝરાયેલે હુમલો કરતા ઈરાને તેનો વિરોધ કરી સીઝ ફાયરનું ઉલ્લંઘન ગણાવ્યું છે, જ્યારે અમેરિકા અને ઈઝરાયેલ કહી રહયા છે કે સીઝ ફાયરમાં લેબનોનનો કોઈ સમાવેશ કરાયો ન હતો તેથી હુમલા ચાલુ રહેશે બીજી તરર ઈરાન કહે છે કે જો લેબનોનનો યુદ્ધ વિરામમાં સમાવેશ ન હોય તો સીઝ ફાયરનો કોઈ મતલબ રહેતો નથી, આમ, હવે શું આ બેઠક ખરેખર યોજાશે કે નહીં? તે સવાલ ઉભો થયો છે.
દરમિયાન,અમેરિકાના ઉપપ્રમુખ જેડી વેન્સ પાકિસ્તાન આવવા રવાના થયા છે, તેમણે ઈરાનને પ્રામાણિકપણે વાતચીત કરવા અને કોઈ રમત ન રમવા વિનંતી કરી છે વેન્સે જણાવ્યું હતું કે અમેરિકા ખુલ્લી વાતચીત માટે તૈયાર છે. જો કે, જો ઈરાન ચાલાકી કરવાનો પ્રયાસ કરે છે, તો અમે કડક વલણ અપનાવશું જોકે, બેઠક પહેલા અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે કારણ કે ઈરાની પ્રતિનિધિમંડળ હજુ પાકિસ્તાન પહોંચ્યું નથી ત્યારે આજે શુ ફેંસલો આવે છે તેની ઉપર સૌની નજર છે.
આ પણ વાંચો:
OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!







